ભીની ભીની લાગણી નો સેતુ

ભલે પધાર્યા !!

આમ તો મારો વ્યવસાય આપ સહુને કુદરત ની સમીપ લઈ જવાનો છે ઍટલે કે પ્રવાસન ને લગતો છે. જે આપને રાજ઼ રોજ ની ઝંઝટ થી દૂર ..ઘણે દૂર લઈ જાય છે. જ્યારે અહી મારો પ્રયાસ આપને આપની ભીતર સાથે જોડવાનો છે. અમદવાદે મને પાળ્યો છે અને વાપી ઍ મને પોષ્યો છે. આ વાપી ઍ મને બદ્ધૂ જ આપ્યુ છે. ધન ના વૈભવ થી લઈને મન ના વૈભવ સુધી. મને લાગણી ના વરસાદ મા ભીંજવા નુ ગમે છે. આ ભીની ભીની લાગણી નો સેતુ ઍ આપની લાગણી નૅ તરબતર કરશે તેવી મને ચોકસ આશા છે. આઓ આપણે પલ ભાર માટે સાથે રહી આ લીલા લીલા વરસાદ ને ભીના ભીના હ્રદય થી માણિયે. આ મા ભીંજાવા આપણે વરસાદી વાતાવરણ ની જરૂર નથી પણ મને શ્રદ્ધા છે કે આ સફર તમને વરસાદી વાતાવરણ ની અનુભુતિ જરૂર થી કરાવશે. આપે સમય કાઢી મારા બ્લોગ જગત ની મુલાકાત લીધી તે બદલ આપ ને ધન્યવાદ. આપ નો પ્રતિભાવ આપવા ની કૃપા મને આનંદ ની લાગણી ની અનુભતી કરાવશે.
મકાઈ શેકવાની રીત એક  !
Samundra manthan by Dev and Danav
Entrance of Angkor vat Temple complex

Latest

મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર!

મધમધતી જલેબી ને ઊંધિયા નો આસ્વાદ    

તલની સોડામદાર સુખડી અને મગફળીની મીઠી ચિકી..

ઉપર  માંની મીઠાસ નો વઘાર !

ઝાલર નો રણકાર અને બ્યુંગલનો નાદ 

એ…કાપ્યો છે…ના મિત્રોના પોકાર .

મિત્રોને સંગ અને મિજબાની ને રંગ 

આજ ઉજવીએ ઉત્તરાયણ નો તહેવાર 

આપને પણ મુબારક આ તહેવાર 

ફક્ત ૧ મિનીટ , વિભાજન ની વેદના સમજવા એક મિનીટ જોઈએ છીએ ! આપશો ?

ભારત ના ભાગલા , ભારત નું વિભાજન …અતિ દુઃખ દાયક ઘટના …વિભાજન શબ્દ સંભાળતાજ ખિન્નતા , દુઃખ , દર્દ , ક્ષોભ , અસંતોષ અને  ક્રોધની ભાવના પ્રજવળી ઉઠે છે.. આજે પણ ભારતના સામાન્ય નાગરિકથી લઇ નેતા ગણ સુધી કોઈને પણ સ્વીકાર્ય નથી છતાં વરવી હકીકત એ છે કે એ સ્વીકારવા પડ્યા છે , સ્વીકારવા પડશે , ઉપાયજ ક્યાં છે ? પણ એક યક્ષ પ્રશ્ન હજુ પણ અનુત્તર છે અને તે કે આ વિભાજન માટે કોણ જવાબદાર છે ? કોઈ એક વ્યક્તિ ?, કોઈ એક નેતા ? મહા નેતા ? રાષ્ટ્ર નેતા ? રાષ્ટ્ર પિતા ? વિદેશીઓ ?  સમાજ ?  કોણ ? કોણ છે આ માટે જવાબદાર ? આ પ્રશ્ન નો એક જવાબ ના કોઈ આપી શક્યું છે ના કોઈ આપી શકશે ! ૬૪ વર્ષ પછી પણ આ પ્રશ્ન  અનુત્તર છે ! ચાલો આજ આપણે આ પ્રશ્ન નો જવાબ મેળવવા સહિયારો પ્રયત્ન કરીએ ! કદાચ એ જવાબ મળી જાય ! કદાચ એ જવાબ થી ઘણા નજીક આપણે પહોચી શકીએ ! કદાચ આ પ્રશ્ન નો જવાબ ના પણ મળે  ? પ્રયત્ન કરી શકીએ ! હા એક મિનીટ જરૂરથી આપી શકીએ ! દેશ માટે ? દેશાભિમાન માટે ?  આપણા સંતોષ માટે ! આપણી તસ્સલી માટે !  આવો  જોડવ  એક  સહિયારા પ્રયાસમાં , આજેજ , અત્યારેજ , હમણાજ એક મિનીટ ! ફક્ત એક મિનીટ!

હું પ્રાર્થના ….( ભાગ – ૨ )

માફ કરજો મને આપની સાથે વાત કરે ઘણો સમય  થઇ ગયો પણ ચાલો ભગવાનનો આભાર કે આજે આપને ફરી મળી શક્યા છીએ. જુઓને આમતો મારે ઘડીની નવરાશ નહી ને પાઈ ની પેદાશ નહી તેવી વાત છે ! તમારી ઢગલાબંધ, ગણી ગણાય નહી ને તોય મારા આભલા માં માય નહી તેટલી અરજો ,સંદેશાઓ ઈશ્વર પાસે લઇ જાવ છું પણ એક ઝાટકે તે બધી કચરા ટોપલી માં નાખી દે છે. માંડ ક્યારેક એકાદ વાચતા હોય તો ! ઘણી વખત હું પરમાત્માને કહું કે તમે આમ ને આમ જો બધી અરજો કચરા પેટી માં નાખતા રહેશો તો એક દિવસ તમે બનાવેલા તમને  બનાવી દેશે ! આ સાંભળી ત્રિલોકના નાથ અટહાસ્ય કરતા કરતા બોલ્યા તું સાચી છે તેમને પ્રયત્નો આદરી દીધા છે ! મારા બેટા મને માત કરવાની કોશિશમાં લાગી ગયા છે ! તને ખબર છે ! તેમને મારા સર્જન ની પ્રતિકૃતિ પણ બનાવી દીધી છે ! પણ હજુ તેવો , ઘણી બાબત એવી છે, તે હજુ નથી સમજી શકતા !  મેં તેમની વાતમાં સુર પુરાવતા તેમને યાદ કરાવ્યું કે ૧૬મી સદીમાં તમારા નામે યુરોપમાં પાદરીઓ પૈસા લઇ સ્વર્ગમાં પ્રવેશનું પ્રવેશ પત્ર આપતા હતા ! અને આજે પણ ભારતમાં કહેવાતા સાધુ સંતો સંસાર અસાર છે ની વાતો કરતા જાય છે અને સંસારના લાભો ભોગવતા જાય છે અને પેલી વાર્તા ના વાંદરાની જેમ લોકો ને તમારા નામે લડાવતા જાય છે અને બને બાજુથી લાભ લેતા જાય છે  !  આવા લંપટ ને ઉઘાડા શામાટે પાડતા નથી ? એતો ઉઘાડાજ છે, તકલીફ એ છે કે બીજા બધાની આંખો બંધ છે ! મારા ચેતવ્યાય ચેતતા નથી !  મેં પુનઃ મૂળ વાત પર આવતા  કહ્યું કે “સાચી વાત છે.  મેં પૂછ્યું ” શું તમને આ વિજ્ઞાનીકો ની ઈર્ષા થાય છે ? ”  મારા પ્રાણેશ્વરએ સ્પષ્ટતા કરતા કહું કે  ”ના એવું નથી , મારા બધા વિસર્જનમાં પણ સર્જન રહેલું હોય છે અને તેમના ઘણા સર્જનમાં પણ વિસર્જન રહેલું હોય છે”  આ લોકો સમજ વગર આડેધડ સર્જન કરે છે એને મારે સમતોલ કરવા વિસર્જન કરવું પડે છે અથવાતો નવસર્જન કરવું પડે છે ! મેં પ્રશ્નોનો મારો ચલાવતા પૂછ્યું , તમે શા માટે મહાપ્રલયો રોકતા નથી ? શા માટે મોટી મોટી દુર્ઘટના થવા દો છો ? શ્રી હરી સ્પષ્ટતા  કરતા અંતર ધ્યાન થઇને બોલ્યા “આ દુર્ઘટના ટાળવા મેં યથાર્થ પ્રયત્ન કર્યાં છે” આ ના છૂટકે લીધેલું પગલું છે ! કદાચ મોડું થાત તો વધારે હાની સર્જાઈ હોત !

વાત નો દોર  પૂનઃ હાથ માં લેતા મેં ફરી યાદ કરાવી ને પૂછ્યું ” હવે પ્રભુ એતો કહો કે તમને કેવા સંદેશ ગમે ?”  અવિનાશે કહ્યું “એક પણ એવી અરજ નથી કે જે ખરા હૃદયથી પોકારી હોય અને મેં ન સાંભળી હોય ! પણ તેમની અરજ માં , તેમની પ્રાર્થના માં , શું માંગે છે ખબર છે ? તેમને સુખ નથી જોયતું તેમને ફલાણા કરતા વધારે સુખ જોયે છીએ ! તેમને પડોશીની નવી ને નવી ગાડી ને અકસ્માત કરાવી દેવો છે ! તેમને બીજાની પત્ની ને પોતાની કરવી છે ! તેમને પોતાની કંપની ને નફો કરતી કરવા કરતા બીજાની કંપની ને નુકશાન કરવામાં વધારે રસ છે ! શું સાંભળું ? કોનું સાંભળું ?”
 આમ આપ લોકો પ્રાર્થનાના નામ પર આપની વાસના પૂર્તિ ઈચ્છો છો અને ફરિયાદ કરો છો કે અમારી પ્રાર્થના મહાદેવ સાંભળતા નથી ! પણ ક્યાંથી સાંભળે ?  સાંભળવા જેવું કંઈ હોય છે ખરું ? બીજી એક તકલીફ એ છે કે આપને સુખમાં પરમેશ્વર યાદ આવતા નથી અને દુખમાં ભૂલાતા નથી !  સંત કબીરે સાચેજ કહ્યુંછે કે

सुखमे सुमिरन न किया दुखमे किया याद
कह कबीर ता दास की, कौन सुने फरियाद !
લાખો અને કરોડો લોકો મારા દ્વારા દરરોજ આદિપુરુષને  પોતાનો સંદેશ પહોચાડે છે પરંતુ આમાંથી થોડાજ નસીબદાર લોકો હોય છે કે જેમનો સંદેશ ભગવાન સાંભળે છે ! આ સમજવું ઘણું જરૂરી છે લાખો અને કરોડો લોકોમાંથી ફક્ત થોડા નસીબદાર કેમ સફળ થાય છે ? શું કારણ છે કે બાકીનાની  અરજ કચરા ટોપલીમાં જાય છે ? કારણ એ છે કે લોકો ખોટી મનો દશામાં મહાપ્રભુ ને યાદ કરેછે .જયારે સુખી હોય ત્યારે ભગવાન યાદ નથી આવતા પણ જયારે દુખી હોય ત્યારે પરબ્ર્હમ યાદ આવે છે .આજ કારણ છે કે તેમની ફરિયાદ નો યોગ્ય પ્રતિસાદ મળતો નથી . દુખ નો સ્વભાવ પરમાત્માના સ્વભાવથી ઉલટો હોય છે
ઈશ્વરએ પરમ આનંદ છે, સચિદાનંદ  છે. જયારે દુખ નો મતલબ છે કે ઈશ્વરની તરફ પીઠ કરીને ઈશ્વર ને શોધવા ! આમ જુઓંતો તમે દુખમાં છો તેનું કારણ  એજ છે કે તમે ઈશ્વર તરફ પીઠ કરી લીધી છે ! ઈશ્વર તરફ પીઠ રાખીને શોધવાના બધાજ પ્રયત્ન વ્યર્થ છે . ગમે તેટલા પ્રયત્ન કરો ગમેતેટલી શ્રદ્ધાથી, ગમેતેટલા વિશ્વાસથી , ગમેતેટલા ખંતથી પ્રયત્ન કર્યા હોય પણ જ્યાં સુધી ઈશ્વર તરફ પીઠ રાખીને શોધશો ત્યાં સુધી તેમને શોધવા અસંભવ છે . આતો એવી વાત છે કે તમારે અમદાવાદ જવું છે અમદાવાદ જવાના રસ્તાનો નકશો આપની પાસે છે પરંતુ  નકશા ઉપર વડોદરા ને બદલે  અમદાવાદ લખેલ છે  હવે તમે ગમે તેટલા પ્રયત્ન કરો , ગમે તેટલી ધીરજ રાખો , ગમે તેટલું  પોજીટીવ વલણ હોય પણ તમે પહોચશો તો વડોદરા કેમકે કહેવતો અમદાવાદનો નકશો  હકીકતમાં વડોદરાનો છે  દુઃખમાં તમાર બધાજ પ્રયત્નો ઈશ્વર સુધી પહોચવાના વ્યર્થ છે કેમકે દુખ માં તમે ઈશ્વરને યાદતો  કરો છો કે જેથી તમારા દુખ દુર થાય આમ જુઓં તો આ યાદ નથી પણ દૂખ દુર કરવાનો કે સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે જયારે તમે દુખ માં ઈશ્વરને યાદ કરો છો તે ઈશ્વરની યાદ નથી પણ સુખની યાદ છે, સુખ મેળવવા ભગવાન ને યાદ કરો છો અને જયારે સુખ મળીજાય છે ત્યારે યાદ નથી આવતા કેમકે સુખ છે એટલે કસાય ની જરૂરત ક્યાં રહી ? આપણે દુ:ખ ની વ્યર્થતાની તો ખબર છે પણ સુખની વ્યર્થતા જે સમજી જાય છે તે સન્યાસી થઇ શકે છે. દુ:ખ બધા છોડવા ઈચ્છતા હોય છે પણ સુખ છોડવાની તત્પરતા વાળાની પ્રાર્થના ઈશ્વર સાંભળે છે કેમકે આ પ્રાર્થનામાં રુદન નહી હોય , આ  પ્રાર્થનામાં આંસુ નહી  હોય, આ પ્રાર્થના માં સુખની માંગ નહી  હોય , આ પ્રાર્થના ભિખારીની નહી  હોય પણ આ પ્રાર્થના સમ્રાટ ની હશે કેમકે જેને સુખની ખેવના ના હોય તે સાચેજ સમ્રાટ છે. આમતો બધા સંત પુરુષો કહી ગયા છે કે કોઈ પણ જાતની અપેક્ષા ના રાખો. પ્રાર્થના દ્વારા માંગશો પણ નહી .ઈશ્વરમાં શ્રદ્ધા રાખો જે મળવાનું છે તે માળશેજ . આપણે માંગીને ઘુમાંવીયે છીએ. જેટલું વધારે માંગીએ તેટલું ઈશ્વર ઓછું આપે છે અને જેટલું ઓછું મળે તેટલી આપણી મેળવવાની ઇરછા વધતી જાય છે . અને જેટલી મેળવવાની ઇરછા વધતી જાય છે તેટલી મળવાની સંભાવના ઘટતી જાય છે . આનાથી ઉલટું છે જેટલું તમે ઓછું માંગો અથવા ના માંગો તો સામેથી મળે છે . કહેવત છે કે ના માંગ્યું દોડતું આવે !અને જયારે આપણને આ સમાજ માં આવી જાય ત્યારે પ્રર્થાનામાંથી માંગણ વૃતિ નીકળી જાય છે
પણ યક્ષ પ્રશ્ન  એ છે કે જયારે કોઈ દુ:ખી હોય ત્યારે માંગ્યા વગર  પ્રાર્થના કેવી રીતે કરી શકે ? દુઃખનો સ્વભાવ  સંકોચાવાનો છે જયારે આપણે દુ:ખી હોયે ત્યારે આપણે સંકોચાતા હોયે છીએ અને અલિપ્ત રહેવા ઇરછીએ છીએ સમાજથી દુર જઈ સંતાવા માંગીએ છીએ જેથી કરીને કોઈ આપણી સાથે વાત ના કરે કે આપણ ને મળે નહિ. આપણે દુ:ખ માં છીએ તે બતાવવા નથી માંગતા અને સંતાઈ જઈએ છીએ. આજ કારણ છે કે દુઃખમાં લોકો આપઘાત કરવાનું વિચારે છે કે જેથી ફરી કોઈ મળીન શકે કે ન કોઈ જોઈ શકે. આમ દુ:ખ સંકોચે છે , દુ:ખ દ્વાર બંધ કરે છે, દુ:ખ ઇરછે છે કે તમે અંધારામાં બેસો. ના કોઈને હળો મળો. ના કોઈ સાથે વાત  કરો. ટૂંક માં દુ:ખ આત્માહત્યા શીખવે છે
જયારે ઈશ્વર મધુર સુગંધ ની જેમ ચારે તરફ પ્રસરેલા છે . .. પરમાત્મા અનંત તરફ ફેલાયેલ છે …કોઈ સીમા નથી માટે.તેમને તમે કોઈ એક સીમા માં કેદ ન કરી શકો . પૃથ્વી ની દરેક વસ્તુ સ્થિતિ માં ભગવાન મોજુદ છે છતાં સીમા પામવી મુશ્કેલ છે .ટૂંકમાં પરમાત્મા નો  સ્વભાવ વિસ્તાર છે . હિંદુ ધર્મ માં ઈશ્વર માટે એક શબ્દ છે બ્રહ્મ . બ્રહ્મ નો અર્થજ વિસ્તરી શકે તેવો થાય છે .જયારે દુ:ખ માં સંકોચાઈ જઈએ છીએ માટે દુ:ખ માં ઈશ્વર થી તદ્દન વિરુદ્ધા દિશા માં હોઈએ છીએ .હવે તમેજ કહો દુ:ખ માં ઈશ્વર ને કેવીરીતે પામી શકીએ ? સુખનો એક અર્થ છે ફેલાવવું સુખમાં આપણને પ્રસરવું ગમે છે સુખમાં આપણે સહુને મળવા માંગીએ છીએ સુખમાં આપણે સગા સંબંધી , સ્નેહીજનો , મિત્રો સાથે નિકટતા કેળવવા ઇચ્છીએ છીએ . સુખમાં આપણને બધા સાથે હળવું મળવું , સંગીત માનવું , વાતો કરવી ગમે છે .સુખી વ્યક્તિ સુખ વહેચવા ઈચ્છે છે કેમકે સુખ એકલા માણી શકાતું નથી કે સુખ એકલા અનુભવી શકાતું નથી જુયારે દુ:ખ વહેચી શકાતું નથી, એકલાજ ભોગવવું પડે છે કેમકે તે અંગત બાબત છે ..આમ સુખ એ વિસ્તાર દર્શાવે છે , પ્રસાર દર્શાવે છે. આપણે આપણી આસપાસ ના લોકોમાં આપણા સુખનું પ્રતિબિંબ જોવા ઇચ્છીએ છીએ . ટૂંકમાં સુખ હમેશા વહેચવાથી  અનુભવી શકાય છે .સુખમાં આપણે હમેશા ફેલાવાનું પસંદ કરીએ છીએ છે .અને ફેલાવાની ક્રિયા પ્રાર્થના બની શકે કેમકે હવે આપણે સુક્ષ્મ અર્થમાં પરમાત્મા જેવા છીએ ઈશ્વર સાગર છે , તો આપણે એક માત્ર બુંદ છીએ પણ તેનો અંશ છીએ તે નક્કી કેમકે તમે પણ ઈશ્વર ની જેમ ફેલાવ પસંદ કરો છો હવે આપ ઈશ્વરની સાથે એક ડગલું ભરી શકો છો અને એક ડગલું તેમની સાથે ચાલી લીધું તો તમે ક્યારેય પરત ફરવાનું વિચારી પણ નહી શકો કેમ કે એક ડગલું તેમની સાથે ચાલવાથી જે અસીમ તૃપ્તિ પ્રાપ્ત થાય છે , જે સુખની લબ્ધી પ્રાપ્ત થાય છે , જે અનુભૂતિ મહેસુસ થાય છે તે એટલી માતબર હોય છે કે તમે પાછા ફરી શકતા નથી , વિચારી પણ શકતા નથી એક પગલું તેમની તરફ ભરી લીધું, ઈશ્વર સાથે ,  આ પગલું ભરવુંજ અગત્યનું હતું . એક વખત જેની જીભે સ્વાદ લાગી ગયો તે જાણી શકે કે પ્રાથના શું છે !  સુખમાં એક કદમ ઈશ્વર સાથે ચાલી શકાય છે પણ દુઃખમાં નહી ! દુઃખમાં આપણે  સંકોચવા માંગીએ છીએ .દુઃખમાં આપણે ચાલવાજ સમર્થ નથી હોતા . દુઃખમાં આપણે  પક્ષઘાત થયો હોય જેવી સ્થિતિ માં હોયે છીએ તેથી ચાલવા માટે અસમર્થ હોયે છીએ . જયારે આપણે ચાલી શકીએ તે સ્થિતિ માં હોયે છીએ , જયારે આપણે નાચી શકીએ છીએ , જયારે આપણે શક્તિ થી ભરેલા હોયે છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આ સમય શ્રેષ્ટ સમય છે ઈશ્વર તરફ જવાનો .પણ ખાટલે મોટી મોકાણ એ છે કે સુખમાં ઈશ્વર  યાદજ નથી આવતા ફક્ત દુઃખમાં  યાદ આવે છે અને એટલે ઈશ્વર આપણને પ્રાપ્ત થતા નથી .

