
Sunset at Angkor vat

Apsara

King Suryavarman II

Sunrise at Angkorvat Temple Complex

sunrise

Entrance of Angkor vat Temple complex

Entrance of Angkor vat Temple complex

Lord Vishnu's temple

Nimisha at Lord Vishnu Temple

Nimisha at front of Temple

IMG00270-20111109-0938

IMG00269-20111109-0937

King Yashovarman going for Fighting

King With his Military

IMG00293-20111109-0955

IMG00292-20111109-0955

Midwife helping pregnant lady

'Dwand Udhha' !

Lord Brahhma , LordVishnu and LordMahesh faced Temple

Dhara at God Faced Temple

Dhara between Apsara

Bakul Shah facing God Vishnu

IMG00340-20111109-1043

Bakul Shah at Tree on Temple

Tree spread its roots on and above Temple

Tree spread on Temple

Roots has damaged Temple

Dhara between Apsara with different Hairstyle

Tree on the Temple !

Sunset View of Angkor vat Temple

Bhgvan Vishnu

Street of Siam Reap

Bagi attached to Bike !!

Dhanush at Entrance of Angkor vat

Bakul, Nimisha & Dhara at Hotel Angkor Vat
શું આપને યાદ છે ?
શું આપને યાદ છે કે આપને કે આપના કુટુંબીજનો ને ઈતિહાસ ના અભ્યાસક્રમ માં ભણાવવામાં આવ્યું હોય કે ભારતીય રાજા નું શાસન કમ્બોડિયા , જાવા- સુમાત્ર , ઇન્ડોનેશિયા કે મલેશિયામાં માં પ્રવર્તમાન હતું ? શા માટે આપણાથી આપણો ગૌરવપ્રદ ઈતિહાસ છુપવામાં આવી રહ્યો છે ? છે કોઈ કારણ ? ઇસ. પહેલી સદીથી લઇ ને છેક ૧૪ મી સદી સુધી પરાક્રમી રાજાઓ ના રાજ્ય ની ધજાઓ છેક દક્ષીણ -પૂર્વ એશિયા સુધી ફરકતી હતી ! પરંતુ આપણી નમાલી સરકારો ને અને બની બેઠેલા બુદ્ધીવાદીયો ને ભારત ના ગૌરવપ્રદ ઈતિહાસ ને લોકો સમક્ષ જણાવતા શરમ આવે છે ! કદાચ એમને ડર હશે કે કદાચ કોઈ આપણને વિસ્તારવાદી કહી દેશે તો ? દક્ષીણ-પૂર્વ માં ચાલતા દરિયાય વ્યાપાર પર ભારત નું ઘણું પ્રભુત્વ હતું ! કમાલ ની વાત તો એ છેકે ઉપરોક્ત દેશો અને ટાપુઓં તેમના ઈતિહાસમાં ગૌરવ પૂર્વક જણાવે છે કે તેમની ઉપર ભારતીય રાજા એ રાજ કર્યું હતું ! એટલુજ નહિ પણ પણ આજે પણ જે તે રાજા ના વારસદાર ને રાજા નું સન્માન