આકાશમાં પૂર્ણિમાનો ખીલેલો ચંદ્ર હોય અને તેનું પ્રતિબિંબ  સરોવર શાંત જળ માં દિશે તેવું આનંદનું છે .આ આકાશ આનંદ થી ભર્યું ભર્યું છે  અને  આપણા મનના તરંગોના સરોવર માં તેનું પ્રતિબિંબ દેખાયએ,  તે સુખ છે.  અને જયારે આ પ્રતિબિંબ ખોવાઈ જાય ત્યારે એ દુખ છે.  જયારે પ્રતિબિંબ દેખાતું હોય ત્યારે આ પ્રતિબિંબ ના સહારે હકીકત ના ચંદ્ર ને શોધવો સરળ છે , શોધી શકાય છે , શક્યતા છે કેમકે ત્યારે તમારી અને હકીકત ના ચંદ્ર ની વરચે થોડો સંબંધ છે ભલે પ્રતિબિંબનોજ કેમ ન હોય પણ છે ! આ સંબંધ  સ્વપ્નીલ હોય છે જો કોઈ શાંત જળને હલાવી દેતો પ્રતિબિંબ નહી દેખાય , સુખ નહી દેખાય ! પરંતુ  સરોવર ના જળ શાંત હશેતો પ્રતિબિંબ ના સહારે હકીકત ના ચંદ્ર ને શોધી શકીશું !
સુખ સંસારમાં પરમાત્મા ની ઝલક માત્ર છે જયારે ઝલક દેખાય ત્યારેજ પ્રાર્થના કરી દેવી કારણકે ત્યારે તે તમારથી ઘણાય નજીક છે. ઝલક ખોટી હોય છે પણ જેની ઝલક છે તે તદ્દન સાચા  છે માટે જયારે ઝલક થી ભરેલા હોવ ત્યારે બદ્ધું છોડીને પ્રાર્થનામાં લીન થઇ જાવ પણ મોટી તકલીફ એ છે કે સુખમાં એની જરૂરત નથી જણાતી .એક સાંજે માં એ તેના પુત્રને કહ્યું કે તે આજે ઈશ્વર ને ધન્યવાદ નથી આપ્યા , તે પાડ નથી માન્યો , તારે ઈશ્વરનો આભાર માનવો જોઈએ, તારે પ્રાર્થના કરવી જોઈએ  કેમકે આપણા ગામ માં એવા કેટલાય બાળકો છે કે તેમને બે ટંક જમવાનું પણ નસીબ નથી થતું. તે ચીથરેહાલ દિશે છે જયારે ઈશ્વરે તને બદ્ધુંજ આપ્યું છે. આ સાંભળી  બાળકે  ભોળાભાવે  તેની માં ને કહ્યું ” માં મને એ સમજાતું નથી કે જેની પાસે નથી તેને પ્રાર્થના કરવી જોયે કે જેની પાસે છે તેને ?”  ”તને નથી લાગતું કે પ્રાર્થના તો તેને કરવી જોઈએ કે જેની પાસે નથી ! ” શું  આપને નથી લાગતું કે આપણા બધાની મન:સ્થિતિ  આ બાળક જેવી છે ! જયારે આપણે સુખી હોયે છીએ ત્યારે પ્રાર્થના નથી યાદ આવતી પણ જેવું દુ:ખ આવે કે પ્રાર્થના તુરંત યાદ આવી જાય છે !
જયારે દરિયામાં મોજા ઉછળતા હોય , જયારે આંધી ફુંકાઈ હોય , જયારે હવા પ્રતિકુળ હોય , જયારે ઊંચા ઊંચા મોજા ઉછળતા હોય ત્યારે તમારી નાની એવી નાવ  લઈને દરિયા માં ઝંપલાવશો તો ડૂબી જાવાની પૂરી શક્યતા છે ! જયારે મોકો હોયછે નાવ લઇ દરિયો ખેડવાનો , જયારે અનુકુળ વાતાવરણ હોય ત્યારે હલેશા પણ નહી મારવા પડે , મંદ મંદ લહેરો પર સવાર થઇ ને તમે આગળ વધી શકશો પણ  ત્યારે યાદ નથી આવતું  ઈશ્વર તરફ જવાનુ, ત્યારે યાદ આવે છે મધુશાલા ! ત્યારે યાદ આવે છે શબાબ અને કબાબ ! ત્યારે યાદ આવે છે રંગીન રાતો, મિજબાની ! આમ જયારે આપણે સ્વસ્થ હોયે છીએ ત્યારે સમયની કમી લાગે છે અને દોડીએ છીએ મધુશાલા તરફ પણ જયારે પગ ચાલતા નથી , પથારી વશ હોઈએ , અપંગતા મહેસુસ કરીએ , અને બીજું કઈ સુજે  નહી ત્યારે પ્રાર્થના યાદ આવે છે ! ત્યારે મને યાદ કરો છો ! તમે કોને મુર્ખ બનાવો છો ?
પ્રાર્થના જયારે તમારી પ્રથમ પસંદગી હશે , જયારે પ્રાર્થના તમારા હૃદયના ઊંડાણ માંથી નીકળશે , જયારે તમારું અસ્તિત્વ પ્રાર્થના ગાવા લાગશે ત્યારે તે ઈશ્વરના દરબારમાં ધ્યાનમાં લેવમાં આવશે , ત્યારે એ ઈશ્વરના કાનમાં સંભાળશે ! અસ્વસ્થ દશા અને દિશામાં પ્રાર્થના ઈશ્વર સુધી પહોચતી નથી !
 આતો એવું છે વૃક્ષને પાણીન આપો, સુખી જમીન હોય, અસહનીય ગરમી અનુભવાતી હોય, વૃક્ષ સુકાઈ ગયેલ હોય અને વૃક્ષ ઈચ્છે કે તેના પર ફૂલ આવે ! સંભવ  છે ? જરાય શક્યતા લાગે છે ? ફૂલ તો વૃક્ષના સ્વાસ્થયમાંથી ઉત્પન થાય છે. ફૂલ તો વૃક્ષના આનંદ નું દાન છે ! વૃક્ષ જયારે આનંદથી ભરાઈ જાય છે, ઉર્જાથી એટલા લથબથ થઇ ગયા છે કે તે હવે આપવા ઈચ્છે છે , તે વહેચવા ઈચ્છે છે , તે મધુર સુગંધથી પોતાને ચોતરફ પ્રસરવા ઈચ્છે છે,  વૃક્ષ ઈચ્છે છે કે તેના અસ્તિત્વ નો અહેસાસ બધા કરે ત્યારે તે મધ મધતા ફૂલ આપે છે !
જેમ વૃક્ષમાં ફૂલ હોય છે તેજ રીતે જીવન માં પ્રાર્થના હોય છે જયારે તમે ભરેલા હોવ , સંપૂર્ણ છલોછલ હોવ , જયારે તમારી ચારેય તરફ ઉર્જા પ્રવર્તમાન હોય, જયારે તમે યુવાન ની જેમ થનગનતા હોવ, ત્યારેજ  જીવન માં ફૂલ , ત્યારેજ પ્રાર્થના રૂપી ફૂલ શક્ય છે, ત્યારેજ પ્રાર્થનાના  ફૂલ ઉદભવે  છે  !
જયારે જીવનની બધી દિશાઓ ને પ્રાર્થનાની દિશામાં ડુબાડી દેશો, જયારે પ્રર્થાનાજ તમારો પ્રેમ , જયારે પ્રાર્થનાજ તમારું ધન, જયારે પ્રાર્થનાજ તમારું પદ, જયારે પ્રાર્થનાજ તમારી પ્રતિષ્ઠા બની જાય , જયારે પ્રાર્થનાજ તમારું સર્વસ્વ બની જાય, જયારે તમે સંપૂર્ણ મારા મઇ થઇ જાવ , ત્યારેજ ઈશ્વર, ખુદા,ગોડ, તીર્થંકર, બુદ્ધ તમારી પ્રાર્થના સાંભળશે, ત્યારેજ તમારી પ્રાર્થનાનો ઉત્તર વાળશે !

લ્યો ઘણો  સત્સંગ  કર્યો , કદાચ તમને હવે સમજ પડી ગઈ હશે કે તમારે ક્યારે , ક્યાં અને કેવી રીતે પરમાત્માને અરજ પહોચાડવી  મારા દ્વારા , પ્રાર્થના દ્વારા. તો  હવે હું રજા લઉં?

सुमिरन  सुरत  लगाईके , मुख ते कछु न बोल

बाहर   के    पट   देइके, अंतर   के   पट   खोल
माला  तो  कर  में  फिरें , जीभ फिरें मुख माहि
मनुआ तो दहुंदिसे फिरे , यह तो सुमिरन नाही
जप  मरें  अजपा  मरें,  अनहद  भी  मरि जाय
सुरत  समानी  सब्द में , ताहि कल नाही खाय
तू   तू   करता   तू  भया,  मुझ  में   रही  न  हूँ
वारी   तेरे   नाम   पर,  जित   देखू    तित  तूं
                                                – श्री संत कबीर

લેન્ડસ્કેપ ફોટોગ્રાફી

ફોટોગ્રાફી એ એક કળા છે. ખુબ ઓછા લોકો હશે કે જેમને જિંદગી માં ક્યારેય ફોટો ન પડાવ્યો હોય . અને ઘણાય એવા હશે કે ફોતોગ્રફ્ય નો શોખ હશે પણ તકનીકી જાણકારી ન હોય . આમ જુઓં તો ફોટોગ્રાફી એ કળા અને વિજ્ઞાન નો સંગમ છે અને આજ આપણે બંને વિષે ફોટોગ્રાફી ના સિદ્ધહસ્ત એવા શ્રી શકીલભાઇ ના લેન્ડસ્કેપ ફોટોગ્રાફીના બ્લોગ દ્વારા  તદ્દન સરળ અને એપણ ગુજરાતી ભાષામાં  સમજવાની કોશિશ કરીએ ! જોજો હવે જયારે પણ ફરવા જાવ ત્યારે લેન્ડ સ્કેપ ફોટોગ્રાફી કરો ત્યારે આ જરૂર થી ધ્યાન રાખશો અને દિલખુશ ફોટોગ્રાફી કરી શકીલભાઇ ને યાદ કરજો !! કરો ક્લિક  લેન્ડસ્કેપ ફોટોગ્રાફી. લીંક ને પહોચી જાવ શકીલભાઇ ના બ્લોગ પર !!!

 

જવું છે અધભૂત દ્વીપ બાલીની મુલાકાતે ? ભારતીય પ્રવાસી માટે સંપૂર્ણ ગાઈડ

સ્થળ :  બાલી
બાલી..અધભૂત દ્વીપ ! અનુપમ સૌન્દર્ય ! ખળ ખળ વહેતા ઝરણા નો દ્વીપ ! જાણે લીલો નાઘેર ! કુદરતે અખૂટ સૌન્દર્ય  છૂટે  હાથે વેર્યું છે ! ઉછળતા મોજા નું લયબદ્ધ સંગીત, મનના બધાજ ઉદ્વેગો ભુલાવી એક ધ્યાને સાંભળવા મજબુર કરે ! મન તો હવાથી પણ હળવું બની પતંગિયાની જેમ આમ તેમ ઉડવા માંડે ! રંગબેરંગી રંગોની છોળોના ઘૂઘવતા સાગરમાં મનભરી સ્નાન કરી તનના રોમે રોમ આનંદનો ઉત્સવ મનાવતા નાચી ઉઠે ! રંગ બદલતા આકાશને મનભરીને માણવાનો પુરતો અવકાશ પણ ! હરિયાળી પર્વતમાળા અને જીવંત જ્વાળામુખીમાંથી નીકળતી ધુમ્રસેર આહ! લાદક સૌન્દર્ય સર્જે છે ! આ જોઈને મન તો ઝૂમી ઉઠે અને ઉમંગો ના તાર પણ ઝણઝણી ઉઠે અને હા કલા- વૈભવ ની તો વાત કેમ ભૂલાય ! ચાહે કાસ્ટ કલા હોય કે બાટિક હોય કે અવનવા ઉમંગો ને મૂર્તસ્વરૂપ આપતા કલારસિક મનાવ સમુદાય હોય બદ્ધુજ છે આ નાનકડા બાલી પાસે ! કદાચ ભારત બહાર આ જ એક દ્વીપ એવો છે કે જેમાં ૮૮% થી વધુ હિંદુ વસ્તી હોય ! ખાસ કરીને ઇન્ડોનેશિયા માં ૨૦૦૯ માં થયેલ વસ્તી ગણતરી મુજબ જાવા, સુમાત્રા, કાલીમંતન અને સુલાવેશી ટાપુઓમાં હિંદુઓંની સંખ્યા માં ત્રણ ઘણો વધારો થયો હતો . આજે પણ બાલીમાં સૌથી વધારે હિન્દુઓં (૧૦.૧૪ લાખ ) વસે છે !

પ્રાચીન બાલીમાં કુલ નવ હિન્દૂ સંપ્રદાયો અસ્તિત્વમાં છે, નામ અનુસાર પસુપતા , ભૈરવા , શિવા  શિદનતા , વૈષ્ણવ  , બોધ , બ્રહ્મા, રેસી, સોરા અને ગનાપત્ય . દરેક સંપ્રદાયના  તેમના અંગત દેવ તરીકે ચોક્કસ દેવ ને આરાધે છે.બાલીનીઝ સંસ્કૃતિ ભારતીય અને  ચિની, અને ખાસ કરીને હિન્દૂ સંસ્કૃતિ દ્વારા ખૂબ પ્રભાવિત છે , ૧લી સદીની આસપાસ થી ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થવાની શરૂઆત થઇ હતી . બાલી દ્વીપ  (“બાલી ટાપુ”) નામ  ઇસ.૯૧૪ માં મળી આવેલ  બ્લાન્જોંગ  શીલાલેખ શ્રીકેસરી વાર્માંદેવા દ્વારા લખવામાં આવેલ  અને તેમાં ”વાલીદ્વીપા ” નામ નોધાયેલ છે આ ઉપરાંત વિવિધ શિલાલેખો માં બાલી નામ મળી આવે છે, આ ઉપરાંત એવું કહેવાય છે કે ચોખા નો પાક લેવા માટે સિંચાઈ પદ્ધતિ ‘સુબાક’ (સુબાક એં બાલી ટાપુ પર ડાંગર ના ખેતર માટે પાણીની સિંચાઈ વ્યવસ્થાપન પધ્ધતિનું નામ છે.) ઉપર પણ ભારતીય પરંપરાની અસર છે .કેટલીક  ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા હજુ પણ અસ્તિત્વમાં  છે . પૂર્વ જાવામાં પર હિન્દૂ મજાપહિત  સામ્રાજ્ય (ઇસ ૧૨૯૩ -ઇસ ૧૫૨૦  ) ૧૩૪૩  માં બાલીનીઝ કોલોની સ્થાપના કરી હતી. જ્યારે સામ્રાજ્ય નો વિનાશ થયો ત્યારે બૌદ્ધિકો, કલાકારો, સંતો , સંગીતકારોએ ૧૫મી સદીમાં જાવાથી  બાલી હિજરત કરી હતી.

શ્રી કેસરી વાર્માંદેવા  બાલીના  પ્રથમ રાજા હતા જેમણે શિલાલેખ તૈયાર કર્યો હતો જે સંસ્કૃત અને લોકલ  બાલીની  ભાષા માં બનાવામાં આવ્યો હતો . તેમણે દક્ષિણ સનુર  માં ૯૧૪  સીઇ માં મુકાવ્યો હતો .બેલાન્જોંગ  આધારસ્તંભ (“પ્રસસ્તી  બ્લાન્જોંગ ”)  બે લીપી  નો ઉપયોગ કરી ને બનાવામાં આવ્યો હતો , જે નાગરી લીપી અને જૂની  બાલીનીઝ લીપીનો   (કે જે બંનેબાલીનીઝ અને સંસ્કૃત લખવા માટે વપરાય છે) નો ઉપયોગ થયો હતો. આ શિલાલેખ ઉપરથી ફલિત થાય છે કે તેઓ સંજય વંશ કે જે તેસમયે સેન્ટ્રલ જવા માં રાજ્ય કરતો હતો સાથે એક ય બીજી રીતે જોડાયેલ હતા એટલુજ નહિ પરંતુ તેઓ ભારતીય શક કેલેન્ડર નો ઉપયોગ કરતા હતા અને શિલાલેખમાંપણ શક કેલેન્ડર અનુસાર તારીખ છે. શ્રી કેસરી એ એક મજબૂત રાજ્યની નીવ નાખી હતી

પાસપોર્ટ / વિઝા નોંધ: મોટા ભાગની રાષ્ટ્રીયતા ના લોકો  ઇન્ડોનેશિયામાં પ્રવેશવા માટે આગમન સમયે  30-દિવસ ના વિઝા મેળવવા માટે નીચેની શરતો નું પાલન કરતા હોવા જોઈએ
(i) તેઓ મુખ્ય ઇન્ડોનેશિયન એરપોર્ટ પર આવે ત્યારે ; (ર) તેમના પાસપોર્ટ માંઓછામાં ઓછું એક વિઝા પેજ , વિઝા માટે કોરું હોવું જોઈએ . (III) તેઓ  પાસે આગળ જવા માટે રીટર્ન  ટિકિટો હોવી જોઈએ અને તેમના આગામી લક્ષ્ય માટે જરૂરી મુસાફરી દસ્તાવેજ હોવા જરૂરી છે અને (iv) તેઓ પાસે ઇન્ડોનેશિયમાં રહેવા માટે પુરતું  ભંડોળ હોવા ના પુરાવા બતાવવા માટે   (ઓછામાં ઓછા ૧  ,૦૦૦  ડોલર અથવા માન્ય ક્રેડિટ કાર્ડ હોવું જોઈએ ) વિઝા ફી ૨૫  ડોલર છે. વધુમાં વધુ ૩૦  દિવસ નું વિઝા એક્સટેન્શન શક્ય છે .મુલાકાતીઓએ સ્થાનિક પોલીસ ઓફિસમાં જાણ કરવી જ જોઈએ.નોંધ કરો કે પીળા તાવ રસીકરણ પ્રમાણપત્ર જરૂરી છે, જો છોડીને અથવા ચેપ વિસ્તાર દ્વારા transiting છ દિવસની અંદર ઇન્ડોનેશિયા પહોંચ્યા. નોંધ: એ ખૂબ અગત્ય નું છે કે તમારો પાસપોર્ટ ઓછામાં ઓછા છ મહિના પુરતો  માન્ય હોવો જોઈએ જોકે  ઇમીગ્રેશન અધિકારીઓ ઘણી વખત ટ્રાવેલ એજન્ટ અને સત્તાવાર સ્ત્રોત દ્વારા જતા લોકો માટે અલગ નિયમો લાગુ પડે છે.

એમ્બસ્સી ઓફ  ઇન્ડિયા : જલન  રાય  પુપુતન  રેનોન  ૪૨ -૪૪ ,  ડેનપાસાર , બાલી
ફોન   +૬૨ ૩૬૧ ૨૪૧  ૯૭૮

આઈ એસ ડી કોડ : 00૬૨

સમય માં ફેરફાર : ઇન્ડિયન સ્ટાન્ડર્ડ  ટાઇમ + ૨.૫ કલાક { ઇન્ડોનેશિયા ત્રણ ટાઈમ ઝોનમાં છે  . જીએમટી (વેસ્ટ, જાવા અને સુમાત્રા સહિત) +૭ , +૮  જીએમટી (સેન્ટ્રલ, બાલી, સુલાવેસી  અને લોમ્બોક  સહિત), +9 જીએમટી (પૂર્વ, ઈરિયન  જયા સહિત).}

ચલણ : રૂપિયારૂપિઆ (IDR) સત્તાવાર ચલણ છે અને 100 સેન વિભાજિત. વિદેશી ચલણ સરળતાથી બેન્કો હોટલ, મુખ્ય પ્રવાસન સ્થળો અને નાણાં ચેન્જેર્સ ખાતે આદાનપ્રદાન કરી શકાય છે; U.S. ડોલર સૌથી વધુ સ્વીકાર્ય ચલણ છે. કેશ (રોકડ )નો વિનિમય દર ટ્રાવેલર ચેક કરતા સારો મળવાની શક્યતા છે . આ ઉપરાંત એવી પણ શક્યતા છે કે ટ્રાવેલર ચેક  દરેક જગ્યાએ ના પણ સ્વીકારે . આમ છતાં જો  ટ્રાવેલર ચેક  લેવા હોય તો  U.S. ડોલર માં લેવા જોઈએ . મોટા ભાગની હોટલ રેસ્ટોરન્ટ, સ્ટોર્સ અને પ્રવાસી વેપાર ખાધ્યપ્રબંધના ખાતે ક્રેડિટ કાર્ડ સ્વીકારવામાં આવે છે. એટીએમ મોટા ભાગ ના મુખ્ય કેન્દ્રો ઉપર ઉપલબ્ધ છે. બસ ભાડા ,મંદિર દાન અને ઠંડા પીણાં જેવા વસ્તુઓ માટે નાના  સિક્કા અને ઓછી કીમત ની નોટ રાખવી  જરૂરી છે

વિનિમય દર : રૂપિયા  ૧=  રૂપિયા (આઈ ડી આર )૧૭૦ .૪૧૫  આઈ ડી આર

http://www.xe.com/ucc/convert/?Amount=100&From=INR&To=IDR

ભાષા : બહાસા ઇન્ડોનેશિયા સત્તાવાર ભાષા છે, પરંતુ ઘણી બોલી બોલાય છે. બાલી, જકાર્તા અને પ્રવાસન રીસોર્ટ માં ઈંગ્લીશ પણ સારી રીતે બધા સમજી શકે છે

સલામતી: ઓક્ટોબર 2005 માં બાલી માં બોમ્બ ધડાકા બાદ, ત્યાં આતંકવાદના ઊંચા જોખમ વાળા દેશમાં સમાવેશ થાય છે અને અહેવાલો સૂચવે છે કે આતંકવાદીઓ પશ્ચિમી અને પશ્ચિમી હિતો પર હુમલા નું વધુ આયોજન કરવા પ્રયત્ન કરતા હોય છે જાહેર સ્થળોએ  ચોક્કસ સાવધાની રાખવી જોઈએ . ખાસ કરીને પરિવહન ટર્મિનલ, શોપિંગ મોલ્સ અને જાહેર ઇમારતો, રેસ્ટોરાં, હોટલ, અને પ્રવાસન વિસ્તારોમાં મનોરંજન સ્થળોની સહિતના  જાહેર સ્થળોએ ખાસ સાવધાની રાખવાની સલાહ છે.  પૂર અને ભૂસ્ખલન ડિસેમ્બર અને માર્ચ વચ્ચે વરસાદી ઋતુ દરમ્યાન વારંવાર થાય છે. ઇન્ડોનેશિયન એરલાઈન્સમાં( ગરૂડા એરલાઈન્સ) મુસાફરી કરવી સલાહ ભર્યું નથી

રીત રીવાજ : ઇન્ડોનેશિયન લોકો સામાન્ય રીતે મૈત્રીપૂર્ણ અને વિવેકી છે તેઓ સમજે છે કે પશ્ચિમી સંસ્કૃતિ પોતાના કરતા અલગ છે, જો તમે તેમના રિવાજોનો આદર કરશો તો  તેમને ગમશે . ધાર્મિક રિવાજો ખાસ કરીને રમાદાન( રમઝાન ) મહિનામાં ખાસ કરીને સન્માન કરવું જોઇએ, રમઝાન મહિના માં ખાવા પીવા અને ધૂમ્રપાન પર  ડેલાઇટ ના સમય દરમિયાન વર્જિત છે કારણ કે તે મુસ્લિમ સંસ્કૃતિ દ્વારા પ્રતિબંધ છે .વપરાશકર્તાઓ એ હંમેશા વિવેકી વર્તન કરવું જોઈએ . શક્ય હોય ત્યાં સુધી લાગણીનું જાહેર પ્રદર્શન ટાળવું જોઈએ .  વસ્તુ ની આપ લે માટે ડાબા હાથનો  ઉપયોગ અસભ્ય માનવામાં આવે છે. સ્ત્રીઓએં હમેશા પૂજા ના સ્થળે અને  મુસ્લિમ વિસ્તારોમાં પહેરવેશબાબત માં ખાસ કાળજી લેવી, ખભા અને ખાસ કરીને પગ ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા જોઈએ ( બાલી માં ૮૦ % હિંદુ વસ્તી હોવાથી અહી જરૂર નથી પણ બાલી સિવાય ઇન્ડોનેશિયા માં ક્યાય પણ જવું હોયતો ખ્યાલ માં રાખવું )   અહી  જુગાર ગેરકાયદેસર છે.

ક્યારે જઈ શકાય ?

વર્ષાઋતુ : ડિસેમ્બરથી  માર્ચ
ડ્રાઇ સીજ઼ન (હોટ) : અપ્રિલ થી નવેમ્બેર

જુલાઈ થી નવેમ્બર સુધી નો સમય શ્રેષ્ટ સમય ગણાય છે

કેવી રીતે જવાય  :

હવાઈ માર્ગ : મુંબઈ અને દેલ્હી થી સીધી કુલાલમ્પુર, સિંગાપોર અથવા તો બેન્ગ્કોક માટે ફ્લાઈટ  લઇ ત્યાંથી ડેનપાસાર ની ફ્લાઈટ  મળી શકે છે

કુલાલમ્પુર,  સિંગાપોરથી અથવા બેંગકોકથી સીધી ફ્લાઈટ છે

http://airasia.com

http://www.malaysiaairlines.com/in/en.html

Malaysian Airlines

Local: 1300 88 3000 Malaysia

International: +60 (0)3 7846 3000

Air Asia

Local: 1300 88 99 33Malaysia

Local :18605008000 India

International: +60 03 7884 9000

વધુ માહિતી માટે :http://www.balitourismboard.org/bali_how-to-get-to-bali.html

નગુરાહ રાય  એરપોર્ટ

સ્થાન: આ એરપોર્ટ આઠ (૧૩ કી મી ) માઇલ દેનપસાર  દક્ષિણ પશ્ચિમ અને એક અને અડધા (૨ .૫ કિમી )  માઇલ, કુતા દક્ષિણ આવેલું છે.

સંપર્ક: ફોન: +૬૨  (૦ ) ૭૫૧  ૩૬૧  ૦૧૧ .

ટર્મિનલ વચ્ચે પરિવહન છે: ટર્મિનલ એકબીજા સાથે સરળ વૉકિંગ અંતર થી જોડાયેલ  છે.

શહેરના મેળવી: બસ સેવાઓ દેનપસારથી શહેર કેન્દ્ર અને કુતા  સહિત મુખ્ય હોલીડે રીસોર્ટ માટે નિયમિત મળી રહે છે . આ ઉપરાંત મીટરવાળી ટેક્સીઓ ઉપલબ્ધ છે

કાર રેન્ટલ: અવિસ , હર્ટ્ઝ વિગેરે કંપની  ટોયોટા કાર અને સ્થાનિક કાર ભાડા કંપનીઓ  એરપોર્ટ પર ભાડે આપે છે.

સુવિધાઓ: ત્યાં દુકાનો, રેસ્ટોરાં, બેન્કો અને  મની એક્ષચેન્જ ની સુવિધા પણ છે. પોસ્ટ ઓફિસ, ફાર્મસી,  પ્રવાસન માહિતી અને હોટેલ આરક્ષણ કિઓસ્ક જેવી અન્ય સુવિધાઓ સમાવેશ થાય છે.

પાર્કિંગ: આ ટર્મિનલની  ઇમારતો સામે વિશાળ પાર્કિંગ લોટ છે.

પ્રસ્થાન કર : આઈ ડી આર ૧૫૦ ,૦૦૦  (આંતરરાષ્ટ્રીય પ્રવાસી );  આઈ ડી આર  ૩૦ ,૦૦૦  સ્થાનિક પ્રવાસી

વેબસાઈટ: www.ngurahrai-airport.co.id


વીજળી: ૧૨૦ /૨૩૦ વોલ્ટ , ૫૦  હઝ . 

મુખ્ય આકર્ષણો :

સૂર્યાસ્ત સમયે તનાહ  લોટ

સૂર્યાસ્ત સમયે તનાહ  લોટ
તનાહ  લોટ
તનાહ  લોટ અર્થ ‘સમુદ્ર મધ્ય જમીન’  થાય  છે . એક ઉત્કૃષ્ટ દરિયાઈ બાલી ટાપુના બોલ રોક રચના ઉપર મંદિર બંધાયેલ છે. આ એક લોકપ્રિય પર્યટન સ્થળ છે અને સુંદર ફોટાગ્રાફી  માટે એક મહત્વ નું સ્થાન છે તનાહ  લોટ ઝેરી દરિયાઇ સાપ ​​તથા ખડકાળ ટાપુ નું દુષ્ટ આત્માઓ અને ઘૂંસણખોરો મંદિર રક્ષણ કરતુ  હોવાનું માનવામાં આવે . આ મંદિર ૧૬  મી સદીમાંબનાવવામાં આવ્યું હતું

તનાહ  લોટ સનસેટ ટુર (રોજે  ૧૪ .૩૦ કલાકે સમય – ૭  કલાક)  2 વ્યક્તિઓ
એક બપોરે પ્રવાસ તનાહ  લોટ માં ઉષ્ણકટિબંધીય સનસેટ જોવા માટે , મેન્ગ્વી  માં

માઉન્ટ બતુર  ©  ત્રોપીકા લીવીંગ
ગુનુંગ  બતુર  જ્વાળામુખી
ગુનુંગ  બતુર  જ્વાળામુખી હજુ પણ-સક્રિય છે, બાલીમાં આની બીજા પવિત્ર પર્વત તરીકે ગણના થાય છે અને ટાપુના  મહિલા તત્વનું પ્રતીક છે, જ્યારે પડોશ માં આવેલ નાના જ્વાળામુખી ગુનુંગ અગુંગ ,પુરુષ તત્વ પ્રતીક છે.  પર્વતાહકો માટે  મહાન સ્થળ છે માઉન્ટ બતુર  ઉપર  ચાલવું સરળ નથી, પરંતુ તેનો નઝારો જોવાલાયક હોય છે અને જો તમે નસીબદાર છો તમે પણ થોડા વાંદરાઓ જોઈ શકો છો . ત્યાં જેઓ બદલે એક કાર અને જૂના ખાડો તળાવ બતુર  ઓવેર્લૂકીંગ  રિમ માટે ડ્રાઈવ ભાડે કરશો માટે એક મહાન ચોકી બિંદુ છે. આ સૂર્યોદય જોવા માટે આગ્રહણીય સ્થળ છે.

પુરનું બેસાકીહ
પુરનું બેસાકીહ
સ્થાનિક રીતે બાલી ના માતા મંદિર તરીકે ઓળખાય છે, પુરનું બેસાકીહ, માઉન્ટ અગુંગના ઢોળાવ પર આવેલું છે અને સૌથી વધુ પ્રચલિત છે અને બધા બાલીનીઝ મંદિરો પવિત્ર  છે. આ લગભગ ૧૪ મી સદી માં બંધાયા હતા . આ ત્રણ મુખ્ય મંદિરો શિવ બ્રહ્મા, અને વિષ્ણુ સમર્પિત છે, અને અન્ય આસપાસ ૧૮ અલગ અલગ અભ્યારણ રેગેન્ચીએસ  અને જાતિ સમૂદાય સાથે સંકળાયેલા  છે

કીન્તામાની  અને બેસકીહ  (દરરોજ  ઉપડે છે  ૦૮ .૩૦   સમય અવધી ૮  કલાક) ટુર .. / વ્યક્તિ – મિનિટ 2 વ્યક્તિઓ
સોના અને બાલીનીઝ પેઇન્ટિંગ માટે , ચાંદી  ઉપર  કારીગીરી    , બતુંઅન , લાકડા ઉપર કોતરકામ, તો બપોરના માટે ૧૧  મી સદી બેદુલું  ગામ, કીન્તામાની  માં એલિફન્ટ કેવ, પૂર્વમાં ડ્રાઈવ બાલી બેસકીહ  મંદિર, કેર્તાગોસા   બધી મંદિર માતા મંદિર મુલાકાત માટે Mas માટે Batubulan, Celuk માં બરોંગ  નૃત્ય વોચીંગ  જૂના હોલ ન્યાય.
ઉલુવાતું  સનસેટ ( દરરોજ  ઉપડે છે  ૧૭ .૦૦  સમય અવધી  ૪  કલાક) ટુર .. / વ્યક્તિ – મિનિટ 2 વ્યક્તિઓ
સુંદર ઉલુવાતું  ક્લિફ મંદિર મુલાકાત જ્યારે ઉષ્ણકટિબંધીય સૂર્યાસ્ત માણી. સ્થાનિક રેસ્ટોરાં પર ડિનર.

સીન્ગરાજા    ( દરરોજ  ઉપડે છે ૦૯ ,00 કલાક) લોવીના  .. / વ્યક્તિ – મિનિટ 2 વ્યક્તિઓ

સંપૂર્ણ માટે બેદુગુલ  લેક બેરાતન , ગીતગીત  ધોધ, બંજર  ગામ, લોવીના  બીચ જ્યાં બપોરના સ્થાનિક રેસ્ટોરાં પર સેવા થશે હોટ વસંત મુલાકાત ટ્રીપ. ચોખા ઢોળાવ માટે પાછા રીતે પર પુપુઅન  મુલાકાત લો

જ્વાળામુખી કીન્તામાની  ( દરરોજ  ઉપડે છે ૦૮ .૩૦  સમય અવધી  ૮  કલાક) ટુર .. / વ્યક્તિ – મિનિટ 2 વ્યક્તિઓ

ઉબુદ

દેનપસાર ની પહાડી ની ઉત્તરે  ઉબુદ આવેલ છે .  ઉબુદ  બાલીનું સાંસ્કૃતિક કેન્દ્ર છે  તથા બાલી અને તેની આસપાસના ગામોમાં મુખ્ય આકર્ષણ કલા સંગ્રહાલય અને આર્ટ ગેલેરી છે, ખાસ કરીને નેકા  મ્યુઝિયમ છે, પરંપરાગત અને આધુનિક બાલીનીઝ ચિત્રોનો  વિશાળ સંગ્રહ ધરાવે છે. બાલીનીઝ કલા અને હસ્તકલથી  શેરીઓ અને બજાર ઉભરાય છે. પરંપરાગત નૃત્ય અને સંગીતના તાલ માં ઝૂમતા લોકો ને જોવાનો એક  લાહવો  છે આ ઉપરાંત આ ટાપુ ઉપર  શ્રેષ્ઠ જમવાનું પીરસતી રેસ્ટોરાં પણ અહી આવેલી છે

શું જવું છે બાલી ? લો આ રહી માર્ગ – નિર્દેશિકા …લો ..કરો તૈયારી  !!

http://www.itinerarydesigner.blogspot.com/2012/01/itinerary-for-bali-for-5-days.html

http://www.itinerarydesigner.blogspot.com/2012/01/itinerary-for-bali-8-days-7-nights.html

ઇંડિયન રેસ્ટોરેંટસ 

  • ક્વીન્સ ઓફ ઇન્ડિયા , કુટા

જલન  રાય  સેમીન્યક  નં . ૭૩,

કુતા , બાલી , ઇન્ડોનેસિયા.
દેનપસાર
(૦ ) ૩૬  ૧૭૩  ૨૭૭૦
ભોજન: ભારતીય
  • લીટલ ઇન્ડિયા, સનુર
જલન  કેમરા ,
સનુર , બાલી ,
ઇન્ડોનેસિયા
ભોજન: ભારતીય
  • ક્વીન્સ તંદૂર ,સેમીન્યાક
જે.એલ. રાય  સેમીન્યાક  નં ૭૩ ,
સેમીન્યાક , બાલી , ઇન્ડોનેસિયા
ભોજન: ભારતીય
  • ગેટવે  ઓફ  ઇન્ડિયા , સનુર 
સનુર , બાલી  ૮૦૨૨૩ , ઇન્ડોનેસિયા
ભોજન: ભારતીય
  • ઇન્ડિયન દિલાઇત્સ
જે.એલ.રાય  પેન્ગોસેકન,
ઉબુદ, બાલી , ઇન્ડોનેસિયા
ભોજન: ભારતીય
  • લિંગા   લોન્ગ , ચાન્દીદાસા
બુગબુગ  સમૂહ , ચાન્દીદાસા   ,
બાલી  ૮૦૮૫૧  , ઇન્ડોનેસિયા
ભોજન: ભારતીય
  • સિતારા ઇન્ડિયા રેસ્ટોરન્ટ,
જે.એલ.  તેઉકું  ઉમર  ૧૩૭ બ ,
ડેનપાસાર,બાલી ,
ઇન્ડોનેસિયા
ભોજન: ભારતીય
  • વારુંગ લીટલ ઇન્ડિયા
જલન  હનોમાન , ઉબુદ ,
બાલી , ઇન્ડોનેસિયા
ભોજન: ભારતીય

એરપોર્ટ્સ : નગુરાહ રાય એરપોર્ટ (DPS)


નુતન વર્ષાભિનંદન !!

પ્રિય મિત્રો ,
વેરવિખેર હાલતમાં રહેલા મધમાંધતા ખુશ્બુદાર પુષ્પો જેવા સજ્જનોનો, ના આજે દુષ્કાળ હતો ના કાલે પણ હતો  !
સૌથી મોટી જરૂરત હતી આ તમામ ખુબ સુરત પુષ્પો ને રેશમ દોરે એક સાથે ગુંથી અને હાર બનાવે તેવા માળીની
અને તે કામ આ બ્લોગ જગતે કર્યું  છે. આ બધા મધમધતા પુષ્પોને એક બીજા સાથે ગુંથી લીધા છે અને આજે
તેની ખુશ્બુ વિશ્વમાં પ્રસરી રહી છે અને પ્રસરતી રહેશે તેવી મને ખાતરી છે અને ૨૦૧૨ ના નવલા વર્ષે આશા છે કે
બ્લોગ જગતના મધમધતા પુષ્પોથી પ્રેણા પામી હું પણ એક મજેદાર સુગંધિત પુષ્પ બનું અને સુવાસ
ચો તરફે ફેલાવું અને અત્તર  બની ને પમરું ! આશા છે કે આપ સૌ ના સહયોગથી હું નવું જ્ઞાન પામું અને વિસ્તરું ..
વિશ્વના શ્રેષ્ટ ગુલાબોમાંથી બનેલ અત્તરની ખુશ્બુ ને જેમ આપ પ્રસરો અને પમરો..
અરુણદેવ ના સોનેરી કિરણો ને સથવારે ચોતરફ ફેલાવ ,
નાની કળી જેવા નાના ભૂલકા ના સ્મિત તમારું મુખ આભુષણ બને
અને આપ ના સારા અધૂરા સ્વપ્ના આજ વર્ષ માં હકીકત ના રંગ પુરાય
તેવી હૃદય થી પ્રભુ ને પ્રાથના !
આપનો ,
બકુલ શાહ

Bali -The Island of the scenic beauty of the world famous beaches

મકાઈ શેકવાની રીત એક !

દેવના દરબારમાં મુજને કશોયે રસ નથી,સત્ય કહું છું મારે એમાં આવવું ચોક્કસ નથી,તે દિવસ થી સ્વર્ગ પ્રાપ્તિ ની તજી મેં ઝંખના,જાણવા જે દિ' મળ્યું કે ત્યાં કોઈ માણસ નથી- દિલહર સંઘવી

જીવનની શરૂઆત શૈશવ ની વૈભવ ,બપોરે જવાનીના કલરવનો વૈભવ,બધીયે અવસ્થા માં ગૌરવના રંગો,સમી સાંજે માણ્યા અનુભવનો વૈભવ - કાબિલ ડેકાનાવી

ક્ષિતિજને માથે રંગનો ઘડો દેખાય છે ને ચેહરા પર શરમ નો શેરડો દેખાય છે હળવેક થી ખૂણામાં આવી ચંદ્ર વિચારે જોવું તો ખરો , સુરજ કેવડો દેખાય છે - વિજય કોઠારી

લાલીમાં લોલોત્રી કિરણાવલી જ્યાં જુઓ ત્યાં રૂપ રેલમછેલ છે આ ગગન જાણે કળાયેલ મોરલો આ ધરા જાણે ઢળકતી ઢેલ છે - અમૃત ઘાયલ (તેગલાળંગ રાઇસ ટેરેસ )

જોવો પડે છે અસ્ત હમેશા ઉદય પછી સહેવો પડે છે વિરહ મિલન ના સમય પછી તુજથી જુદા પડ્યા પછી આવ્યો મને વિચાર કેવી દશા થશે આ પ્રભુની પ્રલય પછી - ઓજસ પાલનપુરી

આજે આથમેલા સૂર્યની સોગંદ હું કાલે સૂર્ય બનીને ઉગીશ પ્રચંડ જવાળા બનીને સળગીશ એક વિરાટ શૂન્યમાં એકલવાયો આગળ વધીશ પ્રખર મધ્યાહનથી રાતીચોળ સાંજ સુધી મારી એકલતા આ ક્ષિતિજે ડૂબશે ત્યારે કોઈ બીજી ક્ષિતિજ પર એ ઉગતી હશે - હરીન્દ્ર દવે

ભક્તિ કેરી કાકલુદી સ્વાર્થ કેરા જાપ બંધ, શંખનાદો ઝાલરો ને બાગ ના આલાપ બંધ, મેં જરા મોટે થી પૂછ્યો પ્રશ્ન કે હું કોંણ છું ? થઇ ગયા ધરામાંલયોના દ્વાર આપોઆપ બંધ. - શૂન્ય પાલનપુરી

એ આંખ ઉઘડે અને શરમાય ગઝલ,
એ કેશ બાંધે અને બંધાય ગઝલ
કોને કહ્યું લય ને કોઈ આકાર નથી ?
એં અંગ મરોડે અને વળ ખાય ગઝલ -

મન ના માણીગર ની વાસળી ના સાદે,યાદો ની વણઝાર ના ઢોલ ના ધબકારે,ટળવળતા કંઠ માં જળ સીંચવાને ,હરણ ફાળે હું હાલી રે ! - બકુલ શાહ

બાલી- ઍક સ્વપ્નનગરી

કૅનડિડાસા ( ચાંદી જેવી રેત )-બીચ-બાલી

સનૂર_બીચ-

કોઈ ના કાઠા કિનારા, કોઈ ની છે નદી,કોઈ ના આપ્યા હલેશા, કોઈ ની હોળી હતી,કોંણ છુ ! નાવિક ? મુસાફર ? કે ધકેલાતો પવન ?તુટતા વિખરાતા મોજા ને ઘણી મુંઝવણ થઇ. - ચિનુ મોદી

સોનેરી તાર જેવા ડૂબતા રવિના કિરણો, પુષ્પો ની માળા જેવી નિર્મળ સલીલ ની લહેરો, ઉપમા કવિ-હ્રિદયને સુઝે છે એક અનોખી, મૂંગી રહી છે કુદરત જાણે કોઈ નો ચહેરો. - ઓજસ પાલનપુરી

મૂકી છે પીઠ પાછળ સૂરજે પોતાની દુનિયાને હું બેઠો છું નદી કાંઠે લઇ ખોળામાં સંધ્યાને હવે મોડા પડોતો પૂછજો બાળક ને સરનામું કદાચિત ઓળખે એના રહસ્યો આ સમસ્યા તે -ગની દહીવાલા

મા સરસ્વતી અને મા લક્ષ્મી

ચિત્રકળાના વિવિધ સ્વરૂપ

ચોતરફ પ્રસર્યાંછો પુષ્પોની મધુર સુગંધ ની જેમ . ખબરનથી, મળી સકીશ કે કેમ ક્યારેક સ્વપ્નમાં ? આજ સ્મરણ તમારું ઉઠાવે હૃદય માં લહેરો ઝાઝી , ક્યાં ખબર છે બિચારાને કે તમારું મુકામ સ્વપ્નમાં ? - બકુલ શાહ

સાન અને ભાન ને મૂકી કોરાણે,વિસરું વિયોગ વ્હાલમજી ના દ્વારે રે ,મારી તે ચાલ માં ટપકે ચોમાસું ,મારા પ્રીતમ ને પામવા નીસરી રે !વરસી ને તડપું ને તડપી ને વરસું ,વ્હાલમ ના વિચારે રે - બકુલ શાહ

સમજાવી સમજાવી મુને થાકી રે ,કેમ કરી ના આવે મારે હોઠે રે ,વ્હાલમ ,નથી ભીંજાવું વરસાદે,આજ ભીંજાવું તારા વ્હાલે રે ! - બકુલ શાહ

સોનાવરણી સિમ બનીને મોસમ આવી મહેનતની ....ડાંગરના ખેતરમા પાક લેતા ખેડૂતોનુ વિહાંગ દ્રશ્ય

ભમરાનું ગુંજન અને કળી ની નજાકત છો તમે ! આ વૃક્ષ, આ કુસુમ,આ ઉપવનની શાખા છો તમે ! આવ્યા છો અમ આંગણે મદમસ્ત મસ્ત્તી ભર્યા ભર્યા ! ઉઠતી, કુદતી,લહેરાતી,ચંચળ શીળી ધારા છો તમે ! - બકુલ શાહ

CIMG5873

દુઃખ જયારે મર્મ ની અંદર પ્રવેશે ત્યારે હસ્તાક્ષર તારા લઈને પ્રવેશે વચનો ગમેતેટલા આઘાત કરે સર્વે આઘાતમાં તારો સુર જાગે સેંકડો વિશ્વાસ જયારે તૂટી જાય ત્યારે તારા વિશ્વાસમાં મન વળગેલું રહે - શ્રી રવીન્દ્રનાથ ટાગોર

IMG_3110

અધુરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસીતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધીપતેરખીલમ મધુરમ

પીધા જગતના ઝેર એ શંકર બની ગયો ,કીધા દુઃખો સહન એ પયગમ્બર બની ગયો ,મળતો નથી દરજ્જો કોઈ સાધના વિના ,પણ તારી મેળે તું ખરો ઈશ્વર બની ગયો ! - જલન માતરી

સીતાજીની વિવિધ મુદ્રાવાળી કાસ્ટપ્રતિમા

કાસ્ટ કોતરણી ના મનમોહક નમુના

પૂર્ણ કદની ગણેશજી ની કાસ્ટની પ્રતિમા

ચીની યોધ્ધાની કાસ્ટની પ્રતિમા

આજ શિલ્પીના ટાંકના તીખા તારો પથ્હાર નો દેહ ઘડવાનો કાલતો તું બની જશે ઈશ્વર લોક શ્રદ્ધાથી ફૂલ ધરવાના -રતિલાલ અનીલ

તાજનું શિલ્પ - કાવ્ય નીરખીને હર્ષના આંસુ કૈંક લૂછે છે ! દાદ આપે છે શાહજહાંને સૌ -એના શિલ્પીને કોણ પૂછે છે ? -રતિલાલ અનીલ

ઈન્ડોનેસીયાના ઍક ગામની ઝલક

બે નાની નૃત્યાંગના બાળાઓ દ્વારા મહેમાનો નું સ્વાગત

કેકાક નૃત્યાંગના ગણ

રામાયણના જુદા જુદા પ્રસંગોને કેકાક નૃત્યાંગના આગવી નૃત્યશૈલી દ્વારા હજુ પણ બાલીના લોકોઍ જીવંત રાખેલ છે

IMG_3239

રામ અને સીતા

IMG_3254

સીતાજી

રાજા રાવણ

IMG_3290

હનુમાન

આશૉક વાટિકામા હનુમાન અને સીતાનુ મિલન

આશૉક વાટિકામા હનુમાન

IMG_3306

બેરોંગ નૃત્ય -રંગબેરંગી કપડામાં સજ્જ થઈને અલગ અલગ મુદ્રા દ્વારા દેવ અને દાનવ વચ્ચે ની પ્રતિસ્પર્ધા

બેરોંગ નૃત્ય

બેરોંગ નૃત્ય

બેરોંગ નૃત્ય

બેરોંગ નૃત્ય

બેરોંગ નૃત્ય

બેરોંગ નૃત્ય

બેરોંગ નૃત્ય

બેરોંગ નૃત્ય

બાલી લોકનૃત્ય

અમે હર્ષ જોયો રુદન જોઈ લીધું કહો ઉન્નતી કે પતન જોઈ લીધું કદી ચાંદની તો , કદી રાત કાળી વહી જાય છે આ જીવન જોઈ લીધું - શયદા

ગણેશજી - ગોવા ગજહ ગુફા

ગોવા ગજહ ગુફા

ગોવા ગજહ ગુફા

ગોવા ગજહ

કીનતમણિ/બતુર જ્વાલામુખી અને સરોવર

કીનતમણિ/બતુર જ્વાલામુખી

મારી જ આંખડીથી ભરેલું તળાવ છું આશાના અસ્થીઓથી ભરેલું તળાવ છું જોઈ લીધી છે મેય બધીયે દશા અહીં છલકી જઇને ખાલી થયેલું તળાવ છું -શ્રી જયેન્દ્રસિંહજી જાડેજા ( ફાની )

IMG_3156

કોકો ટ્રી

લુવાક

લુવાક, બિલાડી કુલના પ્રાણીનો મુખ્ય ખોરાક કોફીના ફળ છે . તે કોફીના ફળ ઠળિયા સાથે ખાઈ જાય છે. અને નાપચેલ કોફીના ઠળિયા બહાર કાઢે છે.

આ બહાર કાઢેલા મીંજ ને સુકવીને તેને સાફ કરવામાં આવે છે

આ બહાર કાઢેલા મીંજ ને સુકવીને તેને સેકવામાં આવે છે

અને વિશ્વ ની સૌથી મોંઘી પૂ કોફી તૈયાર !!

IMG_3201

ફૂલ તુજ કિસ્મત ના ગીતો ગાઉં છું મારી હાલત ની દયા હું ખાઉં છું તું મરીને થાય છે અત્તર અને હું મરીને રાખ કેવળ થાઉં છું -સગીર

IMG_3208

IMG_3210

પૂરા બતુઆન ( બતુઆન ટેંપલ )

ટાંપાક સીરીંગ/હોલી સ્પ્રિંગ વૉટર ટેંપલ

IMG_3233

IMG_3236

IMG_3316

પુરી સરેણ ( ઉબુડ પૅલેસ )

બાલીમાં આજે પણ ભારતીય પરમ્પરા નિભાવવામાં આવે છે . આજે પણ ત્યાં લગ ભાગ દરેક ઘરની બહાર ગાય , સ્વાન અને પક્ષી માટે ઘરમાં બનાવેલ વાનગી પહેલા કાઢવા માં આવે છે અને ત્યાર બાદજ ઘરના લોકો આરોગી શકે છે

તનહ લોટ ટેંપલ

તનહ લોટ ટેંપલ

તનહ લોટ ટેંપલ

તનહ લોટ ટેંપલ

તનહ લોટ ટેંપલ

તનહ લોટ ટેંપલ

તનહ લોટ ટેંપલ

તનહ લોટ ટેંપલ

તનહ લોટ ટેંપલ

IMG_3368

IMG_3382

IMG_3384

IMG_3386

IMG_3390

IMG_3389

IMG_3397

IMG_3399

IMG_3422

બેદુગુલ ટેમ્પલ

બેદુગુલ ટેમ્પલ

શબ્દની જેમ સ્મરણમાંથી સરે મૃગજળો રાતના રણમાંથી સરે પુષ્પના મહેકતા મારગ સાથે કંટકો મારા ચરણમાંથી ખરે - હરકિશન જોશી

IMG_3445

પુરી સરેણ ( ઉબુડ પૅલેસ )

પુરી સરેણ ( ઉબુડ પૅલેસ )

હું તને તું મને ઝંખતા ઝંખતા મળી તો જશું જ પણ ત્યાં સુધી હું આ ટોળામાં ખોવાયેલી છું શોધી જવાની આશામાં -સુનીતા જૈન

તુજને કળી સમય માં હતી જે સમય ની પ્યાસ લે ફુલ ! રંગ રૂપ ની સાથે મળી સુવાસ સંભાળજે હવે કે ન તોડે તને કોઈ સૌન્દર્ય તુજ વધીને હવે થઇ ગયું છે ખાસ -સગીર

પુરી સરેણ ( ઉબુડ પૅલેસ )

પુરી સરેણ ( ઉબુડ પૅલેસ )

પુરી સરેણ ( ઉબુડ પૅલેસ )

પુરી સરેણ ( ઉબુડ પૅલેસ )

પુરી સરેણ ( ઉબુડ પૅલેસ )

બાટીક વર્ક

પેરા સેઈલીંગ, જેટસ્કી અને બનાના રાઈડ જેવી પ્રવૃત્તિ એ અમારું બચપણ પાછું આપી દીધું !

ડો.બીપીન ગાંધી , ડો .આશા ગાંધી ,બકુલ શાહ , અંબુભાઈ પ્રજાપતિ , નિમિષા , ધારા અને ધનુષ

ડો.બીપીન ગાંધી

અંબુભાઈ પ્રજાપતિ

કુંતા બીચ,બાલી

લેગિયન બીચ , બાલી

મૌરીસીએસ બીચ

વસી શકોતો વસજો થોડા દી અમારી આંખોમાં પછી ભલે ખ્વાબ બની ઉડીજાજો સ્વપ્નોમાંચહેરાના રંગમાં ભરી શકોતો ભરજો રંગ ઉમંગનાપછી ભલે હૃદયના જખ્મો ને બહેલાવજો સ્વપ્નમાં

આ સાંજ સાંજ હોય તો હું એન દ્રશ્ય છું ડૂબતા સુરજના રંગ નું જળહળ રહસ્ય છું રૂંવે રૂંવે ઊગી ગઈ અવકાશની ત્વચા આપો મને ખબર , કોઈ કે હું અદ્રશ્ય છું ! -નયન દેસાઈ

કુટા બીચ,બાલી

કુટા બીચ,બાલી

કુટા બીચ,બાલી

કુટા બીચ,બાલી

ટેટુ પેન્ટિંગ -ધનુષ શાહ -કુટા બીચ,બાલી

કુટા બીચ,બાલી

અંબુભાઈ પ્રજાપતિ & સુશીલાબેન, બકુલ & નિમિષા , કિશોરભાઈ દેસાઈ & મીનાક્ષીબેન દેસાઈ , ડો.બીપીનભાઈ ગાંધી & ડો.આશાબેન ગાંધી

ધારા શાહ

કુટા બીચ શોપિંગ એરિયા

કુટા બીચ શોપિંગ એરિયા

મુસ્લિમ દેશ , ઇન્ડોનેસિયા ના બાલી માં જાહેર માર્ગ પર આવેલ મહાભારત ના એક પ્રસંગ નું શિલ્પ

મુસ્લિમ દેશ , ઇન્ડોનેસિયા ના બાલી માં જાહેર માર્ગ પર આવેલ મહાભારત ના એક પ્રસંગ નું શિલ્પ નો રાત્રી નો નઝારો

મુસ્લિમ દેશ , ઇન્ડોનેસિયા ના બાલી માં જાહેર માર્ગ પર આવેલ મહાભારત ના એક પ્રસંગ નું શિલ્પ નો રાત્રી નો નઝારો

સન રાઇઝ

Panorama view of Angkor vat – The world Heritage Site -The Biggest Hindu Temple Complex in the World

Panoramic View Of Angkor vat Temple Complex

rice_fields

Panoramaview at Sunrise

Morning on Tonle Sap

Young girl lost in her own thoughts

In this lake, near Siem Reap, exists a floating village.