આપે છે ( મલેશિયા ) ! આજે પણ થાઇલેન્ડના રાજા, રામ ના નામ થી ઓળખાય છે ! આજે પણ ત્યાં અયોધ્યા નામની નગરી આવેલી છે અને બેંક નું નામ પણ અયોધ્યા છે ! આજે પણ બેંગકોક ના આંતરાષ્ટ્રીય હવાઈમથક નું નામ સુવર્ણભૂમિ છે ! આવો કમ્બોડિયામાં સ્થપાયેલ આવા એક ભવ્ય શાસન અને તેમના દ્વારા નિર્મિત મંદિર શ્રુંખલા ની જાંખી કરીએ !
દેશ : કમ્બોડિયા
કમ્બોડિયા માં હિંદુ રાજ્ય નો ઈતિહાસ
હિન્દુત્વ નો પ્રસાર કોને અને ક્યારે કામ્બોડીયા માં કર્યો તેનો સ્પષ્ટ ઈતિહાસ ક્યાય થી મળતો નથી પરંતુ લગભગ ઇસ.૫૦ માં કમ્બોડિયા માં એક ભાવપૂર કરીને શહેર હતું અને ત્યાં ભાવવર્મન પહેલા નું ચક્રવર્તી રાજ હતું તેવું ઈતિહાસ માં નાધાયેલું છે. એવું કહેવાય છે કે તે સમય ભારત સાથે ના વ્યાપાર ને કારણે ભારતીય વ્યાપારીઓ એ હિન્દુત્વ ની જ્યોત આ બાજુ પ્રગટાવી હતી અને ભારતીયોની સમૃદ્ધી જોઈ ત્યાના લોકોએ હિંદુ ધર્મ માં દિલચસ્પી લીધી હશે અને તેને પ્રસારવા નું કામ બાકી રહેલ કામ એક પછી એક આવેલા હિંદુ રાજા એ ખુભી પૂર્વક કર્યું હશે. સૌથી મહત્વ ની વાત એ છે કે હિંદુ ધર્મ ના પ્રસાર માટે ના તો લાલચ આપવામાં આવી હતી કે ના કોઈ જોર અજમાવામાં આવ્યું હતું . ઈતિહાસ માં આવા કોઈ પ્રમાણ મળ્યા નથી .ભાવવર્મન પ્રથમ પછી ત્યાં આગળ તેનો ભાઈ મહેન્દ્રવર્મન ગાદી ઉપર આવ્યો હતો તેને તથા તેના પુત્ર ઈસાનવર્મન પહેલા એ ઉતરોતર પોતાના રાજ્ય નો વ્યાપ વધાર્યો અને ખેમર સામ્રાજ્ય ના પાયા ને મજબૂત કર્યો હતો .આજ સમય માં પૂર્વ કામ્બોડીયા માં બેંગકોક થી નજીક દ્વારવતી કરીને પણ એક રાજ્ય ઇસ .૬૨૮ માં હતું તેનો રાજા ભાવ વર્મન બીજો હતો કે જે ઈસાનવર્મન પ્રથમ નો પુત્ર હતો. ભાવ વર્મન બીજા એ લગભગ ઇસ.૬૫૪ સુધી રાજ કર્યું અને ત્યારપછી તેની પુત્રી જયાદેવી એ રાજ કર્યું . આમ પેઢી દર પેઢી રાજ ચાલતું રહ્યું અને ઇસ.૭૯૦ માં જ્યવર્મન બીજા એ પોતાના રાજ્ય નો વ્યાપ વધાર્યો અને તેને વ્યાધપુરા (દક્ષીણ-પૂર્વ કામ્બોડીયા ) ,સંભુપુર,ઉત્તર માં વાટ ફું સુધી પ્રસાર કર્યો અને પૂર્વ માં અનીન્દીતાપુરા સુધી પોતાનું રાજ્ય નો ફેલાવ કર્યો અને પોતાને ઇસ.૮૦૨ માં વિશ્વ ના રાજા તરીકે ઘોષિત કર્યો. તેને આમરણાંત ઇસ.૮૩૫ સુધી રાજ કર્યું . ઇસ.૭૯૦ થી લઇ ને ઇસ. ૧૩૨૭ સુધી ની તવારીખ નીચે મુજબ છે :