Ultimate Amusement For These Young Girls

Originally South Indian Girl Selling at Complex !

Superb View at Sunset

 

Evening time At Siem Reap Street

IMG00298-20111109-0958

Samundra manthan by Dev and Danav

Angkor Thom Tmeple

IMG00262-20111109-0918

IMG00266-20111109-0928

IMG00267-20111109-0931

Lady in the red dress tried to take a photo of some temple details....

IMG00272-20111109-0940

IMG00274-20111109-0944

IMG00275-20111109-0945

IMG00275-20111109-0946

IMG00288-20111109-0952

IMG00296-20111109-0957

IMG00297-20111109-0957

IMG00303-20111109-1001

Faces of Bayon

Faces of BayonAngkor Thom

Faces of BayonAngkor Thom

IMG00317-20111109-1017

IMG00322-20111109-1023

IMG00331-20111109-1029

Pillars & Columns

IMG00335-20111109-1039

IMG00339-20111109-1042

IMG00342-20111109-1050

IMG00355-20111109-1102

IMG00354-20111109-1101

IMG00357-20111109-1104

IMG00361-20111109-1109

IMG00364-20111109-1118

IMG00368-20111109-1123

IMG00366-20111109-1121

IMG00370-20111109-1126

IMG00371-20111109-1126

Ta Prohm Temple

Ta Prohm Temple

Ta Prohm Temple

Ta Prohm Temple

Vietnamese Girl in Ta Prohm Temple

Angor Wat

Giant Coconut with Full of Sweet Water !!

IMG00393-20111109-1218

View of walkway

Stone path of Angkor

Panorama view at sunset

Angkor tower

Buddhist Monk

Buddhist Monk and Beatiful Girl

Three monks - safran-pumpkin & Chilli

Panch Parmeshwara !!

Apsaras Just Come out from Beauty parlour !

Angkorchildren are playing at Angkor

Angkor Wat

angkorthom3

angkorwat

False door

Fruit Market

Market..Market..Market

water_houese

અંગકોરવાટ -હિન્દુત્વના ઈતિહાસ નું એક ગૌરવપૂર્ણ છતાં સમજપૂર્વક ભુલાવી દીધેલ એક પાનું

Sunset at Angkor vat

Apsara

King Suryavarman II

Sunrise at Angkorvat Temple Complex

sunrise

Entrance of Angkor vat Temple complex

Entrance of Angkor vat Temple complex

Lord Vishnu's temple

Nimisha at Lord Vishnu Temple

IMG00268-20111109-0931

Nimisha at front of Temple

IMG00270-20111109-0938

IMG00269-20111109-0937

King Yashovarman going for Fighting

King With his Military

IMG00293-20111109-0955

IMG00292-20111109-0955

Midwife helping pregnant lady

'Dwand Udhha' !

Lord Brahhma , LordVishnu and LordMahesh faced Temple

Dhara at God Faced Temple

Dhara between Apsara

Bakul Shah facing God Vishnu

IMG00340-20111109-1043

Bakul Shah at Tree on Temple

Tree spread its roots on and above Temple

Tree spread on Temple

Roots has damaged Temple

Dhara between Apsara with different Hairstyle

Tree on the Temple !

Sunset View of Angkor vat Temple

Bhgvan Vishnu

Street of Siam Reap

Bagi attached to Bike !!

Dhanush at Entrance of Angkor vat

Bakul, Nimisha & Dhara at Hotel Angkor Vat

શું આપને યાદ છે ?

શું આપને યાદ છે કે આપને કે આપના કુટુંબીજનો ને ઈતિહાસ ના અભ્યાસક્રમ માં ભણાવવામાં આવ્યું હોય કે ભારતીય રાજા નું શાસન કમ્બોડિયા , જાવા- સુમાત્ર , ઇન્ડોનેશિયા  કે મલેશિયામાં માં પ્રવર્તમાન હતું ?  શા માટે આપણાથી આપણો ગૌરવપ્રદ ઈતિહાસ છુપવામાં આવી રહ્યો છે ?  છે કોઈ કારણ ? ઇસ. પહેલી સદીથી લઇ ને છેક ૧૪ મી સદી સુધી પરાક્રમી રાજાઓ ના રાજ્ય ની ધજાઓ છેક દક્ષીણ -પૂર્વ એશિયા સુધી ફરકતી હતી !  પરંતુ આપણી નમાલી સરકારો ને અને બની બેઠેલા બુદ્ધીવાદીયો ને ભારત ના ગૌરવપ્રદ ઈતિહાસ ને લોકો સમક્ષ જણાવતા શરમ આવે છે ! કદાચ એમને ડર હશે કે કદાચ કોઈ આપણને વિસ્તારવાદી કહી દેશે તો ?  દક્ષીણ-પૂર્વ માં ચાલતા દરિયાય વ્યાપાર પર ભારત નું ઘણું પ્રભુત્વ હતું ! કમાલ ની વાત તો એ છેકે ઉપરોક્ત દેશો અને ટાપુઓં તેમના ઈતિહાસમાં ગૌરવ પૂર્વક જણાવે છે કે તેમની ઉપર ભારતીય રાજા એ રાજ કર્યું હતું ! એટલુજ નહિ પણ  પણ આજે પણ જે તે રાજા ના વારસદાર ને રાજા નું સન્માન આપે છે ( મલેશિયા ) ! આજે પણ થાઇલેન્ડના રાજા, રામ ના નામ થી ઓળખાય છે ! આજે પણ ત્યાં અયોધ્યા નામની નગરી આવેલી છે અને બેંક નું નામ પણ અયોધ્યા છે ! આજે પણ બેંગકોક ના આંતરાષ્ટ્રીય હવાઈમથક નું નામ સુવર્ણભૂમિ છે !   આવો કમ્બોડિયામાં સ્થપાયેલ આવા એક ભવ્ય શાસન અને તેમના દ્વારા નિર્મિત મંદિર શ્રુંખલા ની જાંખી કરીએ !

દેશ : કમ્બોડિયા    

કમ્બોડિયા માં હિંદુ રાજ્ય નો ઈતિહાસ
હિન્દુત્વ નો પ્રસાર કોને અને ક્યારે કામ્બોડીયા માં કર્યો તેનો સ્પષ્ટ ઈતિહાસ ક્યાય થી મળતો નથી પરંતુ લગભગ ઇસ.૫૦ માં કમ્બોડિયા માં એક ભાવપૂર કરીને શહેર હતું  અને ત્યાં ભાવવર્મન પહેલા નું ચક્રવર્તી રાજ હતું તેવું ઈતિહાસ માં નાધાયેલું છે. એવું કહેવાય છે કે તે સમય  ભારત સાથે ના વ્યાપાર ને કારણે ભારતીય વ્યાપારીઓ એ હિન્દુત્વ ની જ્યોત આ બાજુ પ્રગટાવી હતી અને ભારતીયોની સમૃદ્ધી જોઈ ત્યાના લોકોએ હિંદુ ધર્મ માં દિલચસ્પી લીધી હશે અને તેને પ્રસારવા નું કામ બાકી રહેલ કામ એક પછી એક આવેલા હિંદુ રાજા એ ખુભી પૂર્વક કર્યું હશે. સૌથી મહત્વ ની વાત એ છે કે હિંદુ ધર્મ ના પ્રસાર માટે ના તો લાલચ આપવામાં આવી હતી કે ના કોઈ જોર અજમાવામાં આવ્યું હતું . ઈતિહાસ માં આવા કોઈ પ્રમાણ મળ્યા નથી .ભાવવર્મન પ્રથમ પછી ત્યાં આગળ તેનો ભાઈ મહેન્દ્રવર્મન ગાદી ઉપર આવ્યો હતો તેને તથા તેના પુત્ર ઈસાનવર્મન પહેલા એ ઉતરોતર પોતાના રાજ્ય નો વ્યાપ વધાર્યો અને ખેમર સામ્રાજ્ય ના પાયા ને મજબૂત કર્યો હતો .આજ સમય માં પૂર્વ કામ્બોડીયા માં બેંગકોક થી નજીક દ્વારવતી કરીને પણ એક રાજ્ય ઇસ .૬૨૮ માં હતું તેનો રાજા ભાવ વર્મન બીજો  હતો કે જે ઈસાનવર્મન પ્રથમ નો પુત્ર હતો. ભાવ વર્મન બીજા એ લગભગ ઇસ.૬૫૪ સુધી રાજ કર્યું અને ત્યારપછી તેની પુત્રી જયાદેવી એ રાજ કર્યું . આમ પેઢી દર પેઢી રાજ ચાલતું રહ્યું અને ઇસ.૭૯૦ માં જ્યવર્મન બીજા એ પોતાના રાજ્ય નો વ્યાપ વધાર્યો અને તેને વ્યાધપુરા (દક્ષીણ-પૂર્વ કામ્બોડીયા ) ,સંભુપુર,ઉત્તર  માં વાટ ફું    સુધી પ્રસાર કર્યો અને પૂર્વ માં અનીન્દીતાપુરા સુધી પોતાનું રાજ્ય નો ફેલાવ કર્યો અને પોતાને ઇસ.૮૦૨ માં વિશ્વ ના રાજા તરીકે ઘોષિત કર્યો. તેને આમરણાંત ઇસ.૮૩૫ સુધી રાજ કર્યું . ઇસ.૭૯૦ થી લઇ ને ઇસ. ૧૩૨૭ સુધી ની તવારીખ નીચે મુજબ છે :
રાજા                               રાજ્ય નો સમય ગાળો
જ્યવર્મન બીજા               ૭૯૦ – ૮૩૫
જ્યવર્મન ત્રીજા               ૮૩૫ – ૮૭૭
ઇન્દ્ર વર્મન પહેલા            ૮૭૭ – ૮૮૬
યશોવર્મન પહેલા            ૮૮૯ – ૯૧૫
હર્ષ વર્મન પહેલા             ૯૧૫ – ૯૨૩
ઇસના વર્મન બીજા          ૯૨૩ - ૯૨૮
જ્યવર્મન ચોથા               ૯૨૮ – ૯૪૧
હર્ષવર્મન બીજા               ૯૪૧ – ૯૪૪
રાજેન્દ્ર વર્મન                  ૯૪૪ – ૯૬૮
જ્યવર્મન પાંચમાં            ૯૬૮ – ૧૦૦૦
ઉદયદીત્યવર્મન            ૧૦૦૦ – ૧૦૦૨
જયવીર વર્મન               ૧૦૦૨ – ૧૦૧૦
સૂર્યવર્મન                      ૧૦૧૦ – ૧૦૪૯
ઉદયદીત્ય વર્મન પ્રથમ  ૧૦૫૦ –  ૧૦૬૬
હર્ષવર્મન ત્રીજા              ૧૦૬૭ –  ૧૦૮૦
જ્યવર્મન છઠા                ૧૦૮૦ –  ૧૧૦૭
ધારનિંદ્રા વર્મન               ૧૧૦૭ –  ૧૧૧૨
સૂર્ય વર્મન બીજા              ૧૧૧૩ – ૧૧૫૦
યશોવર્મન બીજા              ૧૧૫૦ – ૧૧૬૫
ત્રિભુવન આદિત્ય વર્મન    ૧૧૬૫ – ૧૧૭૭
જ્યવર્મન સાતમાં              ૧૧૮૧ - ૧૨૨૦
ઇન્દ્ર વર્મન બીજા               ૧૨૨૦ – ૧૨૪૩
જ્યવર્મન આન્થમાં            ૧૨૪૩ – ૧૨૯૫
શ્રીઇન્દ્ર વર્મન                    ૧૨૯૫ – ૧૩૦૭
શ્રીઇન્દ્રજ્ય વર્મન               ૧૩૦૭ – ૧૩૨૭
જ્યવર્મન પરમેશ્વર            ૧૩૨૭-

સ્થળ :  સીઅમરેંપ

સીઅમરેંપ  નો અર્થ થાય છે કે  ’થાઇ ને હરાવ્યા’ ભાગ્યેજ જોવા મળે તેવું ચતુરાઈપૂર્વક  રાખેલ  નામ  થાઇલેન્ડ નજીક ના એક મુખ્ય શહેર માટે અર્થપૂર્ણ નામ !  અંગકોર ના આ સામ્રાજ્ય નો એકવાર ના આધુનિક થાઇલેન્ડ નો ભાગ બની ચુક્યું છે .  થાઇલેન્ડ છેવટે કંબોડિયા ને હરાવી અને સીઅમરેંપ ઉપર નિયંત્રણ મેળવ્યું હતું ૧૭૯૪  થી ૧૯૦૭  સુધી પોતાના તાબા હેઠળ અંગકોર સામ્રાજ્ય ને રાખ્યું હતું .

જયારે ૧૯૦૭ માં ફ્રેંચ લોકોએ કંબોડિયા પર પ્રભુત્વ  મેળવ્યું ત્યારથી  સીઅમરેંપ  ના વિકાસ ના દ્વાર ખૂલ્યા. ફ્રેંચ સ્થપતિ શ્રી એકોલે ફ્રન્કૈસે ના અથાગ પ્રયાસથી અંગકોર આજ આપણી સમક્ષ દ્રશ્યમાન થઈ શક્યું છે .

પાસપોર્ટ / વિઝા નોંધ : બધા મુલાકાતીઓ પાસે પૂરતુ ફંડ્સ હોવું  જોઈએ.  ઈ વિઝાઑનલાઇન (એક પ્રવેશ પ્રવાસી વિઝા) કરી શકાય છે કે જે 30 દિવસ રહેવા  માટે પરવાનગી આપે છે. વધુ જાણકારી માટે www.mfaic.gov.kh જુઓ. નહિંતર, આગમન પર વિઝા 30 દિવસ માટે અદા કરી શકાય છે. એક પાસપોર્ટ ફોટો તથા ૨૦ U.S. $ પ્રવાસી વિઝામાટે સાથે જરૂરી છે.

એમ્બસ્સી ઓફ  ઇન્ડિયા : એન – ૭૭૭ , પ . મોનીવોંગ  બ્લ્વ્દ .   : ૩૬૩  ૫૦૨  / ૩૬૧  ૨૭૦ , ફેક્ષ : ૩૬૪  ૪૮૯

આઈ એસ ડી કોડ : 00855 63

સમય માં ફેરફાર : ઇન્ડિયન સ્ટાન્ડર્ડ  ટાઇમ +  ૧.૫ કલાક

ચલણ : રીએલ  (ખર )

વિનિમય દર : રીએલ  (ખર ) ૧૦૦૦ =૧૩.3089રૂપિયા

http://www.xe.com/ucc/convert/?Amount=1000&From=KHR&To=INR

ભાષા : ખમેર, ફ્રેંચ  અને ઈંગ્લીશ ખુબ ઝડપથી પ્રખ્યાત થઇ રહી છે

ક્યારે જઈ શકાય ?

વર્ષાઋતુ : જૂન થી અક્ટોબર 27-35.સી (80-95.ઍફ)
ડ્રાઇ સીજ઼ન (કૂલ): નવેંબર થી ફેબ્રુઆરી 17-27.સી (80-95.ઍફ)
ડ્રાઇ સીજ઼ન (હોટ) :માર્ચ થી મે 29-38.સી (84-100.ઍફ)

નવેમ્બેર થી લઈને ફેબ્રુઆરી સુધી નો સમય શ્રેષ્ટ સમય ગણાય છે

કેવી રીતે જવાય  :

હવાઈ માર્ગ : મુંબઈ અને દેલ્હી થી સીધી કુલાલમ્પુર અથવા તો બેન્ગ્કોક માટે ફ્લાઈટ  લઇ ત્યાંથી સીઅમરેંપ   ની ફ્લાઈટ  મળી શકે છે

કુલાલમ્પુર થી અથવા બેંગકોક થી સીધી ફ્લાઈટ છે

http://airasia.com

http://www.malaysiaairlines.com/in/en.html

Malaysian Airlines

Local: 1300 88 3000 Malaysia

International: +60 (0)3 7846 3000

Air Asia

Local: 1300 88 99 33Malaysia

Local :18605008000 India

International: +60 03 7884 9000

 

રેલવે : 

બેંગકોક (થાઇલેન્ડ) અને ફ્નોમ  પેન્હ (કામ્બોડિયા ) વર્ચ્ચે ચાલતી ટ્રૈન કંબોડિયા માં યુદ્ધ ચાલતું હતું ત્યારથી  માત્ર થાઈ-કાંબૉડિયન સરહદ ના થાઈ બાજુ પર આવેલ અરન્યપ્રત્હેત  વચ્ચે ચાલી રહેલ છે, અને અરન્યપ્રત્હેત (થાઇલેન્ડ)  અને બત્તામ્બંગ(કામ્બોડિયા) વચ્ચે સરહદ તરફ ટ્રેન સેવા કેટલાકવર્ષોથી સસ્પેન્ડ છે.  ફ્નોમ પેન્હ અને બત્તામ્બંગ  વચ્ચે  ટ્રેન સેવા પણ કેટલાક વર્ષોથી સસ્પેન્ડ છે.

 ફેરી : થાઇલેન્ડ થી કંબોડિયા વચ્ચે કોઈ ફેરી સેવાઓ છે નહિ .જોકે, પગે ચાલીને થાઇલેન્ડ ના કોહ કોંગ  સરહદ ક્રોસ કરી  ત્યાંથી ૧૫ મિનિટ ની શેર ટેક્સી અથવા (મોટરબાઈક ટેક્સી) મોટોડોપ  રાઈડ લઇ અને પછી ત્યાંથી સિહનઔક્વિલ્લે જઈ ત્યાંથી ફેરી દ્વારા જઈ શકાય છે

રોડ : ઓન લાઇન  બુકિંગ માટે :  https://www.aeroline.com.my/plan_trip.html

બેંગકોક થી સીએમરીપ પહોચતા લગભગ  6-9 કલાક લાગે છે અંદાજે ૪૬૫ કી.મી છે, 6-9 કલાક ટ્રિપછે. સામાન્ય રીતે ૪-૫  કલાક ના પ્રવાસ બસ દ્વારા બેંગકોક થી અરન્યપ્રત્હેત (‘અરણ ’ ) નામ ના ટાઉન  પહોચતા થાય છે , જે  થાઈ બાજુ ની સરહદપર નું છેલ્લું ટાઉન છે, પછી ટુક -ટુક દ્વારા સરહદ ક્રોસિંગ કરી કમ્બોડિયા    ની સરહદ પોઈપેટ નામ નું ટાઉન આવેલ છે કે જે ફક્ત ૬  કિ.મી. દુર છે .પોઈપેટ  થી સીએમ રીપ  નો માર્ગ હવે ખુબ સરસ થઇ ગયેલ છે અને લગભગ ૩ કલાક માં સીએમ રીપ પહોંચવા માટે લાગે છે .જમીનમાર્ગે પ્રવાસ આયોજન બે વિકલ્પો છે: (1) બેંગકોક થી પેકેજ ટિકિટ ખરીદી; (2) અથવા ટીકીટ લઇ જાતે આયોજન કરવું

વીજળી: 220 વોલ્ટ, 50Hz. મુસાફરો ખાસ ધ્યાન રાખો કે પાવર કટ વારંવાર થતો હોય છે અને મહાનગર બહાર, વીજળી સામાન્ય રીતે માત્ર સાંજે ઉપલબ્ધ હોય છે 

અંગકોર ના મંદિર :
એવું કહેવાય છે કે જો આપ કમ્બોડિયા ફરવા માટે ગયા હોય અને જો આપ  અંગકોર વાટ ના ઐતિહાસિક મંદિર, પ્રાચીન ખ્મેર સામ્રાજ્યની મુલાકાત ન લીધી હોય તો આપ ની એ મુલાકાત અધુરી રહી ગણાય ,  ૯  અને ૧૩  મી સદીમાં વચ્ચે બંધાયેલ , ૧૦૦  કરતાં વધુ મંદિરો શોધી કાઢવામાં આવ્યા છે  એટલુજ નહિ આ પ્રાચીન સભ્યતા , પ્રાચીન સંસ્કૃતિ અને  તેના સમયના  સૌથી મોટા શહેરો માંના  એક ગણાય છે . અંગકોર વાટ અત્યાર સુધીમાં બંધાયેલા સૌથી મોટું ધાર્મિક સ્મારક  છે  , એક પ્રભાવશાળી હિન્દૂ મંદિર શ્રુંખલા છે કે જે ની ચારે તરફ ઊંડી કેનાલ બનાવી મંદિર ને સુરક્ષિત રાખવા નો પ્રયાસ કરેલ છે .આ એક વિશ્વની અજાયબીઓની તરીકે જાણતા છે. અંગકોર થોમ આ કોટ રોયલ સિટી બયોન  મંદિર અને તેના વિશાળ પથ્થરના ચહેરાઓ લગતા મંદિર , નું એક અનન્ય આકર્ષણ  છે.

સરનામું: સીએમ  બહાર ૩ માઇલ (૫ કિમી ) ; પ્રવેશ:  U.સ.$ ૨૦ . એક દિવસ માટે

કંબોડિયા લેન્ડમાઈન્સ  મ્યુઝિયમ
અકિરા’સ  લેન્ડમાઈન્  મ્યુઝિયમ
અંગકોરવાટ  લેન્ડમાઈન્ મ્યુઝિયમ પ્રાચીન ખ્મેર ભવ્યતા ઉપર કલંક સમાન છે. આ  લેન્ડમાઈન્ કંબોડિયા ના ભયાનક રાજકીય અને સામાજિક ચહેરા ને ઉજાગર કરે છે .  અકિરા નામ ના ભૂતપૂર્વ ખ્મેર રગ બાળ સૈનિક દ્વારા સ્થપાયેલ આ સંગ્રહાલય, મુશ્કેલીગ્રસ્ત સમય તરફ સ્પષ્ટ રીતે ધ્યાન ખેંચે છે. આજે પણ હજારો માનવી ઓં જમીન માં દટાયેલી સુરંગો નો ભોગ બને છે . હજુ પણ સુરંગો ને શોધવાનું અને તેને નકામી કરવાના પ્રયત્ન હોવા છતાં,  અંદાજ છે કે અડધા કરતાં ઓછી સાફ કરવામાં આવી છે. અકિ રા એ પોતે રા 50,000 ઉપર ને નિષ્ક્રિય કરી છે, તેની પોતાની પહેલ પર ઘણી જમીની સુરંગો અને ઘણા અન્ય શસ્ત્રો આ સંગ્રહાલય સમાવાયા છે.

સરનામું: સ્થિત ૪  (૬ કિમી ) માઇલ બન્તેંય  શ્રેય  ટેમ્પલ ઓફ અંગકોર વાટ પુરાતત્વીય પાર્ક અંદર, દક્ષિણ; ઇ મેલ: info@cambodialandminemuseum.org; વેબસાઈટ: www.cambodialandminemuseum.org; પ્રવેશ: વ્યક્તિ દીઠ 1 ડોલર દાન

નેશનલ મ્યુઝિયમ
અંગકોર નેશનલ મ્યુઝિયમ
અંગકોર ના મંદિર ની મુલાકાતએ  જવાના માર્ગ ઉપર આ આ સંગ્રહાલય બનવા માં આવ્યું છે કે જેથી મુલાકાતીઓ ખેમર સંસ્કૃતિ ની ઊંડાણપૂર્વક  સમજ કેળવી શકે અને મુલાકાતીઓ ઇતિહાસ, સમૃદ્ધ વારસા અને અન્ય કથાઓ થી રૂબરૂ થઇ શકે કેમ કે  મોટે ભાગે જ્યારે માર્ગદર્શિકા વગર અંગકોર મંદિરો જોવા જાય ત્યારે તેનાથી અજાણ રહી જાય છે . આ સંગ્રહાલય મલ્ટીમીડિયા શો દર્શાવે છે અને વિવિધ માનવસર્જીત વસ્તુઓ દ્વારા ખ્મેર સંસ્કૃતિ સુવર્ણ સમય ને ઉજાગર કરે છે. આ ઇમારત પોતે અત્યંત આધુનિક વાતાનુકૂલિત , ભવ્ય અને પ્રચંડ  ૨૦ ,૦૦૦  પર ચોરસ મીટર જગ્યા માં આવેલ છે.
સરનામું: નો .૯૬૮ , વિથેઈ  ચાર્લ્સ ડી ગૌલ, ફોઉંમ  સલાકાન્સેંગ , ખોમ  સ્વય્દાન્ગુમ , સિઅમરેપ  ; ઇ મેલ: info@the-anm.com; વેબસાઈટ: www.angkornationalmuseum.com; ખુલવાનો સમય: 1 30 સપ્ટેમ્બર દરરોજ સવારે  ૮ .૩૦ થી સાંજે ૬ સુધી ખુલ્લું હોય છે; 1 ઓક્ટોબર 30 એપ્રિલ:  દરરોજ સવારે ૮.30 થી સાંજે ૬ ૩૦  છે; પ્રવેશ: બિન-કમ્બોડિયનો માટે પ્રવેશ $ 12 ફોટોગ્રાફી માટે વધારાના $ 3  છે

તોન્લેસાપ  તળાવ  © લા ઝીતીના
તોન્લે સાપ  તળાવ

ઓઍન્ગ  તોન્લે  સાપ  (તોન્લે  સાપ  તળાવ)  એશિયા નું એક સૌથી મોટું તાજા પાણી નું તળાવ છે, અને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ ઇકો સિસ્ટમ આના પર નભે છે. આ તોન્લે  સાપ  બાયોસ્ફિયર રિઝર્વ માં ના આ પ્રેક તોઅલ  પક્ષી અભયારણ્ય માં રહેવાસી પક્ષીઓ જેવા કે બાજ, સ્ટોર્ક , પેલિકન અને માછલી ઈગલ્સ નો સમાવેશ થાય છે આ ઉપરાંત  માછલી, મગરો, કાચબા, મુહ્કાક ( લાંબા મોઢા વાળું અને છાતી ઉપર ખોરાક રાખવા ની કોથળી વાળું વાંદરું ) અને ઓત્તેર , તેમજ પાણી માં સ્તંભ ઉપર ટકેલા અથવા ફ્લોટિંગ ઘરો માં રહેતા ગ્રામજનો સમાવેશ થાય છે.  આ શ્રેષ્ઠ પક્ષીઓ જોવા નો સમય ઉનાળાની સુકી ઋતુ છે. આ ઉપરાંત સીએમરેપ માં તોન્લે સાપ નું પ્રદશન પણ છે કે જે સ્થાનિક લોકોની સંસ્કૃતિ અને પર્યાવરણ ના પ્રદર્શન દ્વારા ખ્મેર વારસા ની તાકાતનું પ્રદર્શન કરે છે .
સરનામું: આ તળાવ સિઅમ રેપ ની દક્ષિણે લગભગ  ૯  માઈલ (૧૫ કિમી) દુર આવેલ છે ; ટેલીફોન: તોન્લે  સાપ  (૦ ) પ્રદર્શન ૯૬૪  ૬૩  ૬૯૪ ; ફેરી ફ્નોમ પેન્હ અને સીએમ રેપ વચ્ચે ની ફેરી ચોંગ  ખ્નેઅસ  નામ ના  ગામ ખાતે તળાવ અને બંદરગાહ વચ્ચેથી પસાર થાય છે . આ તોન્લે સાપ  પ્રદર્શન અંગકોર વાટ માટે ના માર્ગ પર જયવર્મન સાતમા હોસ્પિટલ પછી તરત છે, ખુલવાનો સમય:. બધા આકર્ષણો દરરોજ સવારે ખુલે છે જોકે પ્રદર્શન બપોરે ૧૨ થી ૨ વચ્ચે બંધ રહે છે; પ્રવેશ: ચોંગ   ખ્નેઅસ   ફ્લોટિંગ ગામ બોટ પ્રવાસ: U.S. $ 6 ; પ્રેક  તોઅલ  પક્ષી અભયારણ્ય પ્રવેશ: U.S. $ 5, $ પ્રવાસ 15-25 U.S.; તોન્લે  સાપ  પ્રદર્શન: મફત છે.


બેંગ  એઅલેઅ  મંદિર

આ મંદિર સેન્ડ સ્ટોન માંથી બનેલ છે .અને સીએમ રેંપ થીપહોચતા  લગભગ ૫ કલાક લાગે છે . આ મંદિર જંગલ માં આવેલા હોવા થી અને તેની મુલાકાત સાર્થક લાગે છે આ મંદિર સંકુલ અંગકોર વાટ ના  સમાન સ્કેલ પર છે અંદાજે બારમી સદી માં બંધાવ્યા હતા. પરંતુ ઘણા સમય થી ત્યજી દીધેલ હોય તેવું પ્રતીત થાય છે . અહી થી લુટારાઓ પૌરાણિક મહત્વ ધરાવતી પ્રતિમાઓ ઉઠાવી ગયા છે .પરંતુ અન્ય રીતે આ માળખું તેના ઐતિહાસિક ધરોહર અને  ગુણવત્તા કારણે મુલાકાતીઓ આવતા રહે છે ભલે ઓછા પ્રમાણ માં આવતા હોય , પણ આવે છે જરૂર

સરનામું: સીએમરેંપ  થી ૪૫  માઇલ (૭૦ કિમી )  પ્રવેશ ફી : $ ૫


ઇંડિયન રેસ્ટોરેંટસ 
ચૂસસ્કા રેસ્ટોરેંટ:
ઇંડિયન વેજિટેરિયન રેસ્ટોરેંટ
ઓલ્ડ માર્કેટ ઍરિયા, સ્ટ્રીટ 7,
વન બ્લૉક નોર્થ ઓફ પબ સ્ટ્રીટ
ટેલ: ૦૧૨ -૨૧૨૧૩૮

કરી વૉલા રેસ્ટોરેંટ 

#805, સીવાતા બ્લ્વડ.

રોડ તો અંગકોર નાઇટ માર્કેટ

ઇંડિયા ગેટરેસ્ટોરેંટ: 

ટેલ: 063-૯૬૫૪૫૧

સ્ટ્રીટ ૯ , ઓલ્ડ માર્કેટ ઍરિયા

ટેલ: ૦૯૩ -૪૦૦૧૪૮

ધી ઇંડિયન રેસ્ટોરેંટ 

ઓલ્ડ માર્કેટ ઍરિયા, ઑપોસિટ તે પ્રોવિન્ષિયલ હોસ્પિટલ

ટેલ: ૦૧૭  -૯૨૮૪૭૧

લિટ્લ ઇંડિયા રેસ્ટોરેંટ: 

2 થ્નૌ સ્ટ્રીટ, ઓલ્ડ માર્કેટ ઍરિયા,

ઑપોસિટ બ્લૂ પંપકિન

ટેલ: ૦૧૨ -૬૫૨૩૯૮

મહારાજા રેસ્ટોરેંટ: 

નેક્સ્ટ તો કૅબ બૅંક, ઓલ્ડ માર્કેટ ઍરિયા
ટેલ: ૦૯૨ -૫૦૬૬૨૨

તાજ મહાલ રેસ્ટોરેંટ:

ક્લાસ્સિક ઇંડિયન ક્વિજ઼ીન

ઓલ્ડ માર્કેટ ઍરિયા , પબ સ્ટ્રીટપાસે,

બિટ્વીન રેડ પિનો અન્દ કૅબ બૅંક

ટેલ: ૦૮૮ -૮૭૬૫૧૦૦






વર્ષાઋતું

ચાલ ભીંજાઈએ  સાથ સાથમાં

ધીમા ધીમા ભીના પગરવ દસ્તક દે દીલને દ્વાર

મયૂર નૃત્ય ગગન ઘનઘોર છડી પોકારે આજ

વરસાદી વાયરાની વસંતે મખમલી ગમગીનીનો સાથ

સમણા વાવ્યાતા લીલી ક્યારીએ પણ પૂનમની રાત્રે અમાસ

ઉરમાં ઉછરેલીને ઉરમાં ધરબાયેલી પળો ફરી ઉભરાય પરસાળમાં

કેમ કરી ધરબુ કેમ કરી દબવું ઉછાળા મારે વરસાદમાં

વીતેલી પળોના ધોધમાર વરસાદે નીંદર લીધી મારી લૂંટી

તમારા સમ મે તો ઊંડા ઉજાગરે નીંદર પીધી ઘૂટી ઘૂટી

ભીની ભીની સુગંધ ભરી શ્વાસે હું ઉડુ ઊંચા આકાશમાં

છોડ તારો વરસાદને મારો વરસાદ ચાલ ભીંજાઈએ  સાથ સાથમાં

हरी भरी यादो !

हरी भरी यादो !

 ये कठिन राह है मेरे दोस्त हमे भुला पाने का,
बोलो भला तुम कैसे हमे भुला पाओगे !

  मैं वो खुशबू हू जिससे आज तुम महेकते हो,
  तुम वो मेघधनुष हो जिसमे मैने रंग बिखेरे है 
  मैं ओस नही महासागर हू हरी भरी यादो का,
 मैं व्याप्त हू तेरे सांसो मे, जो तुम गिन तक ना पाओगे
  बोलो भला तुम कैसे हमे भुला पाओगे !

    मैं वो हाला हू जिसे पीकर तुम बहक़ते थे,
 मैं वो जाम हू जिसे पीकर तुम मदहोश होते थे,
 मैं वो हवा का झोंका हू जो तुम देख तक ना पाओगे
बोलो भला तुम कैसे हमे भुला पाओगे,
  
 याद आयंगे वो लम्हे जो हमने साथ बिताए थे
कैसे भूलेंगे  वो नगमे जो हमने साथ गुनगुनाए थे ?
क्या भूल पाएंगे वो सपने जो हमने साथ सजाए थे ?
बोलो भला तुम कैसे हमे भुला पाओगे

 ये शहर, ये नुक्कड़, हर गली पे अपना डेरा था
 वो पीपल की छाव , वो बारिश की रिमझिम ,
 वो  नदियो की धारा, वो झरणो की कल कल,
 उनका हे बस , हमारी यादो मे बसेरा 
बोलो भला तुम कैसे हमे भुला पाओगे!
 
वो छिपना छिपाना, वो रूठना मनाना
 वो हँसना हँसाना, वो रोना रुलाना 
  वह बन गए अब हिस्से  कहानी के
बोलो भला तुम कैसे हमे भुला पाओगे !

વ્હાલમજી ના વિચારે

વ્હાલમ ને વાદળ બેઉ ની તે જોડ,
સખી, ઉભરી આવે ગમે ત્યારે,
અંતર માંવ્હાલમ ને આકાશે વાદળ ,
મને જોવડાવે ઘણી વાટ રે !
મન ના માણીગર ની વાસળી ના સાદે,
યાદો ની વણઝાર ના ઢોલ ના ધબકારે,
ટળવળતા કંઠ માં જળ સીંચવાને ,
હરણ ફાળે હું હાલી રે !
સાન અને ભાન ને મૂકી કોરાણે,
વિસરું વિયોગ વ્હાલમજી ના દ્વારે  રે   ,
મારી તે ચાલ માં ટપકે ચોમાસું  ,
મારા પ્રીતમ ને પામવા નીસરી રે !
વરસી ને તડપું ને તડપી ને વરસું ,
વ્હાલમ ના વિચારે રે ,
અશ્રુ ની ધારા ને અષાઢી વાદળ ,
વરસી રહ્યા અનરાધારે રે !
વ્હાલમજીના વ્હાલ તણા સરોવર ને પામવા,
હૈયું પણ મીન બની તરસે રે,
ઉપર થી વરસાદ ને અંદર થી વ્હાલમ ,
કરડે મને મુશળધારે રે !
સમજાવી સમજાવી મુને થાકી રે ,
કેમ કરી ના આવે મારે હોઠે રે ,
વ્હાલમ ,નથી ભીંજાવું વરસાદે,
આજ ભીંજાવું તારા વ્હાલે રે  !

સંબંધ નું જીવન સંગીત

कृतार्थः स्वामिन द्रेष्टि  कृतदारस्तु मातरम्

जातापत्य पति  द्रेष्टि गतरोगश्चिकित्सकंम
અર્થ પ્રાપ્તિ પછી સેવક સ્વામીનો દ્વેષ કરે છે .
પત્ની મળ્યા પછી પુત્ર માતાનો દ્વેષ કરેછે
સંતાન પ્રાપ્તિ પછી સ્ત્રી પતિનો દ્વેષ કરે છે
અને
રોગનિવૃત્તિ પછી રોગીઓં  વૈદ્યનો દ્વેષ કરે છે
જીવન સંગીત પ્રગટે છે  જીવન માધુર્યમાંથી . જીવન માધુર્ય ફેલાય છે સુમધૂર સંબંધોમાંથી .સુમધૂર સંબંધોની આધારશીલા છે ભાવસભર લાગણીઓનું ખળ ખળ વહેતુ ઝરણુ . ભીની ભીની લાગણીઓની છાલકો ની આહલાદકતા નો જે અનુભવ કરાવી શકે છે તેજ  અસ્તિત્વ નો ઉત્સવ ઉજવી શકે છે. પરંતુ આજ આપણે ઊંધા માર્ગે છીએ, માર્ગ થી ભટકી ગયા છીએ, માર્ગની ખબર જ નથી. કદાચ ઉતાવળા થયા છીએ, બેબાકળા થયા છીએ , અસ્તિત્વનો ઉત્સવ ઉજવવા માટે , પણ ઉજવી શકતા નથી . અસ્તિત્વના  ઉત્સવની પૂર્વશર્ત  ને આપણે મરોડી નાખી છે . ભીની ભીની લાગણીઓથી ભીંજાવું તો છે પણ ભીંજવવાનો પ્રયત્ન કરવો નથી. સુમધૂર સંબંધોની વાંસળીમાંથી રેલાતા સુરો માં લીન તો થવું છે પણ જવાબદારી નથી લેવી .અહં ..ના.. ના જરા.. પણ.. નહિ. થોડી અમથી પણ નહી.શ્વાસ પણ નથી લેવો . એક મિનીટ રોકાવું પણ નથી .મોકો પણ ચૂકવો નથી . તુરત ઘા કરી દેવો છે , સામા પક્ષે . સુમધૂર સંબંધોના દરિયામાંથી ઉછળતા મોજામાંથી ઉઠતી છોળો માં ભીંજાવું હોય તો એક અને  માત્ર એક શર્ત છે સ્વીકાર. સંપૂર્ણ સ્વીકાર. સામા પક્ષ નો પણ અને  જવાબદારી નો પણ. અહિયાં પ્રશ્ન એ પણ ઉઠે છેકે સંપૂર્ણ સ્વીકાર એટલે શું ? કોઈ પણ વ્યક્તિ નો તેના ગુણ અને અવગુણ સાથે સ્વીકાર !જયારે આપને કોઈ ના પ્રેમમાં હોઈએ ત્યારે આપણે તે જ જોવા ની કોશિશ કરીએ છીએ કે જેનાથી આપણી તેના પ્રત્યે ની પ્રેમ ની લાગણી ને પુષ્ટિ મળે . અહી આપણે સિલેક્ટિવ બનીએ છીએ .અહી આપણે મનગમતા પાસા દ્વારા આપણી પસદગી ને યોગ્ય ઠરાવવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. કોઈ પણ શ્રેષ્ટ વ્યક્તિ  ને પણ ખરાબ પાસું હોઈ છે  અને ખરાબ વ્યક્તિ માં પણ શ્રેષ્ટ પાસું હોય છે . સંબંધો એ વિરોધાભાષી વિકલ્પો નો સરવાળો છે. દરેક સુખ ની પાછળ દુ:ખ જોડાયેલું છે અને  દરેક દુ:ખ સાથે સુખ જોડાયેલું છે. સંબંધો  એ બે કિનારા વરચે  વહેતી નદી જેવા છે. સંબંધો એક કિનારાથી વહી ના શકે! એ અલગ વાત છે કે આપણને બીજો કિનારો ન દેખાય ! અથવા તો આપણે બીજો કિનારો જોવા ન માંગતા હોઈએ પણ એ હકીકત છે કે જયારે તમે એક કિનારા થી કંટાળી જશો ત્યારે બીજા કિનારે આપ ઉભા હશો એ નિશ્ચિત છે . જયારે આપણે સૌન્દર્યને પ્રાથમિકતા આપીએ છીએ ત્યારે આપણે એક કિનારા નો વિકલ્પ સ્વીકારીએ છીએ.એક દિવસ આપણે સૌન્દર્ય થી થાકી જશું. આપનું મન જે મળે તેના થી એક ને એક દિવસ ભરાઈ જાય છે , ધરાય જાય છે .ત્યારે આપણે કંટાળવા માંડીએ છીએ ..અને જે વિકલ્પ આપણે છોડ્યો હોય , જે વિકલ્પ પ્રત્યે આપણે બેધ્યાન હતા , જે વિકલ્પ આપણ ને  મુદ્દલ ગમતો ન હતો તે વિકલ્પ હવે આપણ ને પ્રિતીકારક લાગે છે . તે વિકલ્પ ઉપર આપણે પસંદગી નો કળશ ઢોળિયે છીએ . કાલ સુધી જેના માટે આપણું હૃદય તડપતુ હતું તે આજે દુશ્મન લાગવા માંડે છે .કાલ સુધી શ્રદ્ધા અને વિશ્વાસ ના કસમ જેના નામ પર લેતા હતા તેના પ્રતિ શ્રદ્ધા નો છાંટો  શોધવો મુશ્કેલ બની જાય છે. કાલે આપણે કહેતા હતા કે તારા વગર મારું જીવન શક્ય નથી ,આજ તેનો અવાજ સંભાળવો પણ મુશ્કેલ બનીજાય છે .
હમણાં મારે શાલીની ( નામ બદલેલું છે ) સાથે વાત થઇ તેને લાગતું હતું કે તેના મિત્રએ તેનો દુરુપયોગ કર્યો છે. વાત વાત માં તેને જણાવ્યું કે તેને છેલ્લા  ઘણાય વર્ષો થી સુમધુર સંબંધો હતા . મેં તેને પુછુયુ  તકલીફ ક્યાં આવી ? દુ:ખ સાથે તેણે  કહ્યું કે “મને લાગે છે કે તેને મન મારી ઉપયોગીતા ખતમ થઇ ગઈ છે” ! “મેં તેને મારું સર્વસ્વ આપ્યું પણ  તેણે મારી કદર ના કરી” . વાત નો દોર આગળ ધપાવતા મેં પૂછ્યું આપે શા માટે આપનું સર્વસ્વ આપ્યું ? કોઈ વિશેષ કારણ ?  ખરેખર  કહું” હું તેને દિલોજાનથી ચાહતી હતી . અને આજે પણ ચાહું છું “. આખરે મેં પૂછીજ નાખ્યું કે જો તમને લાગતું હોય કે તેને તમારા સંબંધ નો દુરુપયોગ કર્યો છે તો આજે ચાહવાનું કોઈ કારણ ?  એણે ગળગળા સ્વરે કહ્યું ”અમે સાથે ગાળેલો સમય એ મારા માટે જીવનમૂડી છે અને તે હું ભૂલી નહિ શકું “ તો  સૌથી મહત્વ નો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે પછી  દુરુપયોગ કેવી રીતે  ?
અહી મન માં પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે કે જયારે સાથે હતા ત્યારે જો  એ શ્રેષ્ઠ સમય હતો તો છુટા પડતાજ દુરુપયોગ કેવી રીતે થઇ ગયો ? અહી આપણું મેલું મન કામ કરવા લાગે છે . આપણે નિષ્ફળતાની જવાબદારી સ્વીકારવાને બદલે સામા ને જવાબદાર બનાવવા માંગીએ છીએ. અહીથી તકલીફો ની શરૂઆત થાય છે. આપણી વ્યાખ્યાઓં  બદલાવા માંડે છે . વ્યક્તિ એજ છે , સંબંધો એજ છે , ઘટના એજ છે પણ ફર્ક જો હોય તો,  તે આપણા  દ્રષ્ટીકોણ નો છે.  દ્રષ્ટીકોણ નું ખુબ મહત્વ છે સંબંધો માં. કોઈપણ સંબંધને જોવા ની આપની દ્રષ્ટિ બદલાય એટલે  સ્વાભાવિક છે કે તેની સંબંધ ઉપર અસર દેખાવા માંડે છે . આઓ આપને એક ઉદાહરણથી તેને સમજવાનો પ્રયાસ કરીએ
એક વખત બસ માં પિતા અને તેના બે બાળકો સફર કરી રહ્યા હતા . સવાર નો સમય હતો  ઘણા લોકો પોતાની વાત માં મશગુલ હતા તો ઘણા ન્યુઝ પેપર વાંચવા માં ! અચાનક જીદે ચડેલા બાળકે કોઈના હાથમાંથી પેપેર ઝૂટવી લીધું ને ફાડી નાખ્યું ! અને મોટે મોટે થી ઘાટા ઘાટ કરવા માંડ્યો.ઘણા સહપ્રવાસી વિચારવા માંડ્યા કે આ તોફાની બાળકો ને સંસ્કાર જેવું કઈ નથી ! તેના માં બાપે તેને સભ્ય રીતે વર્તન કરતા શીખવાડ્યુંજ  નથી ! સહન કરવાની પણ એક હદ હોય !  બીજા સહપ્રવાસી તેના પિતા સમક્ષ આશા ભરી નજરે જોવા લાગ્યા . પિતા ને વાત સમજાઈ ગઈ. તેણે સહ પ્રવાસીયોની માફી માંગી અને જણાવ્યું કે હું ખુબજ  દિલગીર છું મારા બાળક ના અસભ્ય વર્તન થી પણ દુર્ભાગ્યે આજ તેમણે  તેમની માં ઘુમાવી છે અને અમે તેમની માં ની અંતિમ ક્રિયા પતાવીને ઘરે જઈ રહ્યા છીએ ! જે લોકો તે બાળકોને ધ્રુણા ની નજર થી જોતા હતા તેમની, તેમને મુલવવાની દ્રષ્ટી બદલાઈ ગઈ ! તે હવે હમદર્દી ભરી દ્રષ્ટિ થી તે બાળકો ને જોવા લાગ્યા !!
સંબંધ નો અર્થ સમ +બંધ એટલે કે સરખું બંધન એવો થાય છે જેમ કે વૃક્ષ અને વેલ, જેમ કે મીન અને જળ! સંબંધો લાગણી અને ઉષ્માના ઘૂઘવતા મહાસાગર જેવા હોવા જોઈએ,સંબંધોમાં એક જબ્બર તાકાત રહેલી છે, તે કાળમીંઢ પત્થરને પણ પીગળાવી શકે છે . સંબંધો શક્તિના વરસતા ધોધ જેવા છે. સંબંધ વગરનું માનવ જીવન કલ્પીતો જુઓં ! અરે જે પશુમાં શક્ય નથી તે માનવીમાં કેવી રીતે સંભવી શકે ? પરંતુ એ પણ હકીકત છે કે , જે સંબંધોમાં લાગણીની કુમાશની કમી મહેસૂસ થવા માંડે, જે સંબંધોમાં ઉષ્મા, દૂધમાં આવેલા ઉભરાની જેમ સમવા માંડે,  જે સંબંધો  દિનપ્રતિદિન શંકાઓ ના વાદળથી સતત ઘેરાતા રહેતા હોય , જેમાં એક બીજા પર હાવી થવાની હોડ લાગી જાય, જયારે સંબંધો સમ હિત ને બદલે સ્વ હિત પર  કેન્દ્રિત થઇ જાય ત્યારે તેનું નીતરી જવું સ્વાભાવિક નથી લાગતું ?
સંબંધો માં જયારે અંગત સ્વાર્થ નો લૂણો લાગે  ત્યારે સમજવું કે તેના અંત તરફ ના પ્રયાણ ને હવે કોઈ રોકી શકે તેમ નથી ! હવે તેના અંતિમ શ્વાસ ચાલી રહ્યા છે ! કોઈ તેને રોકી નહિ શકે ..ના કોઈ પણ નહિ , ખુદ ઈશ્વર પણ નહિ !  ! જે સંબંધોમાં આપણે ઘેઘુર વડલાની જેમ ચોમેર પ્રસરીને શીતળતા વરસાવે  તેવી પરીકલ્પના માં રાચતા  હતા, જે સંબંધોની ભીની ભીની ખુશ્બુ શ્વાસે ભરતા હતા, જે સંબંધો આપણા  આખા અસ્તિત્વના રોમે રોમમાં પ્રસરી ગયા હતા તે સંબંધો આજ અસ્તિત્વની આખરી લડાઈ લડતા ભાસે છે , આખરી શ્વાસ લેતા દીસે છે !
આપણે સ્વીકારવું પડશે કે સંબંધોના ગણિત અને વિજ્ઞાનને સમજ્યા વગર, સમગ્ર માનવ જાતનું અસ્તિત્વ જોખમમાં છે ! જો આપણે અર્થસભર  જિંદગી  વ્યતીત કરવી હોય, જો આપણે રાતરાણી  ની જેમ મહેકવું હોય, જો આપને હિમાલય ની જેમ અડીખમ રહેવું હોય તો , જો આપને લાગણી ના ધસમસતા પ્રવાહ માં તરબોળ સ્નાન કરવું હોય, જો આપણે ગમે તેવા ધરતીકંપો થી આપણને સુરક્ષિત રાખવા હોય તો આપણે સંબંધો ની ગાંઠને વધુ મજબૂત બનાવવી પડશે, તો આપણે લાગણી ના તાર ને જંકૃત કરવા પડશે, તો આપણે મોરલાની જેમ ટહેકવું પડશે .. તો આપણે સંબંધોની સુપ્રભાતે કુકડા ની જેમ બાંગ પોકારવી પડશે ! બીજો કોઈ ઉપાય છે જ નહિ ..
એક વખત એક ભાઈ ગાય ને દોરી ને જતા હતા કોઈ સૂફી ફકીરે તેને પૂછયું કે તમે ગાય થી બંધાયા  છો કે ગાય તમારાથી  બંધાયેલ છે ? પેલા એ કહ્યું કે ભાઈ ગાય થી હું કેવી રીતે બંધાયેલો હોઉં ? ગાયને તો મેં બાંધી છે ! તો એક કામ કરો , જો આપણે ગાય ને છોડી દઈએ તો ગાય તમારી પાછળ ભાગશે કે તમે ગાયની પાછળ ભાગશો ?  પેલા એ કહ્યું  મારેજ ગાય ની પાછળ ભાગવું પડશે ! તો ફકીરે  કહ્યું, તો કોણ કોનાથી બંધાયેલું છે ?
સંબંધો નું પણ કૈક આવું કહી શકાય, એ નક્કી કરવું મુશ્કેલ છે કે  સંબંધો થી આપણે બંધાયેલા છીએ કે આપણાથી સંબંધો બંધાયેલ છે !
સંબંધો ની મધુરપ ના જામ માણવા હોય તો સંબંધોના ગણિત ને સમજવું પણ અત્યંત આવશ્યક છે ..સંબંધો ને મૂલવવા હોય તો તેને ચાર રીતે વર્ગીકૃત કરી શકાય :
૧ સ્વાર્થ
૨ પરમાર્થ
૩પરસ્પર સ્વાર્થ
૪ દુશ્મનાવટ
સ્વાર્થ ના સંબંધો એટલે કે જેમાં અંગત હિત ને ધ્યાન માં લઇ ને સંબંધો નો ઉપયોગ એવી રીતે કરવો કે જેથી અંગત હિત સાધી જાય અને ભલે તે માટે સામા પક્ષે ગમેતેટલો ભોગ કેમ ન આપવો પડે! ક્યારેક તો અંગત હિત સાધવા , સામેના વ્યક્તિ નો ભોગ લેવાની ગણતરીથીજ સંબંધ વિકસાવવામાં આવે છે. આ સંબંધો નું આયુષ્ય હમેશા ભોગ બનનાર વ્યક્તિ ની સહનશક્તિ ઉપર રહેલું હોય છે. આ સંબંધોનું આયુષ્ય હમેશા ટૂંકું જ રહેવાનું અથવા તો કહી શકાય કે આ સંબંધોનું આયુષ્ય મર્યાદિત  હોય છે.
પરમાર્થના સંબંધોમાં ભોગ આપનાર સમજદારીપૂર્વક પોતાનો ઉપયોગ થવા દેતા હોય છે . તેને ખબર હોય છે કે આ સંબંધમાં એકજ પક્ષે ફાયદો થવાનો છે, એટલે કે સમા પક્ષે . આ સંબંધોમાં પણ ભોગ આપનાર ની મનસુફી સુધીજ સંબંધો ટકી શકે છે .આ સંબંધો નું આયુષ્ય પણ ટૂંકું જ હોય છે.
પરસ્પર સ્વાર્થના સંબંધો : સંબંધો માં આ સર્વ શ્રેષ્ઠ સંબંધો માનવામાં આવે છે કારણકે આમાં બંનેનું અવલંબન એકબીજા પર હોય છે. જ્યાં સુધી લાંબા ગાળાના લાભ માટે આ પરિસ્થિતિ સર્વોત્તમ છે કેમ કે આ પરિસ્થિતિમાં બંને પક્ષે સમલાભ હોવાથી તે સંબંધો લાંબા ટકવાની આશા રહેલ છે . જ્યાં સુધી સંબંધો આ પરિસ્થિતિ માં હોય છે ત્યારે બંને પક્ષ આનંદ નો ઉત્સવ મનાવતા હોય છે .બીજા શબ્દોમાં આને પરિપક્વ સંબંધ પણ કહી શકાય કે જેમાં કોઈ એક બીજાના ઉપર હાવી થવા નો પ્રયાસ કરતા નથી. પણ એક બીજાના પુરક બનવાની કોશિશ કરે છે . એકબીજાના સુખ અને દુ:ખ સંપીને વહેંચી લે છે અને દરેક પરિસ્થિતિમાં એકબીજાને હૂફ પૂરી પાડે છે.પણ પરસ્પર સ્વાર્થના સંબંધો અને સ્વાર્થના સંબંધો વરચે ની ભેદ રેખા એટલી પાતળી હોય છે કે ભેળસેળ થતા વાર નથી લાગતી. ઘણીવારે શંકા આવા સંબંધો નું કાસળ કાઢવાને નિમિત બને છે.
દુશ્મનાવટના સંબંધોની પરિસ્થિતિમાં બંને પક્ષ નું વલણ જક્કી અને જીદ્દી હોય છે . બંને પોતાની વાત બીજા ઉપર થોપવાની ઈચ્છા રાખતા હોય છે . બંને એકબીજાનો મહતમ લાભ લેવા તો ઈચ્છતા હોય છે , પણ કઈ પણ ઘુમાવ્યા વગર ! એક હાથ લંબાવવો તો છે પણ બીજો હાથ પાછળ છુપાવી દેવો છે .
બચપણમાં સોનાના ઈંડા આપતી મરઘીની વાત તો આપણે બધાયે સાંભળી છે .જેમાં એક ખેડૂતની મરઘી દરરોજ સોનાના ઈંડા આપતી હોય છે .ખેડૂત દરરોજ સોનાના ઈંડા મેળવે છે અને આનંદથી પોતાનો સમય વ્યતીત કરે છે. એક દિવસ કોઈએં એના કાન ભમ્ભેરે છે કે આ રોજ રોજ રાહ જોવી એના કરતા મરઘીને મારીને તેના પેટમાં જેટલા ઈંડા હોય તે લઇ લે ! ખેડૂતને લોભ અને લાલચ જાગે છે અને તે અંત આપણને બધાને ખબરજ  છે!
હવે ઉપરોક્ત વાર્તા ને તાર્કિક રીતે સમજીએ .
જો ખેડૂત સોનાના ઈંડાની ઉપજ વગર અથવાતો કોઈ પણ જાતની અપેક્ષા વગર મરઘી ને ચણ નાખ્યા કરે તો કેટલા દિવસ તે મરઘીને પાળી શકશે ?
તેજ રીતે જો તેને કોઈ પણ જાત નું ચણ આપ્યા વગર ફક્ત સોનાના ઈંડાની અપેક્ષા રાખેતો મરઘી કેટલો સમય ઈંડા આપી શકશે ?
આપણે સોનાના ઈંડા મેળવવા હોય તો બંને પક્ષે તે જોવાનું રહેશે કે બંને એક બીજાના પુરક બને ! નહિ તો , ના રહેગી બાંસ ના બજેગી બાંસુરી !
કોઈ પણ સંબંધમાં સૌથી વિઘાતક અસરવાળા કોઈ પરિબળો  હોય તો તે છે  ભય ! અને અવિશ્વાસ ! ભય અવિશ્વાસ જગાવે છે અને અવિશ્વાસ ભયને જન્મ આપે છે . ભગવાન મહાવીરે આશરે ૨૦૦૦ વર્ષ પહેલા કહ્યું હતું કે અભય બનો ! અભય એટલે કે ભય રાખવાનું કોઈ કારણ ના રહે તે. અભય અને નિર્ભયના અર્થમાં તાત્વિક ફરક છે . નિર્ભય એટલે ભય વગરનું .સંબંધને અસર કરતુ પરિબળ છે ભય , ડર માનવીને શંકાશીલ બનાવે છે અને શંકા સંબંધની ઘોર ખોદવાનું કામ કરે છે. આ બંને પરિબળો દિવસે ના વધે તેટલા રાત્રે અને રાત્રે ના વધે તેટલા દિવસે વધ્યા કરે છે અને આખરી પરિણામ સંબંધમાં  વિચ્છેદ સ્વરૂપે આવે છે : આ વિરછેદને કોઈ આવકારવા માંગતું નથી ! આ વિરછેદનું કોઈને સ્વાગત કરવું ગમતું નથી ! હજી પણ વિકલ્પ છે , હજી મોડું થયું નથી ! જો આપણે સ્વીકારી લઇએ  કે નદીને બે કિનારા છે અનેપશ્ચ્યાતાપના પવિત્ર ઝરણાને આપણાં હૃદયમાં વહેવા દઈએ , પ્રાયશ્ચિત રૂપી નદીમાં માથાબોળ સ્નાન કરી નુતન જીવન તરફ આપણે પ્રથમ ડગ માંડીએ. સામાન્ય રીતે આપણે પશ્ચ્યાતાપ અને પ્રાયશ્ચિત ને સમાનર્થી માનતા હોઈએ છીએ પણ બનેમાં તાત્વિક ભેદ છે .પશ્ચ્યાતાપ એટલે કર્મની ભૂલનો સ્વીકાર અને તેમાંથી મુક્તિ માટે તે ભૂલ બદલ માફી માંગવી ! જયારે પ્રાયશ્ચિત એટલે આપણે ભૂલ માટે પોતાને જવાબદાર માનવા , ! જોવું પડશે કે આપણે ક્યાં ઉભા છીએ . આપણે ક્યાંતો આપણાં કર્મો નો દોષ જોઈશું , ક્યાંતો આપણ ને આપણી ભૂલ સમજાય ક્યાંતો બીજાની ભૂલ જોયા કરીશું !
જે પોતાના કર્મનો દોષ જોશે તે પશ્ચ્યાતાપ કરશે ! જે પોતાની ભૂલ જોશે તે પ્રાયશ્ચિત કરશે અને જેને બીજાની ભૂલ દેખાય છે તેની પાસે કોઈ વિકલ્પ નથી ! સિવાય કે વિરછેદ !!
કૈલાશ પંડિતે ખૂબ સરસ લખ્યું છે કે
કોણ ભલાને પૂછ છે અહી કોણ બૂરાને પુછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે અહી કોણ ખરા ને પુછે છે ?
અત્તર ને નિચોવી કોણ પછી ફૂલોની દશા ને પૂછે છે ?
સંજોગ ઝુકાવે  છે કે નહિ તો અહી કોણ ખુદા ને પૂછે છે ?