રાજા રાજ્ય નો સમય ગાળો
જ્યવર્મન બીજા ૭૯૦ – ૮૩૫
જ્યવર્મન ત્રીજા ૮૩૫ – ૮૭૭
ઇન્દ્ર વર્મન પહેલા ૮૭૭ – ૮૮૬
યશોવર્મન પહેલા ૮૮૯ – ૯૧૫
હર્ષ વર્મન પહેલા ૯૧૫ – ૯૨૩
ઇસના વર્મન બીજા ૯૨૩ - ૯૨૮
જ્યવર્મન ચોથા ૯૨૮ – ૯૪૧
હર્ષવર્મન બીજા ૯૪૧ – ૯૪૪
રાજેન્દ્ર વર્મન ૯૪૪ – ૯૬૮
જ્યવર્મન પાંચમાં ૯૬૮ – ૧૦૦૦
ઉદયદીત્યવર્મન ૧૦૦૦ – ૧૦૦૨
જયવીર વર્મન ૧૦૦૨ – ૧૦૧૦
સૂર્યવર્મન ૧૦૧૦ – ૧૦૪૯
ઉદયદીત્ય વર્મન પ્રથમ ૧૦૫૦ – ૧૦૬૬
હર્ષવર્મન ત્રીજા ૧૦૬૭ – ૧૦૮૦
જ્યવર્મન છઠા ૧૦૮૦ – ૧૧૦૭
ધારનિંદ્રા વર્મન ૧૧૦૭ – ૧૧૧૨
સૂર્ય વર્મન બીજા ૧૧૧૩ – ૧૧૫૦
યશોવર્મન બીજા ૧૧૫૦ – ૧૧૬૫
ત્રિભુવન આદિત્ય વર્મન ૧૧૬૫ – ૧૧૭૭
જ્યવર્મન સાતમાં ૧૧૮૧ - ૧૨૨૦
ઇન્દ્ર વર્મન બીજા ૧૨૨૦ – ૧૨૪૩
જ્યવર્મન આન્થમાં ૧૨૪૩ – ૧૨૯૫
શ્રીઇન્દ્ર વર્મન ૧૨૯૫ – ૧૩૦૭
શ્રીઇન્દ્રજ્ય વર્મન ૧૩૦૭ – ૧૩૨૭
જ્યવર્મન પરમેશ્વર ૧૩૨૭-
સ્થળ : સીઅમરેંપ
સીઅમરેંપ નો અર્થ થાય છે કે ’થાઇ ને હરાવ્યા’ ભાગ્યેજ જોવા મળે તેવું ચતુરાઈપૂર્વક રાખેલ નામ થાઇલેન્ડ નજીક ના એક મુખ્ય શહેર માટે અર્થપૂર્ણ નામ ! અંગકોર ના આ સામ્રાજ્ય નો એકવાર ના આધુનિક થાઇલેન્ડ નો ભાગ બની ચુક્યું છે . થાઇલેન્ડ છેવટે કંબોડિયા ને હરાવી અને સીઅમરેંપ ઉપર નિયંત્રણ મેળવ્યું હતું ૧૭૯૪ થી ૧૯૦૭ સુધી પોતાના તાબા હેઠળ અંગકોર સામ્રાજ્ય ને રાખ્યું હતું .
જયારે ૧૯૦૭ માં ફ્રેંચ લોકોએ કંબોડિયા પર પ્રભુત્વ મેળવ્યું ત્યારથી સીઅમરેંપ ના વિકાસ ના દ્વાર ખૂલ્યા. ફ્રેંચ સ્થપતિ શ્રી એકોલે ફ્રન્કૈસે ના અથાગ પ્રયાસથી અંગકોર આજ આપણી સમક્ષ દ્રશ્યમાન થઈ શક્યું છે .
પાસપોર્ટ / વિઝા નોંધ : બધા મુલાકાતીઓ પાસે પૂરતુ ફંડ્સ હોવું જોઈએ. ઈ વિઝાઑનલાઇન (એક પ્રવેશ પ્રવાસી વિઝા) કરી શકાય છે કે જે 30 દિવસ રહેવા માટે પરવાનગી આપે છે. વધુ જાણકારી માટે www.mfaic.gov.kh જુઓ. નહિંતર, આગમન પર વિઝા 30 દિવસ માટે અદા કરી શકાય છે. એક પાસપોર્ટ ફોટો તથા ૨૦ U.S. $ પ્રવાસી વિઝામાટે સાથે જરૂરી છે.
એમ્બસ્સી ઓફ ઇન્ડિયા : એન – ૭૭૭ , પ . મોનીવોંગ બ્લ્વ્દ . : ૩૬૩ ૫૦૨ / ૩૬૧ ૨૭૦ , ફેક્ષ : ૩૬૪ ૪૮૯
આઈ એસ ડી કોડ : 00855 63
સમય માં ફેરફાર : ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ + ૧.૫ કલાક