અફીણી ગઝલ છો તમે ..

શબ્દ નહી અફીણી ગઝલ છો તમે 
અવ્યક્ત લાગણીની ફસલ છો તમે
નીકળ્યા આંજી સ્વપ્ન પમરાટ ના 
જીવેલી પળોની કિતાબ છો તમે


પાનખર નહિ મસ્ત મધુરી વસંત છો તમે 
તરસ નહીં ભીની લાગણીની પરબ છો તમે
પામવા અને સજવા નવો શૃગાર આ ધરા ને 
કેમ કહું ! હરી ભરી ભૂમિની ફુલહારા છો તમે 


ભમરાનું ગુંજન અને કળી ની નજાકત છો તમે 
આ વૃક્ષ, આ કુસુમ,આ ઉપવનની શાખા છો તમે 
આવ્યા છો અમ આંગણે મદમસ્ત મસ્ત્તી ભર્યા ભર્યા 
ઉઠતી, કુદતી,લહેરાતી,ચંચળ શીળી ધારા છો તમે 

વરસી જાને મુશળધાર

સખી , આંઠ આંઠ માસ ના અમને ઝુરાપા

શેની જુએ છે વાટ ,સખી વરસી જાને મુશળધાર !

અષાઢી રાત્રે વાદળ બની કેમ ના આવે મળવા દોડી ?

તું સમજે ના કોઈ સાન માં , આજ ભીંજાવું તારા વાહલ માં !

નયનો વહાવે યાદ ને સખી કેમ ના વહાવે વહાલ !

ચલ આજ ના છોડીયે લાહવો, એક બીજા થી ભીંજાવાનો ,

ભીંજાવાનું ને ભીંજવાનું ચાલ કરીએ સહિયારું

ના ન કહેતા તમને મારા સમ , જો હોય મન મળવાનું !

સખી આજ હું ગાવું મલ્હાર ને તું કેમ ના વરસે અનરાધાર !

શેની જુએ છે વાટ ,સખી વરસી જાને મુશળધાર !

હું પ્રાર્થના …

હું પ્રાથના ….ઈશ્વર ની સૌથી મનપસંદ …ઈશ્વર અને માનવ વરચે સેતુ .. હજારો વર્ષથી હું આપ સૌની .. લાગણી, જરૂરિયાત, તકલીફ , આજીજી , પ્રેમ અને મુશ્કેલી  ઈશ્વર સુધી પહોચાડવા નો પ્રયત્ન કરતી રહી છું … આપ સૌ એ વ્યક્ત કરેલી ભાવનાઓ ભલે તે શબ્દ સ્વરૂપે હોય, મૌન ના રૂપ માં હોય , ધ્યાન ના માધ્યમથી  હોય , સુફીઅના અંદાજ માં હોય કે પછી ભજન દ્વારા વ્યક્ત થયેલી હોય મેં હમેશા યથા યોગ્ય  ઈશ્વર કે ગુરુ સુધી પહોચાડી છે પણ હું દુખ સાથે કહું છુકે આમાંથી મોટા ભાગની ‘પ્રાથના’ઓ વાસનાથી ભરેલી મળી છે, જેના તરફ ઈશ્વર એક નજરે જોવા પણ રાજી નથી ! હું ક્ષુબ્ધ છું ! લાચાર છું , વ્યથિત છું , દુખી છું ..કંટાળી છું …ઉબકાઈ ગઈ છું ..આજ મારે તમને મારી કહાની કહેવી છે , આજ મારે તમને અવગત કરાવવા છે , મારી અંદર ચાલતા ભીસણ દ્વંદથી  , મારે વહેચવું છે મારું દુખ .. જોડવા છે મારા આંતર કલહ થી તમને આજે અને અત્યારે …હું ઈચ્છું છું કે તમે હવે મારા દ્વારા સંદેશ પહોચાડો તો એ અમીસભર હોય, લાગણી થી છલકતો હોય, કોઈ ના કલ્યાણ માટે હોય , કોઈ ના સુખ માં ભાગીદાર થવા માટે હોય ..આનંદ નો ઉત્સવ હોય કેમકે જે તમે ઈશ્વર ને મોકલશો તેમાં તે વધારો કરીને પાછું આપશે ! બોલો શું સંદેશ આપવો છે તમારા પ્રિય ભગવાન ને , ઈશ્વર ને કે અલ્લાહ ને ?

તમે માનશો, આ માનવ જીવન ની શરૂઆત ની સાથે મારું અસ્તિત્વ સ્વીકારાયેલું છે. જેમ જેમ માનવ જીવન નો વિકાસ થતો ગયો તેમ તેમ મારી ઉપયોગીતા સમયાંતરે બદલાતી રહી પણ મારું સ્વરૂપ તો એનું એજ રહું ! આદિકાળથી માનવ અને હું એક સાથે આગળ વધતા રહ્યા ! વન્યજીવન છોડી માનવ જયારે વસાહત બનાવી ને રહેવા લાગ્યો ત્યારથી મારી ઉપયોગીતા વધતી ગઈ .

હું સાક્ષી છું આદિકાળની જયારે માનવે અસ્તિત્વ માટે  સખત સંઘર્ષ કરેલો. હું એવા કેટલાય હુમલાની સાક્ષી છું કે જેમાં આખે આખી માનવ વસાહત નાશ પામી હોય.. જંગલમાંથી રાની પશુના અવિરત હુમલા થતા રહેતા , જંગલી ટોળીયો ના હુમલા પણ સતત ચાલુ રહેતા , નદી ના વહેણ અચાનક બદલાઈ જાય , સતત વરસાદ થી નદી માં ઘોડા પુર આવતા અને ધરતીકંપ પણ વારંવાર અનુભવાતો અને આવા કારણોસર આખે આખી માનવ વસાહત ઉજ્ડી જતી ..આવી વિષમ પરિસ્થિતિ ને કારણે સતત સંઘર્ષમય જીવન જીવતા , સતત અસ્તિત્વ ની લડાઈ લડવી પડતી અને તેમાં વિજય થનાર નેજ જીવનનો હક્ક રહેતો . સુરક્ષા ના સાધનો ખુબજ નહીવત હતા અથવા તો અલભ્ય હતા .. આ સતત સંઘર્ષમય જીવન માં એકજ સહારો હતો એને તે ઈશ્વર , ભગવાન કે દેવ જે તમે કહેતા હોય તે ! અને તેમના સુધી પહોચવાનો , તેમની સાથે સંપર્ક સ્થાપવાનો , કે તેમને પોતાનો તકલીફ માં મદદ કરવા સંદેશ પહોચાડવા નું  એક માત્ર  સશક્ત માધ્યમ જો હોય તો તે હું !એટલેકે તમે જેને પ્રાર્થના તરીકે ઓળખો છો તે ! આ સમયે તે કાળના માનવી એ મારા ઉપયોગ ની શરૂઆત કરેલી .. તે મારા દ્વારા ઈશ્વર ને સંદેશ પહોચાડતા અને આશા રાખતા કે મારા દ્વારા તેમને પહોચાડેલ સંદેશ ઉપર ઈશ્વર જરૂર થી તેમને સહાય કરે અને આવી પાડનાર મુશ્કેલીઓ માંથી તેમને ઉગારે !
તમને થતું હશે કે મારું નામ પ્રાથના કેવી રીતે પડ્યું ? મારા નામ નો કઈ અર્થ છે કે એમજ  પાડી દીધેલું ? અને કોને પાડ્યું ? મારા ફોઈ કોણ હશે ? સાચું કહું ! મારું નામ કોણે પાડ્યું તે તો  હવે મને પણ યાદ નથી પણ હા કેવી રીતે પડ્યું એ તો મને આજે પણ યાદ છે ! આમ તો એવું કહેવાય છે કે મારા નામ નો ઉદભવ સંસ્કૃત ભાષા માં થયો હતો ! પ્રા + ધના  પ્રા એટલે વિશિષ્ટ રીતે માંગવું અને ધના એટલે કે સુખ કે સંપતિ ! ધન એ ધાન્ય સાથે ખુબ નજીક થી જોડાયેલ છે. ધાન્ય એટલે કે અનાજ ! પ્રાચીન સમય માં અનાજ ને ખુબજ મહત્વ ની સંપતિ માનવા માં આવતી હતી !
બીજી માન્યતા મુજબ મારું નામ બે શબ્દો થી બનેલ છે પ્રા + અર્થ + ના  જેમાં પ્રા નો મતલબ થાય છે કે સ્ત્રોત અર્થ એટલેકે સંપતિ અને ના એ બોલતી વખતે અંદર થી નીકળતો અવાજ  છકે જે શરીર નો નાદ છે ! મારા દ્વારા એટલે કે પ્રાથના દ્વારામાનવી બધીજ પ્રકાર ની સંપતિ ના મૂળ સુધી પહોચી શકે છે એટલ કે ઈશ્વર સુધી પહોચી શકે છે !!!
ત્રીજો અર્થ થાય છે કે દુ:ખ દુર કરવાની વિનંતી ! પ્રા એટલે લાગણી વ્યક્ત કરવી   અને અર્થા એટલે દુખ, ભય ,શોક, અશાંતિ ,આફત અને અનિશ્ચિતતા  અને ના એ અવાજ છે જે લાગણી વ્યક્ત કરતો ઉત્પન થાય છે અવાઝ દ્વારા દુખી પાના ની લાગણી વ્યક્ત કરવી અને અને તેમાંથી માર્ગ કડી આપવાની વિનંતી કરવા ને પ્રાથના કહે છે.
ટૂંકમાં પૌરાણિક સમયમાં અવાજ  કે અવાજના કંપન દ્વારા ઈશ્વર સાથે કોમ્યુંનીકેસન કરવામાં આવતું હતું .જુદા જુદાસમયે  ઈશ્વર , ભગવાન,  દેવતા સાથે સંપર્ક સાધવા માટે હું એટલેકે પ્રાર્થના એ એક મહત્વનું સાધન છું. મને ગૌરવ છે કે હું કોઈપણ વ્યક્તિને  પોતાને અનુરૂપ લાગે તેવી રીતે ઈશ્વર સુધી પોતાની લાગણી , વ્યથા , ઇરછા , આશા પહોચાડી શકવાનું માધ્યમ બની શકી છું.
જુદા જુદા આરોહ અવરોહ વાળા ઉચ્ચારણો થી બનેલા મંત્ર દ્વારા પણ મારા થકી ઈશ્વર ને સંદેશ પહોચાડવાનું ઘણા પંડિતો અને ઋષિમુનીઓ  કાર્ય કરતા આવ્યા છે . તેઓ એ જુદા જુદા સમયે જુદી જુદી પરિસ્થિતિ ને અનુરૂપ અને વિવિધ જરૂરિયાતો ને ધ્યાનમાં રાખીને મંત્રો બનાવ્યા છે કે જયારે રાજા યુદ્ધ પર જવાના હોય , લગ્ન પ્રસંગ હોય, બાળકોનો જન્મ પ્રસંગ હોય ,રહેઠાણ બદલે અથવા નવા રહેઠાણ પર રહેવા જાય ત્યારે અથવાતો નવી સંપતિ મેળવે ત્યારે પણ ઈશ્વર નો આભાર માનવા અથવાતો આશીર્વાદ મેળવવા પણ મારો ઉપયોગ આદિકાળ  થી આજસુધી થઇ રહ્યો છે .
આપ સૌ જાણો  છો  કે  વૈદિકકાળ થી લોકો સારો પાક મેળવવા , રક્ષણ મેળવવા અને યોગ્ય વાતાવરણ જળવાઈ રહે તેમાટે મારા દ્વારા ભગવાન ને વિનંતી કરે છે .ટુકમાં સુખ, સંપતિ, શાંતિ , સદભાવ   અને પોતાના પાલ્ય ના શ્ર્યાર્થે ઈશ્વર ના આશીર્વાદ મેળવવા મારો ખુબ ખુબ ઉપયોગ કરેછે . આજે પણ લોકો માને છે કે  મારા દ્વારા પાપ કર્મો ધોઈ શકાય છે ,દુશ્મન ને દુર રાખી શકાય, રોગચાળો થી દુર રહી શકાય અને માનવીય જીવન સુખમય બનાવવા માટે હું શ્રેષ્ટ વિકલ્પ છું . સાચું કહેજો મારા શિવાય વિકલ્પ છે ખરો ?
આમ જુઓ તો  હું ઈશ્વરનું સાનિધ્ય માણવા માટેની એક માત્ર રાહબર છું મારા દ્વારા આપ પ્રશ્નો પૂછી શકો છો , આપની લાગણી વ્યક્ત કરીશકો છો , આપની તકલીફો વર્ણવી શકો છો  અને તે અંગે ઈશ્વર સાથે ચર્ચા પણ કરી શકો છો . આજ નાસતત તાણ ભર્યા જીવન માં તાણ મુક્ત થવા માટે હું એક મહત્વની  સાથીદાર   છું આ ઉપરાંત કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ ના સમૂહ પ્રત્યે કુદરત સમક્ષ સહાનુભતિ દર્શાવવા પણ મદદરૂપ થાઉં છું . હું એક એવું શશક્ત માધ્યમ છું કે મારા દ્વારા આપ આપની લાગણી  વ્યક્ત કરી શકો , આપના હૃદય ની વાત  ને ઈશ્વર સમક્ષ રાખી શકો અથવા તો આપના આત્મા ના આવાજ ને પણ ઈશ્વર સમક્ષ પ્રદર્શિત કરી શકો છો . મારા દ્વારા આપ ઈશ્વર પ્રત્યે ની આસ્થા, પ્રેમ, શ્રદ્ધા ને વિનંતી  વ્યક્ત કરી શકો છો  એટલુજ નહિ પણ આપની લાચારી દર્શાવી પોતાની જવાબદારી ઈશ્વર ને ભળાવી શકો છો અને તેમના દ્વારા આપની ઇરછા પુરતી પણ કરી શકો છો . ઈતિહાસમાં આવા અસંખ્ય દાખલાઓ છે કે જેમકે નરસૈયા એ  દીકરી નું આણું વળાવવા ની જવાબદારી શ્રીકૃષ્ણ પાસે પૂરી કરાવી હતી આ ઉપરાંત હિંદુ પુરાણ , રામાયણ તથા મહાભારત જેવા મહાગ્રંથો આવા એનેક કિસ્સાઓ દર્જ થયેલા છે કે જેમાં ઈશ્વરે તેમની પ્રત્યે આસ્થાવાન લોકો ની વહારે દોડી આવી અને તેમને ઉગાર્યા હોય ! જયારે પુણ્યાત્માઓ એ ખરા હૃદય થી ઈશ્વર ને પોકાર્યા હોય અને જયારે ભગવાન ને લાગે કે હવે મારા ભક્તો ના કલ્યાણ માટે જન્મ લેવાની જરૂર છે ત્યારે ખુદ ધરતી પર દોડી આવી ને પાપાત્માઓનો નાશ કર્યો છે અને સતયુગ ની સ્થાપના કરી છે.
વિશ્વ ની દરેક સંસ્કૃતિમાં તથા દરેક ધર્મ માં મારું મહત્વ સ્વીકારાયેલું છે . મુસ્લિમો મને સલાહ્ તરીખે ઓળખે છે , ખ્રિસ્તી મને પ્રેયર કહે છે , બુદ્ધ ધર્મ અને  જૈન ધર્મ માંપણ મારું મહત્વ એટલુજ છે .

સતત મંત્રોચાર , અખંડ જાપ  , સુમધુર ભજન ગાયન દ્વારા પણ  ઈશ્વર સુધી પહોચવાનો વિશિષ્ટ રસ્તો લોકો અખત્યાર કરતા હોય છે .વાલ્મીકી, સંત તુકારામ , પાનબાઈ, મીરાં વિગરે આના ઉદાહરણ છે . વળી ઇસ.૧૩૯૮ માં જન્મેલ સંત કબીરે ઈશ્વર ને બહાર શોધવાની બદલે પોતાની અંદર શોધવાની વાત તેમને નીચે ના દોહા દ્વારા કહી :

मो    कहा   धुन्धो   बन्दे  ,  में   तो   तेरे   पास   में

ना  में  बकरी , ना  में  भेंडी , ना  में  छुरीगंदास  में

नहीं  खाल,  नहीं  पोंछ में,  ना हड्डी ,  ना मॉस  में

ना  में  देवल ,  ना  में  मस्जिद , ना काबेकैलाश में

ना  तो  कौनो  क्रिया  कर्म  में  , नहीं जोग बैराग में

खोजी होय तो तुरतै मिलिहो,पल भर की तलाश में

ઉપરોક્ત પંક્તિ માં કબીર કહે છે કે ઈશ્વર ને શોધવા હોય તો બહાર ફાફા મારવાની જરૂર નથી .તે આપની અંદર છે અને જો ખરેખર આપની અંદર શોધીએ તો તુરત મળી જાય ! ઈશ્વર ને પામવાનો સૌ નો અધિકાર છે . આપને ઈશ્વર ને ખોઈ દીધા હશે તો ક્યારે પામી નહિ શકીએ પણ આપણે ખોયા નથી માટે મળવાની સંભાવના છે ! લાખ રૂપિયા નો પ્રશ્ન એ છે કે જો ખોયાજ ના હોય તો શોધવા કેવી રીતે ? માટે ઈશ્વર એક પહેલી બની ગયા છે . વિયોગ થયો નથી તો યોગ નો પ્રશ્નજ ઉપસ્થિત થતો નથી ! ખરેખર જરૂર છે આંખો ખોલી ને જોવાની ! બીજું કે જે અંદર છે તેને પામવું મુશ્કેલ થઇ જાય છે કેમ કે બધીજ ઇન્દ્રિયો બહારની તરફ જુએ છે ..આંખ બહાર જુએ છે, હાથ બહાર સ્પર્શે છે , નાક  બહારથી ગંધ લે છે આમ આપણી પાંચેય ઇન્દ્રિયો બહાર તરફ જુએ છે અને ઈશ્વર અંદર છે. ઇન્દ્રિયો પ્રકૃતિ નો હિસ્સો છે ..પ્રકૃતિ બહાર છે અને ઈશ્વર કે જે ને આપણે અંતરાત્મા કહીએ છીએ તે અંદર છે. પ્રકૃતિ સાથે જોડવા માટે ઇન્દ્રિયો ની જરૂર છે અને ઇન્દ્રિયો વગર પ્રકૃતિ સાથે નાતો બનાવી રાખવો સંભવ નથી .અને જ્યાં સુધી ઇન્દ્રિયો સાથે સંબંધ છે ત્યાં સુધી ઈશ્વર સાથે નાતો સંભવી શક્તો નથી. અંદર તરફ ની યાત્રા અતીન્દ્રિય  છે .જ્યાં ઇન્દ્રિયો ને છોડી ને જવું પડશે..જયારે તમારી દ્રષ્ટિ આંખ ને છોડી દેશે ત્યારે તે અંદર તરફ જોશે !

અહી સમજવાની જરૂર છે આંખ અને દ્રષ્ટી બે ભિન્ન બાબત છે .. કહ્રેખર આંખ જોતી નથી પણ આંખની પાછળ રહેલી દ્રષ્ટી જુએ છે જેમ કે તમે કોઈ કામ માં ખુબ મશગુલ થઇ ગયા હોવ ત્યારે આસ પાસ થતી હિલચાલ આપણને ધય્ન માં આવતી નથી ..આપણી આંખ સમક્ષ કોઈ આવી ને જતું રહે છતાં આપણે એ નોધ લેતા નથી કેમ ? આંખો એ તો તેમને જોયા હોય છે પણ તમારી દ્રષ્ટી એના પર નથી પડી માટે આપણે એમને જોઈ શકયા નહિ .. બીજું ઉદાહરણ લઈએ કે  માનો કે આપણી આસ પાસ બોમ્બ બ્લાસ્ટ થાય છે આપણે ભાગીયે છીએ જીવ બચવા માટે તે સમય કોઈ આપણને સાદ દે છે , પણ આપણે સાંભળવા છતાં રોકાતા નથી ..કેમ ? તેવુજ આપણી અંદર રહેલા ઈશ્વર નું છે આપણી દ્રષ્ટી નથી માટે આપણને દેખાતા નથી માટે કબીર કહે છે કે શોધો તો તરત મળે પલભર ની તલાશ માં …

આધુનિક સમય માં મારો સૌથી વધુ મહિમા વધાર્યો હોય તો તે મહાત્માગાંધી એ ! તેઓ એ એક નવું પરિમાણ દાખલ  કર્યું તેમને કોઈ પણ જાત ની આશા રાખ્યા વગર અથવાતો કોઈ પણ અપેક્ષા વગર મારા દ્વારા ઈશ્વર ને દરરોજ નિશ્ચિત સમયે યાદ કરવાનું લોકો ને આહ્વાન કર્યું એટલુજ નહિ પણ તેનો અમલ પણ એટલીજ ધ્રડતા થી કર્યો  . તેમને મારા વિષે નો ખ્યાલ ને ખુબ સુંદર રીતે રજુ કરતા જણાવ્યું કે “આત્માસુદ્ધી ને સારું નિરંતર ઈશ્વર સ્તવન કરવું તેનું નામ પ્રાથના ”  ”પ્રાથના એટલે ઈશ્વર પાસે સંસારી સુખ કે બીજા સ્વાર્થ સાધવાની માગવી એ નહિ . પ્રાથના એ કલેશ પામેલા આત્માનો ગંભીર નાદ છે અને તેની અસર જગત ઉપર થયા વગર રહેતી નથી અને તે પ્રાથના ઈશ્વર ના દરબાર માં સંભળાયા  વિના રહેતી નથી. વ્યક્તિ અથવા તો પ્રજા જયારે મોટા સંકટથી પીડાય છે ત્યારે પીડા નું શુદ્ધ જ્ઞાન એજ પ્રાથના “

રોજ લાખો અને કરોડો લોકો મારા દ્વારા ઈશ્વર ને પોતાનો સંદેશ પહોચાડવાની કોશિશ કરે છે પરંતુ મને કહેતા દુખ થાય  છે કે એ “પ્રાથના” કરતા વાસના વધારે હોય છે અને એટલે તે પ્રાથના તમારી ઈશ્વર સુધી પહોચતી નથી ..

આજ ઘણો સમય થઇ ગયો છે હવે ફરી વખત મળીયે ત્યારે હું  તમને જણાવીશ કે ઈશ્વરને  કેવી રીતે મારા દ્વારા સંદેશ પહોચાડી શકાય અને ઈશ્વર ને કેવા સંદેશ ગમશે ! તો ફરી મળીયે….

સ્વપ્નમાં !


    • વસી   શકોતો   વસજો  થોડા  દી  અમારી આંખોમાં 

      પછી    ભલે    ખ્વાબ   બની   ઉડીજાજો   સ્વપ્નોમાં

      ચહેરાના રંગમાં ભરી શકોતો  ભરજો  રંગ  ઉમંગના

      પછી ભલે હૃદયના  જખ્મો ને બહેલાવજો સ્વપ્નમાં

      આજ   તમ    આંગણે    આવ્યો    હું    યાચક   બની

      આપી  શકો તો  આપજો   એક  મુલાકાત  સ્વપ્નમાં

      રહીશું  આજન્મારો ,  નીભાવશું  સાથ  ભવોભવના

      શું   તમે    આ   શબ્દ   કહ્યા   હતા   ઘોર સ્વપનમાં ?

      ચોતરફ  પ્રસર્યાંછો  પુષ્પોની  મધુર સુગંધ  ની  જેમ

      ખબરનથી,  સ્પર્શી  સકીશ  કે  કેમ  ક્યારેક સ્વપ્નમાં ?

      આજ  સ્મરણ  તમારું  ઉઠાવે  હૃદય  માં  લહેરો ઝાઝી

      ક્યાં ખબર  છે બિચારાને  કે  તમારું મુકામ સ્વપ્નમાં ?

      હજુય  ગુંજે  છે  તમારી  યાદો  ની  વણઝાર  કર્ણ માં

      ભલે    રહી    ગયા    ગાઢ    સહવાસ  હવે   સ્વપ્નમાં

      નથી એ બેદર્દ હૃદય માં ,  કે  હવે  નથી દર્દ હૃદયમાં

      નથી ખબર, કોના થશે હવે મુકામ  અમારા હૃદયમાં

      સાથે હોવા  છતાં  ,  આજ   સાથે   નથી    બકુલ   એ

      ક્યાં   કલ્પી   હતી   આ   કડવી   હકીકત    સ્વપ્નમાં?


વિશ્વના શ્રેષ્ટ ટાપુ માના એક એવા લંકાવી ની જાંખી

લંકાવી ઈગલ સ્ક્વેર

સૂર્યાસ્ત સમય નું દ્રશ્ય

સૂર્યાસ્ત સમય નું દ્રશ્ય

સેવન વેલ વોટરફોલ , લંકાવી

સેવન વેલ આહલાદક ધોધ

મગર ને બેડ સ્વરૂપે ઉપયોગ કરવો છે !

લો થઇ જાય શિરામણ !, અવાનો પોર્ટો મલાઇ હોટલ

ઓરીએન્ટ વિલેજ

બકુલ શાહ અને અવિનાશ કુમાર

આનદ અને ઉત્સાહથી ભરેલી નવી પેઢી

Bat Caves, Langkawi

Teen Devia Bat Caves

Fish Feeding

કુદરત નો અનુપમ નજારો

Mangroves

Mangroves

Mangrovs River

Small unknown Beach

At Dangli Beach

Bakul & Nimisha At Dangli Beach

આરામ  હી  આરામ !

આરામ હી આરામ !

 દાન્ગલી   બીચ

દાન્ગલી બીચ

અભૂતપૂર્વ કુદરતી સૌન્દર્ય અને વાહ ! બચપણ ! દાન્ગલી બીચ , લંકાવી

ઈગલ ફીડીંગ , લંકાવી

કેબલ કાર લંકાવી

કેબલ કાર લંકાવીધનુષ, સિદ્ધાર્થ અને વેદાંત - કેબલ કાર લંકાવી

કેબેલ કાર લંકાવી

કિશોર અંકલ અને મીનું આંટી ,કેબેલ કાર લંકાવી

કિશોર અંકલ અને મીનું આંટી

અવિનાશજી અને અમ્રીતાભાભી, કેબલ કાર લંકાવી

ધનુષ , કેબેલ કાર બ્રીજ લંકાવી

બકુલ & નિમિષા ઓરીએન્ટ વિલેજ, લંકાવી

ઈગલ ફીડીંગ , લંકાવી

ઈગલ ફીડીંગ , લંકાવી

ધનુષ, ફાલ્ગુની, સ્નેહલ , શ્રદ્ધા ,બકુલ, નિમિષા, મનોજ , ઉર્વી, ધારા દાન્ગલી બીચ , લંકાવી

લંકાવી જવા માટે ઉપયોગી માહિતી

સ્થળ 
 
લંકાવી : પુલઉં લંકાવી એ ૯૯ દ્વીપ સમૂહ માના ચાર મુખ્ય દ્વીપ નો સમૂહ છે કે જ્યાં માનવ જીવન ખુબસરસ રીતે વિકસિત થયું છે .  અહીંથી શિખર ઉપરથી થાઈલેન્ડ ના કેટલાક દ્વીપ દ્રશ્યમાન થાય છે
 
આઈ એસ ડી કોડ : ૦૦૬૦-૪
 
સમય માં ફેરફાર : ઇન્ડિયન સ્ટાન્ડર્ડ  ટાઇમ + ૨.૫  કલાક
 
ચલણ : મલેશિયન રીંગટ (MYR)
 
વિનિમય દર : ૧ રીંગટ  = ૧૬.૪૪ રૂપિયા  www.xe.com
 
ભાષા : તમિલ , ભાષા મલય , કેન્તોનીસ, મેન્ડારીન   અને ઈંગ્લીશ
 
કેવી રીતે જવાય  :
 
હવાઈ માર્ગ : મુંબઈ અને દેલ્હી થી સીધી કુલાલમ્પુર માટે ફ્લાઈટ  છે
 
કુલાલમ્પુર થી અથવા તો સિંગાપોર થી સીધી ફ્લાઈટ છે
 
 
 

http://www.malaysiaairlines.com/in/en.html

 

Malaysian Airlines

Local: 1300 88 3000 Malaysia

International: +60 (0)3 7846 3000

Air Asia

Local: 1300 88 99 33Malaysia

Local :18605008000 India

International: +60 03 7884 9000

Silk Air
+65 (0)6 223 8888

Read more: http://www.langkawi-beaches.com/getting-to-langkawi.html

 
ફેરી : કુલા કેદાહ અને કુલા પેરીલ્સ થી દરિયાય માર્ગે પણ જઈ શકાય છે
 
ક્યારે જઈ શકાય :
 
નવેમ્બેર થી લઈને અપ્રિલ સુધી નો સમય શ્રેષ્ટ સમય ગણાય છે
 
ભાષા મલય શીખવી છે ? 
 
વેલકમ  સેલામત  દતંગ  સે -લ -મત  દ -તંગ 
કેમ છો ? આપ  ખબર ? આ -પ  ખ -બર 
સરસ   બાઈક  બા -ઇક 
આભાર  તેરીમાં  કસીહ  તે -રી -માં  કા-સેહ 
સુપ્રભાત  સેલામત  પગી  સે -લા -મત  પા -ગી 
ગૂડ આફ્ટરનૂન   સેલામત  તેનગાહારી  સે -લા -મત તે -નગા -હા -રી
ગૂડ ઇવનિંગ   સેલામત પેતંગ  સે -લા -મત -  પે -તાંગ
આપ નું નામ શું છે ? આપ  નામ  અવાક ? અ -પા  ના -મ  આ -વાક 
મારું નામ  નામ  સાયા  ના -મ  સા -યા
હું સમજી ના શક્યો  સાયા  તાક  ફહમ  સ -યા  તાક ફ-હમ 
મારે પાછા જવું છે  સાયા  નાક  બાલિક  સા-યા  નાક  બા-લીક 
માફ કરશો  મીનતા  માફ  મીન -તા  માં-આફ
દિશા  અરાહ  અ -રાહ 
હ દિલગીર છું  સાયા  મીનતા  માફ  સા -યા  મીન -તા  માં -આફ 
આપ નું સ્વાગત છે  સમા -સમા  સા -માં  સા -માં 
ફરી મળીયે  જુમ્પા  લાગી  જુમ -પા  લા -ગી 
આરામદાયક સેલામત  જલાન  સે -લા -મત  જ -લાન 
હું કોનો સંપર્ક કરું ? સીઅપા બોલેહ સાયા હુબુંગ ? સી -આ -પા  બો -લેહ  સા -યા હું -બુંગ
 
 
કયા સ્થળ ને શું કહેશો ?
 
સમુદ્ર  લૌટ  લા-ઉત 
બીચ  પન્તાઈ  પન -તાઈ
દરિયા કિનારો   ટેપી  લૌટ  તે -પી  લા -ઉત 
દ્વીપ  પુલઉં  પુ -લઉં 
પર્વત  ગુનુંન્ગ  ગુ -નુંન્ગ 
પહાડી  બુકિત  બુ -કિત 
સરોવર  તાસિક  તા -સિક 
નગર / શહેર   બંદર  બન -દર 
ગામ  કમ્પુંગ  કામ -પુંગ 
જંગલ  હુતાન  હું -તાન
બેંક  બેંક  બેંક 
પોસ્ટ  ઓફીસ   પેજબત  પોસ  પે -જ -બાત  પોસ 
ધોબી  કેદી  દોબી  કે -દઈ  દો -બી 
ટોઇલેટ  તાનદાસ  તાન -દાસ
પુબ્લીક ફોન  ટેલિફોન  અવામ  તે -લે -ફોન  અ -વમ 
બુકશોપ  કેદાઈ  બુકુ કે -દઈ બુ -કુ 
પેટ્રોલ સ્ટેશન    સ્તેસેન  મીન્યક  સ્તે -સેન  મી -ન્યક 
સૂપરમાર્કેટ પસરાયા  પ -સા-રા-યા
માર્કેટ  પસાર  પા-સાર 
નાઇટ માર્કેટ પસાર  માલમ  પા -સાર  માં -લામ 
રોંડ જલાન જ -લાન
સ્ટ્રીટ   જલાન  જ -લાન 
લેન  લોરોંગ  લો -રોંગ 
ડેંટિસ્ટ    દોક્તોર  ગીગી  ડોક -તોર  ગી -ગી 
ફાર્મસી  ફાર્મસી  ફાર -મ -સી 
પોલીસ સ્ટેશન બાલાઈ પોલીસ  બા-લાઈ પો -લીસ 
હોસ્પિટલ  હોસ્પિટલ  હોસ -પી -ટાલ 
ઍંબસી  કેદુતાન  કે -દુ -તા -અન 
જેટી  જેટી  જાય -તી 
ઍરપોર્ટ લાપંગન તેરબંગ લા -પા -નગન  તેર -બંગ 
 બસ સ્ટેશન  સ્ટેસેન બાસ સ્તે -સેન  બસ 
 ટૅક્સી સ્ટૅંડ સ્ટેસેન ટેક્સી  સ્તે -સેન  ટેક -સી 
મની ચેંજર પેનુકાર  વાનગ  પે -નું -કાર વાનગ 
રેસ્ટોરેંટ રેસ્ટોરન  રેસ -તો -રન


જોવા લાયક સ્થળ
 
  1. અતમ આલમ બાતિક વિલેજ
  2. બફેલો પાર્ક
  3. ફીલ્ડ ઓફ બર્ન્ટ રાઇસ
  4. ઇબ્રહીમ હૂસેન મ્યૂજ઼ીયમ & કલ્ચરલ ફાઉંડેશન
  5. મહસૂરીનોતૉંબ
  6. લાજેંડા લંકાવી દાલમ તમન
  7. લામાં પાડી
  8. બર્ડ પૅરડાઇસ વાઇલ્ડલાઇફ પાર્ક
  9. કેબલ કાર
  10.  ક્રૅફ્ટ કૉંપ્લેક્સ
  11.  ક્રૉકડાઇલ ફાર્મ
  12. લંકાવી  ક્રિસ્ટલ
  13. લંકાવી ઇંટરનૅશનલ બુક વિલેજ
  14. મરડી અગરો ટેક્નાલજી પાર્ક
  15. મત છીંકાન્ગ મૌન્ટાઇન્સ
  16. ઑરિયેંટલ વિલેજ
  17. રાઇસ ગાર્ડેણ મ્યૂજ઼ીયમ
  18. સ્નેક સૅંક્ચુરી
  19. તેલગા હાર્બર પાર્ક
  20. ટાઇગર! ટાઇગર! ગૅલરી & ઍગ્જ઼િબિટ
  21. લંકાવી અંડરવૉટર વર્લ્ડ

Read more: http://www.langkawi-info.com/attractions/all-attractions.html

 
લંકાવી માં ઇન્ડિયન / વેજીટરીયન રેસ્ટોરેંટ :
 
સાગર  રેસ્ટોરેંટ 
તુલસી ગાર્ડન રેસ્ટોરેંટ 
મુંબઈ   રેસ્ટોરેંટ 
પાપડમ રિયા ઇન્ડિયન કુસીન
પૅલેસ ડી ઇંડિયા ઇન લંકાવી 
 

યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ વિશ્વની ધરોહરમાંના એક એવા અંગકોરવાટ ની સંપૂર્ણ ગાઈડ


દેશ : કમ્બોડિયા    

કમ્બોડિયા માં હિંદુ રાજ્ય નો ઈતિહાસ
હિન્દુત્વ નો પ્રસાર કોને અને ક્યારે કામ્બોડીયા માં કર્યો તેનો સ્પષ્ટ ઈતિહાસ ક્યાય થી મળતો નથી પરંતુ લગભગ ઇસ.૫૦ માં કમ્બોડિયા માં એક ભાવપૂર કરીને શહેર હતું  અને ત્યાં ભાવવર્મન પહેલા નું ચક્રવર્તી રાજ હતું તેવું ઈતિહાસ માં નાધાયેલું છે. એવું કહેવાય છે કે તે સમય  ભારત સાથે ના વ્યાપાર ને કારણે ભારતીય વ્યાપારીઓ એ હિન્દુત્વ ની જ્યોત આ બાજુ પ્રગટાવી હતી અને ભારતીયોની સમૃદ્ધી જોઈ ત્યાના લોકોએ હિંદુ ધર્મ માં દિલચસ્પી લીધી હશે અને તેને પ્રસારવા નું કામ બાકી રહેલ કામ એક પછી એક આવેલા હિંદુ રાજા એ ખુભી પૂર્વક કર્યું હશે. સૌથી મહત્વ ની વાત એ છે કે હિંદુ ધર્મ ના પ્રસાર માટે ના તો લાલચ આપવામાં આવી હતી કે ના કોઈ જોર અજમાવામાં આવ્યું હતું . ઈતિહાસ માં આવા કોઈ પ્રમાણ મળ્યા નથી .ભાવવર્મન પ્રથમ પછી ત્યાં આગળ તેનો ભાઈ મહેન્દ્રવર્મન ગાદી ઉપર આવ્યો હતો તેને તથા તેના પુત્ર ઈસાનવર્મન પહેલા એ ઉતરોતર પોતાના રાજ્ય નો વ્યાપ વધાર્યો અને ખેમર સામ્રાજ્ય ના પાયા ને મજબૂત કર્યો હતો .આજ સમય માં પૂર્વ કામ્બોડીયા માં બેંગકોક થી નજીક દ્વારવતી કરીને પણ એક રાજ્ય ઇસ .૬૨૮ માં હતું તેનો રાજા ભાવ વર્મન બીજો  હતો કે જે ઈસાનવર્મન પ્રથમ નો પુત્ર હતો. ભાવ વર્મન બીજા એ લગભગ ઇસ.૬૫૪ સુધી રાજ કર્યું અને ત્યારપછી તેની પુત્રી જયાદેવી એ રાજ કર્યું . આમ પેઢી દર પેઢી રાજ ચાલતું રહ્યું અને ઇસ.૭૯૦ માં જ્યવર્મન બીજા એ પોતાના રાજ્ય નો વ્યાપ વધાર્યો અને તેને વ્યાધપુરા (દક્ષીણ-પૂર્વ કામ્બોડીયા ) ,સંભુપુર,ઉત્તર  માં વાટ ફું    સુધી પ્રસાર કર્યો અને પૂર્વ માં અનીન્દીતાપુરા સુધી પોતાનું રાજ્ય નો ફેલાવ કર્યો અને પોતાને ઇસ.૮૦૨ માં વિશ્વ ના રાજા તરીકે ઘોષિત કર્યો. તેને આમરણાંત ઇસ.૮૩૫ સુધી રાજ કર્યું . ઇસ.૭૯૦ થી લઇ ને ઇસ. ૧૩૨૭ સુધી ની તવારીખ નીચે મુજબ છે :
                 રાજા                               રાજ્ય નો સમય ગાળો
  1. જ્યવર્મન બીજા               ૭૯૦ – ૮૩૫
  2. જ્યવર્મન ત્રીજા               ૮૩૫ – ૮૭૭
  3. ઇન્દ્ર વર્મન પહેલા            ૮૭૭ – ૮૮૬
  4. યશોવર્મન પહેલા            ૮૮૯ – ૯૧૫
  5. હર્ષ વર્મન પહેલા             ૯૧૫ – ૯૨૩
  6. ઇસના વર્મન બીજા          ૯૨૩ - ૯૨૮
  7. જ્યવર્મન ચોથા               ૯૨૮ – ૯૪૧
  8. હર્ષવર્મન બીજા               ૯૪૧ – ૯૪૪
  9. રાજેન્દ્ર વર્મન                  ૯૪૪ – ૯૬૮
  10. જ્યવર્મન પાંચમાં            ૯૬૮ – ૧૦૦૦
  11. ઉદયદીત્યવર્મન            ૧૦૦૦ – ૧૦૦૨
  12. જયવીર વર્મન               ૧૦૦૨ – ૧૦૧૦
  13. સૂર્યવર્મન                      ૧૦૧૦ – ૧૦૪૯
  14. ઉદયદીત્ય વર્મન પ્રથમ  ૧૦૫૦ –  ૧૦૬૬
  15. હર્ષવર્મન ત્રીજા              ૧૦૬૭ –  ૧૦૮૦
  16. જ્યવર્મન છઠા                ૧૦૮૦ –  ૧૧૦૭
  17. ધારનિંદ્રા વર્મન               ૧૧૦૭ –  ૧૧૧૨
  18. સૂર્ય વર્મન બીજા              ૧૧૧૩ – ૧૧૫૦
  19. યશોવર્મન બીજા              ૧૧૫૦ – ૧૧૬૫
  20. ત્રિભુવન આદિત્ય વર્મન    ૧૧૬૫ – ૧૧૭૭
  21. જ્યવર્મન સાતમાં              ૧૧૮૧ - ૧૨૨૦
  22. ઇન્દ્ર વર્મન બીજા               ૧૨૨૦ – ૧૨૪૩
  23. જ્યવર્મન આન્થમાં            ૧૨૪૩ – ૧૨૯૫
  24. શ્રીઇન્દ્ર વર્મન                    ૧૨૯૫ – ૧૩૦૭
  25. શ્રીઇન્દ્રજ્ય વર્મન               ૧૩૦૭ – ૧૩૨૭
  26. જ્યવર્મન પરમેશ્વર            ૧૩૨૭-

સ્થળ :  સીઅમરેંપ

સીઅમરેંપ  નો અર્થ થાય છે કે  ’થાઇ ને હરાવ્યા’ ભાગ્યેજ જોવા મળે તેવું ચતુરાઈપૂર્વક  રાખેલ  નામ  થાઇલેન્ડ નજીક ના એક મુખ્ય શહેર માટે અર્થપૂર્ણ નામ !  અંગકોર ના આ સામ્રાજ્ય નો એકવાર ના આધુનિક થાઇલેન્ડ નો ભાગ બની ચુક્યું છે .  થાઇલેન્ડ છેવટે કંબોડિયા ને હરાવી અને સીઅમરેંપ ઉપર નિયંત્રણ મેળવ્યું હતું ૧૭૯૪  થી ૧૯૦૭  સુધી પોતાના તાબા હેઠળ અંગકોર સામ્રાજ્ય ને રાખ્યું હતું .