ચલણ : રીએલ (ખર )
વિનિમય દર : રીએલ (ખર ) ૧૦૦૦ =૧૩.3089રૂપિયા
http://www.xe.com/ucc/convert/?Amount=1000&From=KHR&To=INR
ભાષા : ખમેર, ફ્રેંચ અને ઈંગ્લીશ ખુબ ઝડપથી પ્રખ્યાત થઇ રહી છે
ક્યારે જઈ શકાય ?
વર્ષાઋતુ : જૂન થી અક્ટોબર 27-35.સી (80-95.ઍફ)
ડ્રાઇ સીજ઼ન (કૂલ): નવેંબર થી ફેબ્રુઆરી 17-27.સી (80-95.ઍફ)
ડ્રાઇ સીજ઼ન (હોટ) :માર્ચ થી મે 29-38.સી (84-100.ઍફ)
નવેમ્બેર થી લઈને ફેબ્રુઆરી સુધી નો સમય શ્રેષ્ટ સમય ગણાય છે
કેવી રીતે જવાય :
હવાઈ માર્ગ : મુંબઈ અને દેલ્હી થી સીધી કુલાલમ્પુર અથવા તો બેન્ગ્કોક માટે ફ્લાઈટ લઇ ત્યાંથી સીઅમરેંપ ની ફ્લાઈટ મળી શકે છે
કુલાલમ્પુર થી અથવા બેંગકોક થી સીધી ફ્લાઈટ છે
http://airasia.com
http://www.malaysiaairlines.com/in/en.html
Malaysian Airlines
Local: 1300 88 3000 Malaysia
International: +60 (0)3 7846 3000
Air Asia
Local: 1300 88 99 33Malaysia
Local :18605008000 India
International: +60 03 7884 9000
રેલવે :
બેંગકોક (થાઇલેન્ડ) અને ફ્નોમ પેન્હ (કામ્બોડિયા ) વર્ચ્ચે ચાલતી ટ્રૈન કંબોડિયા માં યુદ્ધ ચાલતું હતું ત્યારથી માત્ર થાઈ-કાંબૉડિયન સરહદ ના થાઈ બાજુ પર આવેલ અરન્યપ્રત્હેત વચ્ચે ચાલી રહેલ છે, અને અરન્યપ્રત્હેત (થાઇલેન્ડ) અને બત્તામ્બંગ(કામ્બોડિયા) વચ્ચે સરહદ તરફ ટ્રેન સેવા કેટલાકવર્ષોથી સસ્પેન્ડ છે. ફ્નોમ પેન્હ અને બત્તામ્બંગ વચ્ચે ટ્રેન સેવા પણ કેટલાક વર્ષોથી સસ્પેન્ડ છે.
ફેરી : થાઇલેન્ડ થી કંબોડિયા વચ્ચે કોઈ ફેરી સેવાઓ છે નહિ .જોકે, પગે ચાલીને થાઇલેન્ડ ના કોહ કોંગ સરહદ ક્રોસ કરી ત્યાંથી ૧૫ મિનિટ ની શેર ટેક્સી અથવા (મોટરબાઈક ટેક્સી) મોટોડોપ રાઈડ લઇ અને પછી ત્યાંથી સિહનઔક્વિલ્લે જઈ ત્યાંથી ફેરી દ્વારા જઈ શકાય છે
બેંગકોક થી સીએમરીપ પહોચતા લગભગ 6-9 કલાક લાગે છે અંદાજે ૪૬૫ કી.મી છે, 6-9 કલાક ટ્રિપછે. સામાન્ય રીતે ૪-૫ કલાક ના પ્રવાસ બસ દ્વારા બેંગકોક થી અરન્યપ્રત્હેત (‘અરણ ’ ) નામ ના ટાઉન પહોચતા થાય છે , જે થાઈ બાજુ ની સરહદપર નું છેલ્લું ટાઉન છે, પછી ટુક -ટુક દ્વારા સરહદ ક્રોસિંગ કરી કમ્બોડિયા ની સરહદ પોઈપેટ નામ નું ટાઉન આવેલ છે કે જે ફક્ત ૬ કિ.મી. દુર છે .પોઈપેટ થી સીએમ રીપ નો માર્ગ હવે ખુબ સરસ થઇ ગયેલ છે અને લગભગ ૩ કલાક માં સીએમ રીપ પહોંચવા માટે લાગે છે .જમીનમાર્ગે પ્રવાસ આયોજન બે વિકલ્પો છે: (1) બેંગકોક થી પેકેજ ટિકિટ ખરીદી; (2) અથવા ટીકીટ લઇ જાતે આયોજન કરવું
વીજળી: 220 વોલ્ટ, 50Hz. મુસાફરો ખાસ ધ્યાન રાખો કે પાવર કટ વારંવાર થતો હોય છે અને મહાનગર બહાર, વીજળી સામાન્ય રીતે માત્ર સાંજે ઉપલબ્ધ હોય છે
અંગકોર ના મંદિર :
એવું કહેવાય છે કે જો આપ કમ્બોડિયા ફરવા માટે ગયા હોય અને જો આપ અંગકોર વાટ ના ઐતિહાસિક મંદિર, પ્રાચીન ખ્મેર સામ્રાજ્યની મુલાકાત ન લીધી હોય તો આપ ની એ મુલાકાત અધુરી રહી ગણાય , ૯ અને ૧૩ મી સદીમાં વચ્ચે બંધાયેલ , ૧૦૦ કરતાં વધુ મંદિરો શોધી કાઢવામાં આવ્યા છે એટલુજ નહિ આ પ્રાચીન સભ્યતા , પ્રાચીન સંસ્કૃતિ અને તેના સમયના સૌથી મોટા શહેરો માંના એક ગણાય છે . અંગકોર વાટ અત્યાર સુધીમાં બંધાયેલા સૌથી મોટું ધાર્મિક સ્મારક છે , એક પ્રભાવશાળી હિન્દૂ મંદિર શ્રુંખલા છે કે જે ની ચારે તરફ ઊંડી કેનાલ બનાવી મંદિર ને સુરક્ષિત રાખવા નો પ્રયાસ કરેલ છે .આ એક વિશ્વની અજાયબીઓની તરીકે જાણતા છે. અંગકોર થોમ આ કોટ રોયલ સિટી બયોન મંદિર અને તેના વિશાળ પથ્થરના ચહેરાઓ લગતા મંદિર , નું એક અનન્ય આકર્ષણ છે.
સરનામું: સીએમ બહાર ૩ માઇલ (૫ કિમી ) ; પ્રવેશ: U.સ.$ ૨૦ . એક દિવસ માટે
કંબોડિયા લેન્ડમાઈન્સ મ્યુઝિયમ
અકિરા’સ લેન્ડમાઈન્ મ્યુઝિયમ
અંગકોરવાટ લેન્ડમાઈન્ મ્યુઝિયમ પ્રાચીન ખ્મેર ભવ્યતા ઉપર કલંક સમાન છે. આ લેન્ડમાઈન્ કંબોડિયા ના ભયાનક રાજકીય અને સામાજિક ચહેરા ને ઉજાગર કરે છે . અકિરા નામ ના ભૂતપૂર્વ ખ્મેર રગ બાળ સૈનિક દ્વારા સ્થપાયેલ આ સંગ્રહાલય, મુશ્કેલીગ્રસ્ત સમય તરફ સ્પષ્ટ રીતે ધ્યાન ખેંચે છે. આજે પણ હજારો માનવી ઓં જમીન માં દટાયેલી સુરંગો નો ભોગ બને છે . હજુ પણ સુરંગો ને શોધવાનું અને તેને નકામી કરવાના પ્રયત્ન હોવા છતાં, અંદાજ છે કે અડધા કરતાં ઓછી સાફ કરવામાં આવી છે. અકિ રા એ પોતે રા 50,000 ઉપર ને નિષ્ક્રિય કરી છે, તેની પોતાની પહેલ પર ઘણી જમીની સુરંગો અને ઘણા અન્ય શસ્ત્રો આ સંગ્રહાલય સમાવાયા છે.