જયારે ૧૯૦૭ માં ફ્રેંચ લોકોએ કંબોડિયા પર પ્રભુત્વ  મેળવ્યું ત્યારથી  સીઅમરેંપ  ના વિકાસ ના દ્વાર ખૂલ્યા. ફ્રેંચ સ્થપતિ શ્રી એકોલે ફ્રન્કૈસે ના અથાગ પ્રયાસથી અંગકોર આજ આપણી સમક્ષ દ્રશ્યમાન થઈ શક્યું છે .

પાસપોર્ટ / વિઝા નોંધ : બધા મુલાકાતીઓ પાસે પૂરતુ ફંડ્સ હોવું  જોઈએ.  ઈ વિઝાઑનલાઇન (એક પ્રવેશ પ્રવાસી વિઝા) કરી શકાય છે કે જે 30 દિવસ રહેવા  માટે પરવાનગી આપે છે. વધુ જાણકારી માટે www.mfaic.gov.kh જુઓ. નહિંતર, આગમન પર વિઝા 30 દિવસ માટે અદા કરી શકાય છે. એક પાસપોર્ટ ફોટો તથા ૨૦ U.S. $ પ્રવાસી વિઝામાટે સાથે જરૂરી છે.

એમ્બસ્સી ઓફ  ઇન્ડિયા : એન – ૭૭૭ , પ . મોનીવોંગ  બ્લ્વ્દ .   : ૩૬૩  ૫૦૨  / ૩૬૧  ૨૭૦ , ફેક્ષ : ૩૬૪  ૪૮૯

આઈ એસ ડી કોડ : 00855 63

સમય માં ફેરફાર : ઇન્ડિયન સ્ટાન્ડર્ડ  ટાઇમ +  ૧.૫ કલાક

ચલણ : રીએલ  (ખર )

વિનિમય દર : રીએલ  (ખર ) ૧૦૦૦ =૧૩.3089રૂપિયા

http://www.xe.com/ucc/convert/?Amount=1000&From=KHR&To=INR

ભાષા : ખમેર, ફ્રેંચ  અને ઈંગ્લીશ ખુબ ઝડપથી પ્રખ્યાત થઇ રહી છે

ક્યારે જઈ શકાય ?

વર્ષાઋતુ : જૂન થી અક્ટોબર 27-35.સી (80-95.ઍફ)
ડ્રાઇ સીજ઼ન (કૂલ): નવેંબર થી ફેબ્રુઆરી 17-27.સી (80-95.ઍફ)
ડ્રાઇ સીજ઼ન (હોટ) :માર્ચ થી મે 29-38.સી (84-100.ઍફ)

નવેમ્બેર થી લઈને ફેબ્રુઆરી સુધી નો સમય શ્રેષ્ટ સમય ગણાય છે

કેવી રીતે જવાય  :

હવાઈ માર્ગ : મુંબઈ અને દેલ્હી થી સીધી કુલાલમ્પુર અથવા તો બેન્ગ્કોક માટે ફ્લાઈટ  લઇ ત્યાંથી સીઅમરેંપ   ની ફ્લાઈટ  મળી શકે છે

કુલાલમ્પુર થી અથવા બેંગકોક થી સીધી ફ્લાઈટ છે

http://airasia.com

http://www.malaysiaairlines.com/in/en.html

Malaysian Airlines

Local: 1300 88 3000 Malaysia

International: +60 (0)3 7846 3000

Air Asia

Local: 1300 88 99 33Malaysia

Local :18605008000 India

International: +60 03 7884 9000

 

રેલવે : 

બેંગકોક (થાઇલેન્ડ) અને ફ્નોમ  પેન્હ (કામ્બોડિયા ) વર્ચ્ચે ચાલતી ટ્રૈન કંબોડિયા માં યુદ્ધ ચાલતું હતું ત્યારથી  માત્ર થાઈ-કાંબૉડિયન સરહદ ના થાઈ બાજુ પર આવેલ અરન્યપ્રત્હેત  વચ્ચે ચાલી રહેલ છે, અને અરન્યપ્રત્હેત (થાઇલેન્ડ)  અને બત્તામ્બંગ(કામ્બોડિયા) વચ્ચે સરહદ તરફ ટ્રેન સેવા કેટલાકવર્ષોથી સસ્પેન્ડ છે.  ફ્નોમ પેન્હ અને બત્તામ્બંગ  વચ્ચે  ટ્રેન સેવા પણ કેટલાક વર્ષોથી સસ્પેન્ડ છે.

બેંગકોક ► સીએમરેંપ જવા માટે

  • પગલું ૧:  ટ્રેન દ્વારા બેંગકોક માંથી અરન્યપ્રતહેત જવા માટે મુસાફરી બેંગકોક ના મુખ્ય હુઅલામફોંગ સ્ટેશન થી સવારે 05:55 વાગે શરુ કરવી પડશે  અને 11:35 અરન્યપ્રતહેત પહોચાડશે . આનું આ ભાડું 48 ફક્ત (£ વિશે 1 અથવા $ 1.60) બાથ છે  આં ટ્રેન માં કોઈ આરક્ષણ જરૂરી નથી .સ્ટેશન ખાતે થી જે તે દિવસ ટિકિટ ખરીદી શકાય છે . અંતર 255 કિ.મી., 159 માઇલ છે. આ ટ્રેન માં માત્ર ત્રીજો વર્ગજ  છે, પરંતુ તે સ્વચ્છ હોય છે , ખુલ્લી જગ્યા ધરાવતી અને તે સુખદ અને આનંદપ્રદ રાઈડ હોય છે એટલુજ નહિ આપ ઓપન વિન્ડો મારફતે ઠંડી હવા નો અહેસાસ કરી શકો છો . આ ઉપરાંત બેંગકોક થી બપોરે 13:05 કલાકે ટ્રેન છે જે ૧૭ :૩૫ કલાકે અરન્યપ્રત્હેત અરન્યપ્રતહેત ખાતે પહોચાડે છે .પરંતુ આ આગળ મુસાફરી કરવા માટે અનુકુળ નથી કેમ કે આ ટ્રેન માં મુસાફરી કરોતો રાત્રે પોઈપેત ખાતે રોકાણ કરવું પડે
  • પગલું  ૨, અરન્યપ્રતહેત  સ્ટેશન પરથી પોઈપેત જવા માટે ટુક  ટુક  લઇ શકાય છે. અરન્યપ્રતહેતથી પોઈપેત કંબોડિયન સરહદ ખાતે પહોચવા માત્ર ૬ કિલોમીટર (3.8 માઇલ) નો રસ્તો છે, અને તમે ટુક -ટુક  શોધવા જવાની પણ જરૂર હોતી નથી .સ્ટેશનની સામે તમારી રાહ જોઈ ને ઉભી હશે . આ સ્ટેશન પરથી પોઈફેત  માટે ટુક -ટુક  વાળા લગભગ ૧૦૦ બાથ થી પણ ઓછી કિંમત લેતા હોય છે , પ્રવાસ સમય લગભગ 10 મિનિટ જેટલો છે.
  • પગલું ૩    સરહદ તરફ ચાલતા જવું પડશે . સરહદ ૦૭ :૦૦ -૨૦ :૦૦  ખુલ્લી રહે છે, અને  જો તમે પહેલાંથી કંબોડિયન ઈ વિઝા ન લીધા હોય તો, વિઝા ત્યાંથી  લઇ શકાય છે, ખાસ ધ્યાન રાખજો કે ટુક ટુક   ડ્રાઇવર તમને સત્તાવાર સરહદ પોસ્ટ ઉપર લઇ જાય. તમારે ત્યાં ટ્રાવેલ એજન્સી નો સંપર્ક કરવાની કોઈ જરૂર નથી. પ્રથમ તમારા થાઈ બાજુ પર પાસપોર્ટ ઉપર સ્ટેમ્પિંગ કરાવી, પછી ૧૦૦ યાર્ડ ચાલતા ‘અંગકોર’  કંબોડિયા માં આપ નું હાર્દિક સ્વાગત છે નું બોર્ડ દેખાશે . ત્યાં જઈ કંબોડિયન સરહદ પર તમારા કંબોડિયન વીઝા લઇ શકાય છે અહી કમાનદાર પ્રવેશદ્વાર પસાર કરી તમારી ફિંગર સ્કેન કરાવી  અને તમારા પાસપોર્ટઉપર વિસા ના સ્ટમ્પીંગ કરાવી તમે કમ્બોડિયા માં પ્રવેશ કરી શકો છો . સરહદ પારકરતી વખતે તમારી કીમતી ચીજોનું ખાસ ધ્યાન રાખવું ત્યાં ખીસા કાતરુ  આસપાસ હોઈ શકે છે  આખી પ્રક્રિયા માત્ર 30 મિનિટમાં આટોપી જાય છે .
  • પગલું ૪ , પોઈફેતથી સીએમ જવા માટે બસ અથવા  શેરટેક્સી લઇ શકાય છે . આ મુસાફરી લગભગ ૧૫૨  કિ.મી. (૯૫  માઈલ) ની છે. ખાનગી કાર અથવા શેર ટેક્સી દ્વારા લગભગ ૨  ½  કલાકોમાં પહોચી શકાય છે. હવે હાઇવે ઘણો સારો થઇ ગયેલ છે. સમગ્ર કાર માટે બાથ ૧૪૦૦   અથવા  બાથ ૪૦૦ ફ્રન્ટ સીટ માટે અથવા તો તેની આસપાસ ખર્ચ થઇ શકે છે જોકે આમાં તમારા સોદાબાજી માં નિપૂર્ણતા મહત્વ નો ભાગ ભજવે છે . આ માર્ગ પર બસ સર્વિસ પણ ઉપલબ્ધ છે .પોઈફેત થી સીએમ માટે લગભગ બાથ ૧૦૦ ભાડું હોય છે અને 4 કલાક ની આસપાસનો પ્રવાસ સમય લાગે છે . પોઈપેત થી બસ અથવા ટેક્સી શેરલેવા માટે સરહદ થી પોઈપેત પ્રવાસન પેસેન્જર ઇન્ટરનેશનલ ટર્મિનલ’ રોડ સુધી જવા માટે મફત હેરફેર બસ છે. વિકલ્પોની વધુ જાણકારી માટે ‘પ્રવાસીઓ અહેવાલ જુઓ.


 ફેરી :
થાઇલેન્ડ થી કંબોડિયા વચ્ચે કોઈ ફેરી સેવાઓ છે નહિ .જોકે, પગે ચાલીને થાઇલેન્ડ ના કોહ કોંગ  સરહદ ક્રોસ કરી  ત્યાંથી ૧૫ મિનિટ ની શેર ટેક્સી અથવા (મોટરબાઈક ટેક્સી) મોટોડોપ  રાઈડ લઇ અને પછી ત્યાંથી સિહનઔક્વિલ્લે જઈ ત્યાંથી ફેરી દ્વારા જઈ શકાય છે
રોડ :
બેંગકોક થી સીએમરીપ પહોચતા લગભગ  6-9 કલાક લાગે છે અંદાજે ૪૬૫ કી.મી છે, 6-9 કલાક ટ્રિપછે. સામાન્ય રીતે ૪-૫  કલાક ના પ્રવાસ બસ દ્વારા બેંગકોક થી અરન્યપ્રત્હેત (‘અરણ ’ ) નામ ના ટાઉન  પહોચતા થાય છે , જે  થાઈ બાજુ ની સરહદપર નું છેલ્લું ટાઉન છે, પછી ટુક -ટુક દ્વારા સરહદ ક્રોસિંગ કરી કમ્બોડિયા    ની સરહદ પોઈપેટ નામ નું ટાઉન આવેલ છે કે જે ફક્ત ૬  કિ.મી. દુર છે .પોઈપેટ  થી સીએમ રીપ  નો માર્ગ હવે ખુબ સરસ થઇ ગયેલ છે અને લગભગ ૩ કલાક માં સીએમ રીપ પહોંચવા માટે લાગે છે .જમીનમાર્ગે પ્રવાસ આયોજન બે વિકલ્પો છે: (1) બેંગકોક થી પેકેજ ટિકિટ ખરીદી; (2) અથવા ટીકીટ લઇ જાતે આયોજન કરવું
વધુ માહિતી માટે : http://www.seat61.com/Cambodia.htm

વીજળી: 220 વોલ્ટ, 50Hz. મુસાફરો ખાસ ધ્યાન રાખો કે પાવર કટ વારંવાર થતો હોય છે અને મહાનગર બહાર, વીજળી સામાન્ય રીતે માત્ર સાંજે ઉપલબ્ધ હોય છે 

અંગકોર ના મંદિર :
એવું કહેવાય છે કે જો આપ કમ્બોડિયા ફરવા માટે ગયા હોય અને જો આપ  અંગકોર વાટ ના ઐતિહાસિક મંદિર, પ્રાચીન ખ્મેર સામ્રાજ્યની મુલાકાત ન લીધી હોય તો આપ ની એ મુલાકાત અધુરી રહી ગણાય ,  ૯  અને ૧૩  મી સદીમાં વચ્ચે બંધાયેલ , ૧૦૦  કરતાં વધુ મંદિરો શોધી કાઢવામાં આવ્યા છે  એટલુજ નહિ આ પ્રાચીન સભ્યતા , પ્રાચીન સંસ્કૃતિ અને  તેના સમયના  સૌથી મોટા શહેરો માંના  એક ગણાય છે . અંગકોર વાટ અત્યાર સુધીમાં બંધાયેલા સૌથી મોટું ધાર્મિક સ્મારક  છે  , એક પ્રભાવશાળી હિન્દૂ મંદિર શ્રુંખલા છે કે જે ની ચારે તરફ ઊંડી કેનાલ બનાવી મંદિર ને સુરક્ષિત રાખવા નો પ્રયાસ કરેલ છે .આ એક વિશ્વની અજાયબીઓની તરીકે જાણતા છે. અંગકોર થોમ આ કોટ રોયલ સિટી બયોન  મંદિર અને તેના વિશાળ પથ્થરના ચહેરાઓ લગતા મંદિર , નું એક અનન્ય આકર્ષણ  છે.

સરનામું: સીએમ  બહાર ૩ માઇલ (૫ કિમી ) ; પ્રવેશ:  U.સ.$ ૨૦ . એક દિવસ માટે

કંબોડિયા લેન્ડમાઈન્સ  મ્યુઝિયમ
અકિરા’સ  લેન્ડમાઈન્  મ્યુઝિયમ
અંગકોરવાટ  લેન્ડમાઈન્ મ્યુઝિયમ પ્રાચીન ખ્મેર ભવ્યતા ઉપર કલંક સમાન છે. આ  લેન્ડમાઈન્ કંબોડિયા ના ભયાનક રાજકીય અને સામાજિક ચહેરા ને ઉજાગર કરે છે .  અકિરા નામ ના ભૂતપૂર્વ ખ્મેર રગ બાળ સૈનિક દ્વારા સ્થપાયેલ આ સંગ્રહાલય, મુશ્કેલીગ્રસ્ત સમય તરફ સ્પષ્ટ રીતે ધ્યાન ખેંચે છે. આજે પણ હજારો માનવી ઓં જમીન માં દટાયેલી સુરંગો નો ભોગ બને છે . હજુ પણ સુરંગો ને શોધવાનું અને તેને નકામી કરવાના પ્રયત્ન હોવા છતાં,  અંદાજ છે કે અડધા કરતાં ઓછી સાફ કરવામાં આવી છે. અકિ રા એ પોતે રા 50,000 ઉપર ને નિષ્ક્રિય કરી છે, તેની પોતાની પહેલ પર ઘણી જમીની સુરંગો અને ઘણા અન્ય શસ્ત્રો આ સંગ્રહાલય સમાવાયા છે.

સરનામું: સ્થિત ૪  (૬ કિમી ) માઇલ બન્તેંય  શ્રેય  ટેમ્પલ ઓફ અંગકોર વાટ પુરાતત્વીય પાર્ક અંદર, દક્ષિણ; ઇ મેલ: info@cambodialandminemuseum.org; વેબસાઈટ: www.cambodialandminemuseum.org; પ્રવેશ: વ્યક્તિ દીઠ 1 ડોલર દાન

નેશનલ મ્યુઝિયમ
અંગકોર નેશનલ મ્યુઝિયમ
અંગકોર ના મંદિર ની મુલાકાતએ  જવાના માર્ગ ઉપર આ આ સંગ્રહાલય બનવા માં આવ્યું છે કે જેથી મુલાકાતીઓ ખેમર સંસ્કૃતિ ની ઊંડાણપૂર્વક  સમજ કેળવી શકે અને મુલાકાતીઓ ઇતિહાસ, સમૃદ્ધ વારસા અને અન્ય કથાઓ થી રૂબરૂ થઇ શકે કેમ કે  મોટે ભાગે જ્યારે માર્ગદર્શિકા વગર અંગકોર મંદિરો જોવા જાય ત્યારે તેનાથી અજાણ રહી જાય છે . આ સંગ્રહાલય મલ્ટીમીડિયા શો દર્શાવે છે અને વિવિધ માનવસર્જીત વસ્તુઓ દ્વારા ખ્મેર સંસ્કૃતિ સુવર્ણ સમય ને ઉજાગર કરે છે. આ ઇમારત પોતે અત્યંત આધુનિક વાતાનુકૂલિત , ભવ્ય અને પ્રચંડ  ૨૦ ,૦૦૦  પર ચોરસ મીટર જગ્યા માં આવેલ છે.
સરનામું: નો .૯૬૮ , વિથેઈ  ચાર્લ્સ ડી ગૌલ, ફોઉંમ  સલાકાન્સેંગ , ખોમ  સ્વય્દાન્ગુમ , સિઅમરેપ  ; ઇ મેલ: info@the-anm.com; વેબસાઈટ: www.angkornationalmuseum.com; ખુલવાનો સમય: 1 30 સપ્ટેમ્બર દરરોજ સવારે  ૮ .૩૦ થી સાંજે ૬ સુધી ખુલ્લું હોય છે; 1 ઓક્ટોબર 30 એપ્રિલ:  દરરોજ સવારે ૮.30 થી સાંજે ૬ ૩૦  છે; પ્રવેશ: બિન-કમ્બોડિયનો માટે પ્રવેશ $ 12 ફોટોગ્રાફી માટે વધારાના $ 3  છે

તોન્લેસાપ  તળાવ  © લા ઝીતીના
તોન્લે સાપ  તળાવ

ઓઍન્ગ  તોન્લે  સાપ  (તોન્લે  સાપ  તળાવ)  એશિયા નું એક સૌથી મોટું તાજા પાણી નું તળાવ છે, અને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ ઇકો સિસ્ટમ આના પર નભે છે. આ તોન્લે  સાપ  બાયોસ્ફિયર રિઝર્વ માં ના આ પ્રેક તોઅલ  પક્ષી અભયારણ્ય માં રહેવાસી પક્ષીઓ જેવા કે બાજ, સ્ટોર્ક , પેલિકન અને માછલી ઈગલ્સ નો સમાવેશ થાય છે આ ઉપરાંત  માછલી, મગરો, કાચબા, મુહ્કાક ( લાંબા મોઢા વાળું અને છાતી ઉપર ખોરાક રાખવા ની કોથળી વાળું વાંદરું ) અને ઓત્તેર , તેમજ પાણી માં સ્તંભ ઉપર ટકેલા અથવા ફ્લોટિંગ ઘરો માં રહેતા ગ્રામજનો સમાવેશ થાય છે.  આ શ્રેષ્ઠ પક્ષીઓ જોવા નો સમય ઉનાળાની સુકી ઋતુ છે. આ ઉપરાંત સીએમરેપ માં તોન્લે સાપ નું પ્રદશન પણ છે કે જે સ્થાનિક લોકોની સંસ્કૃતિ અને પર્યાવરણ ના પ્રદર્શન દ્વારા ખ્મેર વારસા ની તાકાતનું પ્રદર્શન કરે છે .
સરનામું: આ તળાવ સિઅમ રેપ ની દક્ષિણે લગભગ  ૯  માઈલ (૧૫ કિમી) દુર આવેલ છે ; ટેલીફોન: તોન્લે  સાપ  (૦ ) પ્રદર્શન ૯૬૪  ૬૩  ૬૯૪ ; ફેરી ફ્નોમ પેન્હ અને સીએમ રેપ વચ્ચે ની ફેરી ચોંગ  ખ્નેઅસ  નામ ના  ગામ ખાતે તળાવ અને બંદરગાહ વચ્ચેથી પસાર થાય છે . આ તોન્લે સાપ  પ્રદર્શન અંગકોર વાટ માટે ના માર્ગ પર જયવર્મન સાતમા હોસ્પિટલ પછી તરત છે, ખુલવાનો સમય:. બધા આકર્ષણો દરરોજ સવારે ખુલે છે જોકે પ્રદર્શન બપોરે ૧૨ થી ૨ વચ્ચે બંધ રહે છે; પ્રવેશ: ચોંગ   ખ્નેઅસ   ફ્લોટિંગ ગામ બોટ પ્રવાસ: U.S. $ 6 ; પ્રેક  તોઅલ  પક્ષી અભયારણ્ય પ્રવેશ: U.S. $ 5, $ પ્રવાસ 15-25 U.S.; તોન્લે  સાપ  પ્રદર્શન: મફત છે.


બેંગ  એઅલેઅ  મંદિર

આ મંદિર સેન્ડ સ્ટોન માંથી બનેલ છે .અને સીએમ રેંપ થીપહોચતા  લગભગ ૫ કલાક લાગે છે . આ મંદિર જંગલ માં આવેલા હોવા થી અને તેની મુલાકાત સાર્થક લાગે છે આ મંદિર સંકુલ અંગકોર વાટ ના  સમાન સ્કેલ પર છે અંદાજે બારમી સદી માં બંધાવ્યા હતા. પરંતુ ઘણા સમય થી ત્યજી દીધેલ હોય તેવું પ્રતીત થાય છે . અહી થી લુટારાઓ પૌરાણિક મહત્વ ધરાવતી પ્રતિમાઓ ઉઠાવી ગયા છે .પરંતુ અન્ય રીતે આ માળખું તેના ઐતિહાસિક ધરોહર અને  ગુણવત્તા કારણે મુલાકાતીઓ આવતા રહે છે ભલે ઓછા પ્રમાણ માં આવતા હોય , પણ આવે છે જરૂર

સરનામું: સીએમરેંપ  થી ૪૫  માઇલ (૭૦ કિમી )  પ્રવેશ ફી : $ ૫


ઇંડિયન રેસ્ટોરેંટસ 
ચૂસસ્કા રેસ્ટોરેંટ:
ઇંડિયન વેજિટેરિયન રેસ્ટોરેંટ
ઓલ્ડ માર્કેટ ઍરિયા, સ્ટ્રીટ 7,
વન બ્લૉક નોર્થ ઓફ પબ સ્ટ્રીટ
ટેલ: ૦૧૨ -૨૧૨૧૩૮

કરી વૉલા રેસ્ટોરેંટ :

#805, સીવાતા બ્લ્વડ.

રોડ તો અંગકોર નાઇટ માર્કેટ

ઇંડિયા ગેટરેસ્ટોરેંટ: 

ટેલ: 063-૯૬૫૪૫૧

સ્ટ્રીટ ૯ , ઓલ્ડ માર્કેટ ઍરિયા

ટેલ: ૦૯૩ -૪૦૦૧૪૮

ધી ઇંડિયન રેસ્ટોરેંટ 

ઓલ્ડ માર્કેટ ઍરિયા, ઑપોસિટ તે પ્રોવિન્ષિયલ હોસ્પિટલ

ટેલ: ૦૧૭  -૯૨૮૪૭૧

લિટ્લ ઇંડિયા રેસ્ટોરેંટ: 

2 થ્નૌ સ્ટ્રીટ, ઓલ્ડ માર્કેટ ઍરિયા,

ઑપોસિટ બ્લૂ પંપકિન

ટેલ: ૦૧૨ -૬૫૨૩૯૮

મહારાજા રેસ્ટોરેંટ: 

નેક્સ્ટ તો કૅબ બૅંક, ઓલ્ડ માર્કેટ ઍરિયા
ટેલ: ૦૯૨ -૫૦૬૬૨૨

તાજ મહાલ રેસ્ટોરેંટ:

ક્લાસ્સિક ઇંડિયન ક્વિજ઼ીન

ઓલ્ડ માર્કેટ ઍરિયા , પબ સ્ટ્રીટપાસે,

બિટ્વીન રેડ પિનો અન્દ કૅબ બૅંક

ટેલ: ૦૮૮ -૮૭૬૫૧૦૦




Follow

Get every new post delivered to your Inbox.