સરનામું: સ્થિત ૪ (૬ કિમી ) માઇલ બન્તેંય શ્રેય ટેમ્પલ ઓફ અંગકોર વાટ પુરાતત્વીય પાર્ક અંદર, દક્ષિણ; ઇ મેલ: info@cambodialandminemuseum.org; વેબસાઈટ: www.cambodialandminemuseum.org; પ્રવેશ: વ્યક્તિ દીઠ 1 ડોલર દાન
નેશનલ મ્યુઝિયમ
અંગકોર નેશનલ મ્યુઝિયમ
અંગકોર ના મંદિર ની મુલાકાતએ જવાના માર્ગ ઉપર આ આ સંગ્રહાલય બનવા માં આવ્યું છે કે જેથી મુલાકાતીઓ ખેમર સંસ્કૃતિ ની ઊંડાણપૂર્વક સમજ કેળવી શકે અને મુલાકાતીઓ ઇતિહાસ, સમૃદ્ધ વારસા અને અન્ય કથાઓ થી રૂબરૂ થઇ શકે કેમ કે મોટે ભાગે જ્યારે માર્ગદર્શિકા વગર અંગકોર મંદિરો જોવા જાય ત્યારે તેનાથી અજાણ રહી જાય છે . આ સંગ્રહાલય મલ્ટીમીડિયા શો દર્શાવે છે અને વિવિધ માનવસર્જીત વસ્તુઓ દ્વારા ખ્મેર સંસ્કૃતિ સુવર્ણ સમય ને ઉજાગર કરે છે. આ ઇમારત પોતે અત્યંત આધુનિક વાતાનુકૂલિત , ભવ્ય અને પ્રચંડ ૨૦ ,૦૦૦ પર ચોરસ મીટર જગ્યા માં આવેલ છે.
સરનામું: નો .૯૬૮ , વિથેઈ ચાર્લ્સ ડી ગૌલ, ફોઉંમ સલાકાન્સેંગ , ખોમ સ્વય્દાન્ગુમ , સિઅમરેપ ; ઇ મેલ: info@the-anm.com; વેબસાઈટ: www.angkornationalmuseum.com; ખુલવાનો સમય: 1 30 સપ્ટેમ્બર દરરોજ સવારે ૮ .૩૦ થી સાંજે ૬ સુધી ખુલ્લું હોય છે; 1 ઓક્ટોબર 30 એપ્રિલ: દરરોજ સવારે ૮.30 થી સાંજે ૬ ૩૦ છે; પ્રવેશ: બિન-કમ્બોડિયનો માટે પ્રવેશ $ 12 ફોટોગ્રાફી માટે વધારાના $ 3 છે
તોન્લેસાપ તળાવ © લા ઝીતીના
તોન્લે સાપ તળાવ
ઓઍન્ગ તોન્લે સાપ (તોન્લે સાપ તળાવ) એશિયા નું એક સૌથી મોટું તાજા પાણી નું તળાવ છે, અને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ ઇકો સિસ્ટમ આના પર નભે છે. આ તોન્લે સાપ બાયોસ્ફિયર રિઝર્વ માં ના આ પ્રેક તોઅલ પક્ષી અભયારણ્ય માં રહેવાસી પક્ષીઓ જેવા કે બાજ, સ્ટોર્ક , પેલિકન અને માછલી ઈગલ્સ નો સમાવેશ થાય છે આ ઉપરાંત માછલી, મગરો, કાચબા, મુહ્કાક ( લાંબા મોઢા વાળું અને છાતી ઉપર ખોરાક રાખવા ની કોથળી વાળું વાંદરું ) અને ઓત્તેર , તેમજ પાણી માં સ્તંભ ઉપર ટકેલા અથવા ફ્લોટિંગ ઘરો માં રહેતા ગ્રામજનો સમાવેશ થાય છે. આ શ્રેષ્ઠ પક્ષીઓ જોવા નો સમય ઉનાળાની સુકી ઋતુ છે. આ ઉપરાંત સીએમરેપ માં તોન્લે સાપ નું પ્રદશન પણ છે કે જે સ્થાનિક લોકોની સંસ્કૃતિ અને પર્યાવરણ ના પ્રદર્શન દ્વારા ખ્મેર વારસા ની તાકાતનું પ્રદર્શન કરે છે .
સરનામું: આ તળાવ સિઅમ રેપ ની દક્ષિણે લગભગ ૯ માઈલ (૧૫ કિમી) દુર આવેલ છે ; ટેલીફોન: તોન્લે સાપ (૦ ) પ્રદર્શન ૯૬૪ ૬૩ ૬૯૪ ; ફેરી ફ્નોમ પેન્હ અને સીએમ રેપ વચ્ચે ની ફેરી ચોંગ ખ્નેઅસ નામ ના ગામ ખાતે તળાવ અને બંદરગાહ વચ્ચેથી પસાર થાય છે . આ તોન્લે સાપ પ્રદર્શન અંગકોર વાટ માટે ના માર્ગ પર જયવર્મન સાતમા હોસ્પિટલ પછી તરત છે, ખુલવાનો સમય:. બધા આકર્ષણો દરરોજ સવારે ખુલે છે જોકે પ્રદર્શન બપોરે ૧૨ થી ૨ વચ્ચે બંધ રહે છે; પ્રવેશ: ચોંગ ખ્નેઅસ ફ્લોટિંગ ગામ બોટ પ્રવાસ: U.S. $ 6 ; પ્રેક તોઅલ પક્ષી અભયારણ્ય પ્રવેશ: U.S. $ 5, $ પ્રવાસ 15-25 U.S.; તોન્લે સાપ પ્રદર્શન: મફત છે.
બેંગ એઅલેઅ મંદિર
આ મંદિર સેન્ડ સ્ટોન માંથી બનેલ છે .અને સીએમ રેંપ થીપહોચતા લગભગ ૫ કલાક લાગે છે . આ મંદિર જંગલ માં આવેલા હોવા થી અને તેની મુલાકાત સાર્થક લાગે છે આ મંદિર સંકુલ અંગકોર વાટ ના સમાન સ્કેલ પર છે અંદાજે બારમી સદી માં બંધાવ્યા હતા. પરંતુ ઘણા સમય થી ત્યજી દીધેલ હોય તેવું પ્રતીત થાય છે . અહી થી લુટારાઓ પૌરાણિક મહત્વ ધરાવતી પ્રતિમાઓ ઉઠાવી ગયા છે .પરંતુ અન્ય રીતે આ માળખું તેના ઐતિહાસિક ધરોહર અને ગુણવત્તા કારણે મુલાકાતીઓ આવતા રહે છે ભલે ઓછા પ્રમાણ માં આવતા હોય , પણ આવે છે જરૂર
સરનામું: સીએમરેંપ થી ૪૫ માઇલ (૭૦ કિમી ) પ્રવેશ ફી : $ ૫
ઇંડિયન રેસ્ટોરેંટસ
ચૂસસ્કા રેસ્ટોરેંટ:
ઇંડિયન વેજિટેરિયન રેસ્ટોરેંટ
ઓલ્ડ માર્કેટ ઍરિયા, સ્ટ્રીટ 7,
વન બ્લૉક નોર્થ ઓફ પબ સ્ટ્રીટ
ટેલ: ૦૧૨ -૨૧૨૧૩૮
કરી વૉલા રેસ્ટોરેંટ :
#805, સીવાતા બ્લ્વડ.
રોડ તો અંગકોર નાઇટ માર્કેટ
ઇંડિયા ગેટરેસ્ટોરેંટ:
ટેલ: 063-૯૬૫૪૫૧
સ્ટ્રીટ ૯ , ઓલ્ડ માર્કેટ ઍરિયા
ટેલ: ૦૯૩ -૪૦૦૧૪૮
ધી ઇંડિયન રેસ્ટોરેંટ
ઓલ્ડ માર્કેટ ઍરિયા, ઑપોસિટ તે પ્રોવિન્ષિયલ હોસ્પિટલ
ટેલ: ૦૧૭ -૯૨૮૪૭૧
લિટ્લ ઇંડિયા રેસ્ટોરેંટ:
2 થ્નૌ સ્ટ્રીટ, ઓલ્ડ માર્કેટ ઍરિયા,
ઑપોસિટ બ્લૂ પંપકિન
ટેલ: ૦૧૨ -૬૫૨૩૯૮
મહારાજા રેસ્ટોરેંટ:
નેક્સ્ટ તો કૅબ બૅંક, ઓલ્ડ માર્કેટ ઍરિયા
ટેલ: ૦૯૨ -૫૦૬૬૨૨
તાજ મહાલ રેસ્ટોરેંટ:
ક્લાસ્સિક ઇંડિયન ક્વિજ઼ીન
ઓલ્ડ માર્કેટ ઍરિયા , પબ સ્ટ્રીટપાસે,
બિટ્વીન રેડ પિનો અન્દ કૅબ બૅંક
ટેલ: ૦૮૮ -૮૭૬૫૧૦૦
Like this:
5 bloggers like this post.
Recent Comments